ભારતમાં 15 વર્ષ બાદ કોઇ રાષ્ટ્રપતિ કરશે રેલ્વે યાત્રા, કાનપુર જશે રામનાથ કોવિંદ

રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ શુક્રવારે ઉત્તર પ્રદેશના કાનપુરમાં તેમના જન્મસ્થળ રેલ્વેથી પહોંચશે. રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદની વિશેષ ટ્રેન 25 જૂને દિલ્હીના સફદરજંગ રેલ્વે સ્ટેશનથી દોડશે અને સાંજે કાનપુર પહોંચશે.

ભારતમાં 15 વર્ષ બાદ કોઇ રાષ્ટ્રપતિ કરશે રેલ્વે યાત્રા, કાનપુર જશે રામનાથ કોવિંદ
ભારતમાં 15 વર્ષ બાદ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ કરશે રેલ્વે યાત્રા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2021 | 3:24 PM

રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ(Ram Nath Kovind)શુક્રવારે ઉત્તર પ્રદેશના કાનપુરમાં તેમના જન્મસ્થળ પહોંચશે. આ 15 વર્ષમાં પ્રથમ વાર હશે જ્યારે દેશના રાષ્ટ્રપતિ રેલવે(Railway)મુસાફરી કરશે. રાષ્ટ્રપતિ ઉત્તર પ્રદેશના જૂના મિત્રો, સ્કૂલના સહપાઠીઓને અને સબંધીઓને મળશે. એવું કહેવામાં આવ્યું છે કે કાનપુર સેન્ટ્રલના ચાર પ્લેટફોર્મ પરનો ટ્રાફિક રાષ્ટ્રપતિના આગમનના એક કલાક પહેલા અને બાદમાં એક કલાક માટે બંધ રહેશે.

વિશેષ ટ્રેન 25 જૂને દિલ્હીના સફદરજંગ રેલ્વે સ્ટેશનથી દોડશે

રાષ્ટ્રપતિ ભવન દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેઓ પહેલાથી જ જવા માંગતા હતા પરંતુ કોરોના રોગચાળાને કારણે તે શક્ય ન હતું. રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ(Ram Nath Kovind)ની વિશેષ ટ્રેન 25 જૂને દિલ્હીના સફદરજંગ રેલ્વે(Railway) સ્ટેશનથી દોડશે અને સાંજે કાનપુર પહોંચશે. વિશેષ ટ્રેનમાં બે સ્ટોપેજ હશે. પ્રથમ ઝિંઝક અને બીજુ કાનપુરનું રુરા છે. જ્યાં રાષ્ટ્રપતિ તેમના જૂના પરિચિતોને મળશે. આ બંને સ્ટોપ તેના ગામ પરોખ પાસે રાખવામાં આવ્યા છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

29 જૂને તે ખાસ ફ્લાઇટથી દિલ્હી પરત આવશે

રાષ્ટ્રપતિ ભવનના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ(Ram Nath Kovind) 25 જૂનના રોજ સાંજે આ સ્થળે પહોંચશે. જ્યારે 27 જૂને ગામમાં બે સ્વાગત કાર્યક્રમો થશે અને 28 જૂને કોવિંદ કાનપુર સેન્ટ્રલથી લખનૌ સુધીની જ ટ્રેનમાં બે દિવસીય પ્રવાસ કરશે. 29 જૂને તે ખાસ ફ્લાઇટથી દિલ્હી પરત આવશે. આ ટ્રેનમાં તેમના માટે એક ખાસ સલૂન હશે. જે તમામ પ્રકારની અત્યાધુનિક સુવિધાથી સજ્જ હશે. આ ટ્રેન માટે ટ્રાયલ પણ પૂર્ણ થઈ ગઈ છે.

ઉલ્લેખનીય છે કે આ પૂર્વે વર્ષ 2006 ની શરૂઆતમાં તત્કાલીન રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ ખાસ ટ્રેનથી દિલ્હીથી દહેરાદૂન ગયા હતા. જ્યાં તેમણે ભારતીય સૈન્ય એકેડેમીની પાસિંગ આઉટ પરેડમાં ભાગ લીધો હતો.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">