Ladakhનાં અગ્રીમ વિસ્તારોમાંથી સૈનિકો પાછા ખેંચવા ફરી સંમતિ, પણ અવળચંડુ ચીન કરશે અમલ?

Ladakh : ભારત અને ચીન વચ્ચે 10 મા રાઉન્ડની વાતચીત ટૂંક સમયમાં કરવામાં આવશે. એલએસી (LAC)પર તૈનાત સૈનિકો પર સંયમ રાખવાના અસરકારક પ્રયાસો ચાલુ રાખવા બંને પક્ષો સંમત થયા છે.

Ladakhનાં અગ્રીમ વિસ્તારોમાંથી સૈનિકો પાછા ખેંચવા ફરી સંમતિ, પણ અવળચંડુ ચીન કરશે અમલ?
IndVsChin
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Jan 26, 2021 | 3:21 PM

Ladakh: ભારત અને ચીન વચ્ચે 10 મા રાઉન્ડની વાતચીત ટૂંક સમયમાં કરવામાં આવશે. સોમવારે સૈન્યની વાતચીત બાદ ભારત-ચીન સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સીમા પાર તણાવ ઘટાડવા સંયુક્તપણે કોર્પ્સ કમાન્ડર કક્ષાએ દસમા રાઉન્ડની વાટાઘાટો માટે ભારત (Indian Army) અને ચીની સૈન્ય ટૂંક સમયમાં મળવા સંમત થયા છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એલએસી (LAC) પર પરિસ્થિતિને સ્થિર અને નિયંત્રણમાં રાખવા માટે અસરકારક પ્રયાસો ચાલુ રાખવા બંને પક્ષો સંમત થયા છે. આજે યોજાયેલી લશ્કરી વાટાઘાટો અંગે જણાવવામાં આવ્યું હતું કે વાતચીત સકારાત્મક, વ્યવહારુ અને રચનાત્મક છે જેનાથી પરસ્પર વિશ્વાસ વધશે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

એલએસી (LAC)પર તૈનાત સૈનિકો પર સંયમ રાખવાના અસરકારક પ્રયાસો ચાલુ રાખવા બંને પક્ષો સંમત થયા છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને પક્ષોએ સૈનિકોને હટાવવા અંગે સ્પષ્ટ અને મંતવ્યની આપ-લે કરી છે. સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને પક્ષો આગળના વિસ્તારોમાંથી સૈનિકો ઝડપથી પાછા ખેંચવા સંમત થયા છે. જો કે, પ્રશ્ન હજી બાકી છે કે શું ચીન વાટાઘાટોમાં સંમત કરારને અમલ કરશે? કારણ કે ભૂતકાળમાં તેણે આવી સંમતિ વ્યક્ત કરી હતી, પરંતુ હકીકતમાં હજી સુધી કોઈ ફેરફાર થયો નથી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">