વિદેશ મંત્રાલયે પૈગંબર મોહમ્મદ વિવાદ પર આપી પ્રતિક્રિયા, કહ્યું-અમારે કોઈના ટ્વીટ્સ અને ટિપ્પણીઓ સાથે કોઈ લેવાદેવા નથી

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સ કરીને પૈગંબર મોહમ્મદ (Prophet Muhammad) વિશેની વિવાદાસ્પદ ટિપ્પણી પર થયેલા હંગામા પર પ્રતિક્રિયા આપી છે.

વિદેશ મંત્રાલયે પૈગંબર મોહમ્મદ વિવાદ પર આપી પ્રતિક્રિયા, કહ્યું-અમારે કોઈના ટ્વીટ્સ અને ટિપ્પણીઓ સાથે કોઈ લેવાદેવા નથી
Arindam Bagchi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 09, 2022 | 8:19 PM

ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા દ્વારા પૈગંબર મોહમ્મદ (Prophet Muhammad) પર કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણી બાદ હંગામો અટકવાનું નામ નથી લઈ રહ્યો. વિશ્વના મોટાભાગના ઇસ્લામિક દેશોએ (Islamic Countries) આ બાબતે ભારત સરકાર સામે પોતાનો વિરોધ દર્શાવ્યો છે. આ દરમિયાન હવે વિદેશ મંત્રાલય (MEA)નું નિવેદન સામે આવ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ગુરુવારે કહ્યું છે કે કોઈના અંગત મંતવ્યો ભારત સરકારના (Indian Government) મંતવ્યો નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ઈરાનના વિદેશ પ્રધાન અને એસ જયશંકર વચ્ચેની વાતચીત વિશે પણ વાત કરી. તેમણે સ્પષ્ટ કર્યું કે બંને દેશોના વિદેશ મંત્રીઓ વચ્ચેની બેઠકમાં પૈગંબર મોહમ્મદ પર કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો નથી. પરંતુ, ઈરાને દાવો કર્યો હતો કે આ બેઠકમાં આ બાબત ઉઠાવવામાં આવી છે.

વિદેશ મંત્રાલયે આપ્યો જવાબ

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સ કરીને પૈગંબર મોહમ્મદ વિશેની વિવાદાસ્પદ ટિપ્પણી પર થયેલા હંગામા પર પ્રતિક્રિયા આપી છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે, અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે કોઈની ટ્વીટ અને ટિપ્પણીઓ ભારત સરકારના વિચારોને પ્રતિબિંબિત કરતી નથી. આ વાત અમારા તમામ ઇન્ટરલોક્યુટર્સને પણ જણાવવામાં આવી છે. તેમણે કહ્યું કે એ પણ સ્પષ્ટ છે કે વિવાદાસ્પદ ટીપ્પણીઓ અને ટ્વીટ કરનારા લોકો સામે સંબંધિત એજન્સીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

ઈરાને દાવો કર્યો હતો

ઈરાન દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે તેના વિદેશ મંત્રીની ભારત મુલાકાત દરમિયાન પૈગંબર મોહમ્મદના અપમાનનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે આ બાબતમાં તમામ દોષિતોને કડક સજા આપી છે. ઈરાન તરફથી એવો દાવો કરવામાં આવ્યો છે કે અજીત ડોભાલે મીટિંગ દરમિયાન કહ્યું છે કે સરકારી સ્તરે ગેરરીતિ કરનારાઓ સાથે એ રીતે કાર્યવાહી કરવામાં આવશે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ઈરાનના વિદેશ મંત્રીએ પીએમ મોદી સાથે કરી મુલાકાત

ભારતની મુલાકાતે આવેલા ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમીર અબ્દુલ્લાહિયને બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મુલાકાત કરી હતી. બંને પક્ષોએ લાંબા સમયથી ચાલતા સાંસ્કૃતિક સંબંધોને ગાઢ બનાવવા અંગે ચર્ચા કરી હતી. વિદેશ મંત્રી એસ જયશંકર અને ઈરાનના વિદેશ મંત્રી અબ્દુલ્લાહિયન વચ્ચેની બેઠક દરમિયાન અફઘાનિસ્તાન, યુક્રેન અને અન્ય પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. આ સાથે તેમણે વ્યાપાર, આરોગ્ય, લોકો વચ્ચેના સંપર્કો સહિતના દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી હતી.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">