અમરનાથ યાત્રાઃ મોટી સંખ્યામાં ગુજરાતીઓ પહોંચ્યા છે પરંતુ આ કારણથી યાત્રાને રોકી દેવાઈ

જમ્મુ કાશ્મીરમાં અલગાવવાદીઓની હરકરતના કારણે અમરનાથ યાત્રા પર અસર પડી રહી છે. અલગાવવાદીઓ દ્વારા બંધનું એલાન કરાયું છે. જેથી એક દિવસ માટે યાત્રાને વિરામ આપી દેવાયો છે. જેને લઈને શ્રદ્ધાળુઓનો જથ્થો આગળ વધી શક્યો નથી. યાત્રાએ નીકળેલા શ્રદ્ધાળુને આજે જમ્મુ કાશ્મીર જવાની મનાઈ ફરમાવી હતી. અલગાવવાદીઓના બંધના કારણે સુરક્ષા દળો પણ એલર્ટ પર છે. ઘાટીમાં […]

અમરનાથ યાત્રાઃ મોટી સંખ્યામાં ગુજરાતીઓ પહોંચ્યા છે પરંતુ આ કારણથી યાત્રાને રોકી દેવાઈ
Follow Us:
| Updated on: Jul 13, 2019 | 2:03 PM

જમ્મુ કાશ્મીરમાં અલગાવવાદીઓની હરકરતના કારણે અમરનાથ યાત્રા પર અસર પડી રહી છે. અલગાવવાદીઓ દ્વારા બંધનું એલાન કરાયું છે. જેથી એક દિવસ માટે યાત્રાને વિરામ આપી દેવાયો છે. જેને લઈને શ્રદ્ધાળુઓનો જથ્થો આગળ વધી શક્યો નથી. યાત્રાએ નીકળેલા શ્રદ્ધાળુને આજે જમ્મુ કાશ્મીર જવાની મનાઈ ફરમાવી હતી. અલગાવવાદીઓના બંધના કારણે સુરક્ષા દળો પણ એલર્ટ પર છે. ઘાટીમાં સુરક્ષાને પણ વધારી દેવાઈ છે. અલગાવવાદીઓનું સંયુક્ત સંગઠન જોઈન્ટ રજિસ્ટેંસ લીડરશીપે બંધનું એલાન કર્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

8 જુલાઈએ પણ યાત્રા રોકી હતી

આ પહેલા 8 જુલાઈના દિવસે હિજબુલ કમાન્ડર આતંકી બુરહાન વાનીની વરસીને લઈ અલગાવવાદીઓ દ્વારા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેને લઈને પણ યાત્રીકોના જથ્થાને રોકી દેવાયો હતો. 8 જુલાઈ 2016ના દિવસે અનંતનાગ જિલ્લામાં બે અન્ય આતંકી સાથે ઠાર મરાયો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અમરનાથ યાત્રા પર રાજનીતિ

અમરનાથ યાત્રા પર રાજનીતિ થતી હોવાનું પણ દેખાઈ રહ્યું છે. PDP અધ્યક્ષ મહબૂબા મુફ્તીએ કહ્યું કે, અમરનાથ યાત્રાને લઈ ઉભી કરાતી સુરક્ષા વ્યવસ્થા કાશ્મીરના લોકોના હક વિરુદ્ધની છે. લોકોને દર વર્ષે મુશ્કેલી ઉઠાવી પડી રહી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

1.44 લાખ શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યા

અમરનાથ યાત્રા માટે શુક્રવારના રોજ જમ્મુથી 5,395 શ્રદ્ધાળુનો એક જથ્થો રવાના થયો છે. આ વર્ષ 1 જુલાઈથી યાત્રાની શરૂઆત થઈ હતી અને 12 જુલાઈ સુધી 1.44 લાખથી વધારે ભક્તોએ બાબા બર્ફાનીના દર્શન કર્યા છે.

ભક્તોની આસ્થા મુજબ અમરનાથ ગુફામાં બરફની વિશાળ શિવલિંગ બને છે. જે ભગવાન શિવની શક્તિઓની પ્રતિક છે. ભક્તોને પવિત્ર ગુફા સુધી પહોંચવા માટે 14 કિમીનો લંબે બાલટાલ રસ્તા પરથી અથવા 45 કિમી લાંબા રસ્તા દ્વારા પસાર થવું પડે છે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">