અમિત શાહે 20 વર્ષ પછી આપ્યો જવાબ, કેમ બનાવી હતી SIT
SITની રચના સમયે કેન્દ્રમાં સરકાર બદલાઈ ગઈ હતી. તીસ્તા સેતલવાડની સંસ્થાને કેન્દ્રની યુપીએ સરકારે બહુ મદદ કરી હતી. આ મદદ કરવાનો હેતુ માત્રને માત્ર નરેન્દ્ર મોદીની છબી ખરડવાનો હોવાનું અમિત શાહે જણાવ્યુ હતું.
ગુજરાતમાં 2002માં ફાટી નિકળેલ રમખાણ (Gujarat Riot) અંગે ગુજરાતના તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર લગાવેલા આક્ષેપોને સુપ્રીમ કોર્ટે ફગાવી દિધા છે. આ ચૂકાદા અંગે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સમાચાર એજન્સી ANI ને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે, નરેન્દ્ર મોદીએ SIT (Special Investigation Team- SIT ) સમક્ષ હાજર થઈને તમામ પ્રશ્નોના જવાબ આપ્યા હતા. અમિત શાહે ઈન્ટરવ્યુમાં સ્પષ્ટપૂર્વક કહ્યુ હતુ કે, રમખાણો અંગે SITની રચના સુપ્રીમ કોર્ટે કરી હતી. સામાજીક સ્વૈચ્છીક સંસ્થાને (NGO) સાંભળ્યા બાદ સુપ્રીમકોર્ટે SITમાં અધિકારીઓની નિયુક્તિ કરી હતી. SITમાં જે અધિકારીઓ હતા તે કોઈ ભાજપ શાસિત રાજ્યોના નહોતા, કેન્દ્ર સરકારના હતા. અમે SITની રચનાને આવકાર આપ્યો હતો.
SIT પ્રભાવમાં નહોતી આવી ?
સામાજીક સ્વૈચ્છીક સંસ્થાને સાંભળ્યા બાદ, રચાયેલ SIT કોઈ દબાવમાં (Influence) આવી હતી કે નહી ? તેવા પ્રશ્નના જવાબમાં અમિત શાહે કહ્યુ હતું કે, SIT સહેજ પણ પ્રભાવમાં આવી નહોતી. SIT ની તમામ કામગીરી ઉપર સુપ્રીમ કોર્ટ દેખરેખ રાખતી હતી. મોંધામાં મોંધા વકિલ સામાજીક સ્વૈચ્છીક સંસ્થા તરફથી આવતા હતા. અમારી તરફથી તો માત્ર કાયદા અધિકારીઓ જ હાજર થતા હતા. કાયદા અધિકારીઓને ચૂકવવામાં આવતી ફિ ચોક્કસપણે નિર્ધારિત કરાયેલ હોય છે. તેનાથી વધુ ફિ ચૂકવી શકાતી નથી. રમખાણો અંગે SITની રચના સુપ્રીમ કોર્ટે કરી હતી. સામાજીક સ્વૈચ્છીક સંસ્થાને (NGO – Non governmental organization) સાંભળ્યા બાદ સુપ્રીમકોર્ટે SITમાં અધિકારીઓની નિયુક્તિ કરી હતી. SITમાં જે અધિકારીઓ હતા તે કોઈ ભાજપ શાસિત રાજ્યોના નહોતા, કેન્દ્ર સરકારના હતા. અમે SITની રચનાને આવકાર આપ્યો હતો.
ભોગ બનનારનુ સોગંદનામુ સામાજીક સ્વૈચ્છીક સંસ્થાએ કર્યુ હતુ
અમિત શાહે એમ પણ કહ્યુ હતું કે, રમખાણનો ભોગ બનનારનું સોગંદનામુ તેમણે પોતે કરવાનું હોય છે. પણ કેટલાક ભોગ બનનારનું સોગંદનામુ તો તેમના બદલે, સામાજીક સ્વૈચ્છીક સંસ્થાએ કર્યુ હતું. ભોગ બનનારાઓને તો કોર્ટમાં દાખલ કરાયેલા સોગંદનામા અંગે ખબર પણ નહોતી.
મોદીની છબી ખરડવા માટે UPA સરકારે, તીસ્તા સેતલવાડની સંસ્થાને કરી હતી મદદ
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે, ANI ને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે, SITની રચના સમયે કેન્દ્રમાં સરકાર બદલાઈ ગઈ હતી. તીસ્તા સેતલવાડની સંસ્થાને કેન્દ્રની યુપીએ સરકારે બહુ મદદ કરી હતી. આ મદદ કરવાનો હેતુ માત્રને માત્ર નરેન્દ્ર મોદીની છબી ખરડવાના હેતુથી કરાઈ હોવાનું જણાવ્યુ હતું. રમખાણોમાં મોદી સંડોવાયેલા હોવાનું સાબિત કરવા માટે મદદ કરવામાં આવી હતી. પરંતુ સાચને ક્યારેય આંચ આવતી નથી તે સુપ્રીમ કોર્ટના ચૂકાદાથી સાબિત થઈ ગયુ છે. નરેન્દ્ર મોદીએ નીલકંઠની માફક વેદનારુપી ઝેરને હજમ કરતા લડ્યા અને ચમકતા સૂર્યની માફક સત્ય બહાર આવ્યુ છે. નરેન્દ્ર મોદી જીતીને બહાર આવ્યા છે.