Amit Shah એ કહ્યું સરકાર ખેડૂતોની આવક બમણી કરવા કટિબદ્ધ
કેન્દ્રીય ગુહ મંત્રી અમિત શાહે રવિવારે કહ્યું કે ખેડૂતોની આવક બમણી કરવાની સરકારની પ્રાથમિકતા છે. તેમજ આ ત્રણ કૃષિ કાયદા તેમની આવકને અનેક ગણી વધારો સુનિશ્વિત કરશે.
કેન્દ્રીય ગુહ મંત્રી Amit Shah એ રવિવારે કહ્યું કે ખેડૂતોની આવક બમણી કરવાની સરકારની પ્રાથમિકતા છે. આ ત્રણ કૃષિ કાયદા તેમની આવકને અનેક ગણી વધારો સુનિશ્વિત કરશે. Amit Shah એ કહ્યું કે સત્તામા આવ્યા બાદ મોદી સરકારે કૃષિ ક્ષેત્ર માટે બજેટમાં ફાળવણી અને વિભિન્ન પાક પર ટેકાના ભાવ વધાર્યા છે. કેન્દ્રીય ગુહ મંત્રી અમિત શાહે કર્ણાટકના કેરાકલમટ્ટી ગામમા એક કાર્યક્રમમા કહ્યું કે હું કહેવા માંગુ છું કે જો કેન્દ્ર સરકારની કોઇ મોટી પ્રાથમિકતા હોય તો તે ખેડૂતોની આવક બમણી કરવાની છે.
કર્ણાટકના મંત્રી મુરુગેશ આર નિરાનીની અધ્યક્ષતા વાળા ગ્રુપ એમઆરએનની ખેડૂત-કલ્યાણલક્ષી પરિયોજનાનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યા બાદ અમિત શાહે ખેડૂતોના કલ્યાણ માટે કેન્દ્ર સરકારના વિભિન્ન કાર્યક્રમો અને પહેલને ગણાવી હતી. ગુહમંત્રીએ કહ્યું કે મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાના નેતૃત્વમા ભાજપ સરકારે ખેડૂતોના કલ્યાણ માટે કોઇ કસર રાખી નથી.
આ પણ વાંચો: ગણતંત્ર દિવસ પર ખેડૂતોની ટ્રેકટર માર્ચ વિરૂદ્ધ સુપ્રિમ કોર્ટમાં અરજી, 18 જાન્યુઆરીએ થશે સુનાવણી