ચિંતાજનક: ડબલ મ્યુટન્ટ વેરિયન્ટ પછી, હવે ભારતમાં કોરોનાના ત્રિપલ મ્યુટન્ટે વધારી ચિંતા
કોરોનાના ડબલ મ્યુટન્ટ બાદ આ 3 રાજ્યમાં કોરોનાના ત્રિપલ મ્યુટન્ટના કિસ્સા સામે આવતા વૈજ્ઞાનિકોની ચિંતા વધી ગઈ છે. જાણો વિગત.
દેશમાં કોરોના વાયરસ સામે તીવ્ર લડતમાં વધુ ગંભીર પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યાર સુધી, કોરોના વાયરસના ડબલ મ્યુટન્ટ્સે ચિંતા વધારી હતી, તો હવે આના ત્રિપલ મ્યુટન્ટ પણ સામે આવ્યા છે. મહારાષ્ટ્ર, દિલ્હી અને બંગાળમાં ત્રિપલ મ્યુટન્ટ્સના ચેપ લાગવાના કેટલાક કિસ્સા સામે આવ્યા છે. ત્રિપલ મ્યુટન્ટનો અર્થ એ છે કે કોરોના વાયરસના ત્રણ જુદા જુદા સ્ટ્રેઇન ભેગા થઈને એક નવો પ્રકાર બની ગયા છે. વૈજ્ઞાનિકો માને છે કે વિશ્વભરમાં ચેપના નવા કેસોમાં મોટો વધારો વાયરસના નવા પ્રકારોને કારણે છે. મૈકગિલ યુનિવર્સિટીના રોગશાસ્ત્ર વિભાગના પ્રોફેસર ડો.મધુકર પાઠીએ કહ્યું, ‘આ એકદમ વધુ પરિવર્તનશીલ પ્રકાર છે. આ ઘણા બધા લોકોને ખૂબ જ ઝડપથી માંદા બનાવી રહ્યું છે. આપણે રસી બદલવાની જરૂર છે. આ માટે, આપણે રોગને સમજવો પડશે. આપણે યુદ્ધના ધોરણે સિક્વન્સીંગ બનાવવાની જરૂર છે.’
ભારત માટે નવા વેરીયંટથી સંક્રમિત થનારા કેસોની જીનોમ સિક્વન્સીંગ એક મોટો પડકાર છે. ભારતમાં અત્યાર સુધીમાં નોંધાયેલા તમામ કેસોમાં એક ટકા કરતા પણ ઓછા જિનોમ સિક્વન્સીંગ થયા છે. અત્યારે ભારતમાં 10 લેબમાં જિનોમ સિક્વન્સીંગ કરવામાં આવી રહ્યું છે. ડો.પઈના જણાવ્યા અનુસાર, ડબલ મ્યુટન્ટ્સની શોધમાં વિલંબને લીધે, નવા કેસોમાં આટલો વધારો થઇ રહ્યો છે. તેમના મતે, વાયરસ જેટલો ફેલાય છે, તેટલું પરિવર્તન થાય છે અને તે નકલ કરે છે. થોડા દિવસો પહેલા ભારતમાં મહારાષ્ટ્ર અને પંજાબમાં ડબલ મ્યુટન્ટ્સના કેસ નોંધાયા હતા. હવે આ બંને રાજ્યો તેમજ બંગાળમાં ત્રિપલ મ્યુટન્ટના કેસો મળી આવ્યા છે.
ત્રિપલ મ્યુટન્ટ વધુ જીવલેણ હોઈ શકે છે
વૈજ્ઞાનિકોના મતે અભ્યાસથી કોરોના વાયરસના ત્રિપલ મ્યુટન્ટ વેરિઅન્ટ કેટલા જીવલેણ અથવા ચેપી છે તેના વિશે માહિતી મળશે. અધ્યયનમાં જાણવા મળ્યું છે કે ડબલ મ્યુટન્ટ માત્ર ઝડપથી ફેલાતો જ નથી, પરંતુ તે બાળકોને પણ ઘેરી લે છે. ડબલ મ્યુટન્ટ વધુ ગંભીર પેથોજેન્સ હોવાનું જાણવા મળ્યું છે.
વેક્સિનની કેટલી છે અસર
વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, ત્રિપલ મ્યુટન્ટ વેરિઅન્ટ વિશે વધારે અભ્યાસ કરવામાં આવ્યો નથી, તેથી તે કહેવું ખૂબ જ મુશ્કેલ છે કે તેના પર કઈ રસી કામ કરશે અને કઈ નથી. જો કે, વાયરસના ત્રણ પ્રકારોમાંના, જે પ્રકારો મળીને ત્રિપલ મ્યુટન્ટ બનાવ્યો છે, તેમાં બે પ્રકારો એન્ટિબોડીઝને છેતરવામાં સક્ષમ હતા. તેથી, વૈજ્ઞાનિકો માને છે કે ત્રિપલ મ્યુટન્ટ્સમાં પણ શરીરમાં કોરોના વાયરસ સામે કુદરતી રીતે થતી રોગપ્રતિકારક શક્તિને છેતરી જવાની થોડી ક્ષમતા હશે.
આ પણ વાંચો: દિલ્હી હાઇકોર્ટની કેન્દ્રને ફટકાર: ‘હજારો લોકો મરી રહ્યા છે, ત્યારે સ્ટીલ પ્લાન્ટ ચલાવવા તમારી પ્રાથમિકતા?’