ચીને લદ્દાખમાં વધારી પોતાની હરકતો, સિયાચિનના પ્રવાસ પર પહોંચ્યા આર્મી ચીફ મુકુંદ નરવણે
ચીની અને ભારતીય સૈનિકોની વચ્ચે લદ્દાખમાં થયેલા વિવાદ પછી ભારતે પણ આ સંવેદનશીલ ક્ષેત્રમાં સતર્કતા સહિત સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે. ભારતીય સેના પ્રમુખ મનોજ મુકુંદ નરવણે લેહમાં 14 કોરના મુખ્યાલયનો પ્રવાસ કર્યો. આ પહેલા લદ્દાખથી જમ્મૂ કાશ્મીર સુધી સેના પ્રમુખ પ્રવાસ કરી ચૂક્યા છે. સેના પ્રમુખનો પ્રવાસ એટલા માટે મહત્વનો છે કારણ કે ચીનના […]
ચીની અને ભારતીય સૈનિકોની વચ્ચે લદ્દાખમાં થયેલા વિવાદ પછી ભારતે પણ આ સંવેદનશીલ ક્ષેત્રમાં સતર્કતા સહિત સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે. ભારતીય સેના પ્રમુખ મનોજ મુકુંદ નરવણે લેહમાં 14 કોરના મુખ્યાલયનો પ્રવાસ કર્યો. આ પહેલા લદ્દાખથી જમ્મૂ કાશ્મીર સુધી સેના પ્રમુખ પ્રવાસ કરી ચૂક્યા છે. સેના પ્રમુખનો પ્રવાસ એટલા માટે મહત્વનો છે કારણ કે ચીનના આ વિવાદની સાથે જ પાકિસ્તાન પણ પોતાની હરકતોથી બાજ નથી આવતું.
ચીને લદ્દાખમાં સેના વધારી, ભારતીય સેના પણ પુરી રીતે તૈયાર Komal Jhala#TV9News #TV9Live #IndianArmy #China #Ladakh
TV9 Gujarati यांनी वर पोस्ट केले रविवार, २४ मे, २०२०
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ત્યારે સેના એ વાતને લઈ સતર્ક રહે છે કે પાકિસ્તાન POKમાં કોઈ ષડયંત્રને અંઝામ આપવાના પ્રયત્નોમાં નથી. ભારતીય સેનાએ સ્પષ્ટ કર્યુ છે કે તે પોતાના ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારની ચીની ઘુસણખોરીને પરવાનગી નહીં આપે અને તે ક્ષેત્રને મજબૂત કરશે. ભારત અને ચીનના સ્થાનીક કમાન્ડરોની વચ્ચે અત્યાર સુધી 5 બેઠક થઈ ચૂકી છે પણ લગભગ 80 કિલોમીટર પર હજી સ્થિતીનું નિરાકરણ આવ્યું નથી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો