કોંગ્રેસ-આઈએસએફ જોડાણ અંગે આનંદ શર્માએ ઉઠાવ્યા સવાલ , કહ્યું કે આ પાર્ટીની વિચારધારા વિરુદ્ધ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા Anand Sharma એ પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટી અને ભારતીય સેક્યુલર મોરચા (ISF ) વચ્ચેના જોડાણ અંગે સવાલ ઉઠાવ્યા છે. આનંદ શર્માએ મહાગઠબંધનને પાર્ટીની મૂળ વિચારધારા વિરુદ્ધ ગણાવ્યું છે.

કોંગ્રેસ-આઈએસએફ જોડાણ અંગે આનંદ શર્માએ ઉઠાવ્યા સવાલ , કહ્યું કે આ પાર્ટીની વિચારધારા વિરુદ્ધ
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Mar 01, 2021 | 8:13 PM

કોંગ્રેસના વરિષ્ઠ નેતા Anand Sharma એ પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટી અને ભારતીય સેક્યુલર મોરચા (ISF ) વચ્ચેના જોડાણ અંગે સવાલ ઉઠાવ્યા છે. આનંદ શર્માએ મહાગઠબંધનને પાર્ટીની મૂળ વિચારધારા વિરુદ્ધ ગણાવ્યું છે. તેમણે માંગ કરી છે કે આઈએસએફ સાથે જોડાણની ચર્ચા કોંગ્રેસ કાર્યકારી સમિતિમાં થવી જોઈએ. આનંદ શર્મા કોંગ્રેસ પાર્ટીના 23 વરિષ્ઠ નેતાઓમાંના એક છે જેમણે ગયા વર્ષે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો અને ટોચનાં નેતૃત્વ અંગે કેટલાક પ્રશ્નો ઉભા કર્યા હતા.

પશ્ચિમ બંગાળમાં આઈએસએફ સાથે કોંગ્રેસ પાર્ટીના જોડાણ અંગે Anand Sharma એ કહ્યું હતું કે, “કોમવાદની વિરુદ્ધની લડતમાં કોંગ્રેસ પસંદગીયુક્ત ના હોઇ શકે. આપણે દરેક પ્રકારના કોમવાદની સામે લડવું પડશે. પશ્ચિમ બંગાળ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષની હાજરી અને ટેકો શરમજનક છે, તેઓએ પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ.

Anand Sharma  ઉમેર્યું, “આઈએસએફ અને આવા અન્ય પક્ષો સાથે કોંગ્રેસનું જોડાણ પાર્ટીની મૂળ વિચારધારા, ગાંધીવાદ અને નહેરુવાદી બિનસાંપ્રદાયિકતા વિરુદ્ધ છે, જે કોંગ્રેસ પક્ષની આત્મા છે. આ મુદ્દાઓની કોંગ્રેસ કાર્યકારી સમિતિમાં ચર્ચા થવી જોઈએ.”

પશ્ચિમ બંગાળના વરિષ્ઠ કોંગ્રેસ નેતા અધિર રંજન ચૌધરીએ આનંદ શર્માના આ આરોપો અંગે જણાવ્યું હતું કે તેઓ રાજ્ય માટે પાર્ટીના પ્રભારી છે અને મંજૂરી વિના કોઈ નિર્ણય લેતા નથી. અધિર રંજન ચૌધરીનું નિવેદન કે કોંગ્રેસ અને આઈએસએફ વચ્ચે જોડાણ પાછળ ટોચની પાર્ટી નેતાગીરીનો હાથ છે તે સ્પષ્ટ છે.

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">