ચાલાક ચીન સામે શું છે એક્શન પ્લાન? કોરોનાના સંકટ સામે કેટલી સજ્જ કેન્દ્ર સરકાર? અમિત શાહ સાથે ખાસ મુલાકાત
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદીયાના નિવેદનના કારણે રાજધાનીમાં કોરોનાને લઈ ડર ઉભો થયો. અમે કોરોના સામે લડવા માટે તૈયાર છીએ. દિલ્હીની સરકાર તરફથી 31 જુલાઈ સુધી 5.50 લાખ કેસ પહોંચવાની વાત કહેવામાં આવી રહી છે. ત્યારે દિલ્હીમાં એવું નહીં થાય. કોરોનાના આટલા કેસ દિલ્હીમાં નહીં આવે. ગૃહપ્રધાને કહ્યું કે […]
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદીયાના નિવેદનના કારણે રાજધાનીમાં કોરોનાને લઈ ડર ઉભો થયો. અમે કોરોના સામે લડવા માટે તૈયાર છીએ. દિલ્હીની સરકાર તરફથી 31 જુલાઈ સુધી 5.50 લાખ કેસ પહોંચવાની વાત કહેવામાં આવી રહી છે. ત્યારે દિલ્હીમાં એવું નહીં થાય. કોરોનાના આટલા કેસ દિલ્હીમાં નહીં આવે. ગૃહપ્રધાને કહ્યું કે દિલ્હીમાં કોરોનાના ટેસ્ટ ચાર ગણા વધારી દેવામાં આવ્યા છે. દિલ્હીમાં પ્રતિદિવસ 16 હજાર ટેસ્ટ થઈ રહ્યા છે. દિલ્હીમાં કમ્યુનિટી સ્પ્રેડ થયું નથી. કોરોનાથી ગભરાવવાની જરૂર નથી. દિલ્હીમાં 30 જૂન સુધી કન્ટેન્ટમેન્ટ ઝોનના દરેક ઘરનું સર્વેક્ષણ થઈ જશે. ત્યારબાદ દિલ્હીમાં ઘરે-ઘરે સર્વેક્ષણ કરવામાં આવશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો