6 મેના દિવસે પાંચમા તબક્કાની ચૂંટણી પુરી થયા બાદ તમામ પાર્ટીઓના સ્ટાર પ્રચારકોના પૂર્વાચલ તરફ ઘોડા દોડશે, પૂર્વાચલમાં જાણો કેવો જામશે જંગ
છઠ્ઠા તબક્કાની ચૂંટણી પૂરી થયા બાદ સ્ટાર પ્રચારકો પૂર્વાચલમાં ઘોડા દોડાવશે, PM મોદી, પ્રિયંકા ગાંધી અને યોગી આદિત્યનાથ સહિતના નેતાઓ આ તમા જગ્યાએ કરશે પ્રચાર 6 મેના દિવસે એટલે આવતીકાલે પાંચમાં તબક્કાની ચૂંટણી પૂરી થયા બાદ સ્ટાર પ્રચારકો પૂર્વાચલ તરફ આગળ વધશે. છઠ્ઠા ચરણમાં ખાસ કરીને જૌનપુર, મછલી શહેર આઝમગઢ, લાલગંજ અને ભદોહીની બેઠક પર […]
છઠ્ઠા તબક્કાની ચૂંટણી પૂરી થયા બાદ સ્ટાર પ્રચારકો પૂર્વાચલમાં ઘોડા દોડાવશે, PM મોદી, પ્રિયંકા ગાંધી અને યોગી આદિત્યનાથ સહિતના નેતાઓ આ તમા જગ્યાએ કરશે પ્રચાર
6 મેના દિવસે એટલે આવતીકાલે પાંચમાં તબક્કાની ચૂંટણી પૂરી થયા બાદ સ્ટાર પ્રચારકો પૂર્વાચલ તરફ આગળ વધશે. છઠ્ઠા ચરણમાં ખાસ કરીને જૌનપુર, મછલી શહેર આઝમગઢ, લાલગંજ અને ભદોહીની બેઠક પર મતદાન યોજાશે. જેને લઈને PM મોદી આજે ભદોહીમાં જનસભાને સંબોધન કરશે. તો કોંગ્રેસના સ્ટાર પ્રચારક અને રાહુલ ગાંધીના નાના બહેન પ્રિયંકા 9 મેના રોજ ભટપુરામાં સભાને સંબોધન કરશે. તો બીજી તરફ ઉત્તર પ્રદેશના જંગમાં અખિલેશ અને માયાવતી એક સાથે જૌનપુર ખાતે 8 મેના રોજ સભાને સંબોધન કરશે.
તો ભાજપના સૌથી જાણીતા અને સ્ટાર પ્રચારક યોગી આદિત્યનાથ આજકાલ મછલી શહેરમાં પોતાના ભાષણની રેલમછેલ કરી રહ્યા છે. તો હિંદુવાદી નેતાની છાપ ધરાવતા સંગીત સોમ મલ્હની ક્ષેત્રમાં રોડ શો કરી રહ્યા છે.
મહત્વનું છે કે ઉત્તર પ્રદેશ દિલ્હી જવાનો વાયા રસ્તો માનવામાં આવે છે. જેને લઈને ભાજપ, કોંગ્રેસ અને સપા-બસપાનું ગંઠબંધન જોર લગાવી રહ્યું છે. 2014ની ચૂંટણીમાં ભાજપે વાઈટ વોશ જેવી પરિસ્થિતિ ઉભી કરી દીધી હતી. ત્યારે આ વખતે કોંગ્રેસ અને સપા-બસપા જોર લગાવી રહી છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]