Uttarakhand : ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે 64 લોકોના મોત, ગૃહપ્રધાન અમિત શાહે પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યુ

ગૃહમંત્રી અમિત શાહે માહિતી આપી હતી કે ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટનાઓમાં અત્યાર સુધીમાં કુલ 64 લોકોના મોત થયા છે, જ્યારે 11થી વધુ લોકો ગુમ છે.

Uttarakhand : ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે 64 લોકોના મોત, ગૃહપ્રધાન અમિત શાહે પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યુ
HM Amit Shah
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 21, 2021 | 4:55 PM

Uttarakhand: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (HM Amit Shah) ઉત્તરાખંડ (Uttarakhand)ના વરસાદ પ્રભાવિત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું. હાલ સૌથી વધુ અસરગ્રસ્ત કુમાઉ વિસ્તારમાં કનેક્ટિવિટી પુન:સ્થાપિત કરવા અને સંવેદનશીલ વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024

અસરગ્રસ્ત વિસ્તારોનું ગૃહપ્રધાન અમિત શાહે નિરીક્ષણ કર્યુ

અસરગ્રસ્ત વિસ્તારોનો હવાઈ સર્વે કર્યા બાદ પરત આવેલા ગૃહમંત્રી અમિત શાહે (Home Minister Amit Shah) દહેરાદૂનમાં મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઉત્તરાખંડના રાજ્યપાલ, મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી,( CM Pushkar Singh Dhami,) આપત્તિ વ્યવસ્થાપન મંત્રી અને અધિકારીઓ સાથે દેવભૂમિમાં થયેલી દુર્ઘટનાનું હવાઈ નિરીક્ષણ કર્યુ. સાથે તેમણે રાજ્ય અને કેન્દ્રના ઉચ્ચ અધિકારીઓ સાથે આ દુર્ઘટનાને લઈને બેઠક કરી હતી.

ગૃહમંત્રી અમિત શાહે અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે ઉત્તરાખંડમાં કુદરતી આપત્તિ અંગે રાજ્ય અને કેન્દ્રીય અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. સાથે જ સમયસર વરસાદની ચેતવણીને (Rain Forecast) કારણે નુકસાનને નિયંત્રિત કરી શકાયુ. સ્થિતિ સામાન્ય થતાં હાલ ચાર ધામ યાત્રા ફરી શરૂ કરી દેવામાં આવી છે.

અત્યાર સુધીમાં 64 લોકોના મોત થયા

ગૃહ પ્રધાન અમિત શાહે માહિતી આપી હતી કે ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટનાઓમાં અત્યાર સુધીમાં કુલ 64 લોકોના મોત થયા છે. જ્યારે 11થી વધુ લોકો ગુમ છે. હાલ નૈનીતાલ, અલમોડા, હલ્દવાનીમાં રસ્તાઓ સંપૂર્ણપણે ખોલવામાં આવ્યા છે. આ સિવાય પાવર સ્ટેશનની કામગીરી પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.

બચાવ કામગીરી પૂરજોશમાં

વધુમાં શાહે જણાવ્યું હતું કે 3500થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને 16,000થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. રાહત અને બચાવ કાર્ય માટે એનડીઆરએફની(NDRF) 17 ટીમો, એસડીઆરએફની 7 ટીમો, પીએસીની 15 કંપનીઓ, 5000થી વધુ પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: ઉત્તરાખંડમાં મેઘ તાંડવ ! ભારે વરસાદને પગલે અનેક ગામમાં પૂરની સ્થિતિ, વહિવટી તંત્ર એલર્ટ પર

આ પણ વાંચો: મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે ફરી સમીર વાનખેડેની ભૂમિકા પર ઉઠાવ્યા સવાલ, વાનખેડેની બહેન જાસ્મીનની તસવીર પોસ્ટ કરી લગાવ્યો આરોપ

Latest News Updates

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">