Afghanistan Crisis: અફઘાનિસ્તાન મુદ્દે ભારત રાખી રહ્યું છે નજર, એસ જયશંકરે ઈરાન, કેનેડા અને બ્રિટેનના વિદેશ મંત્રીઓ સાથે કરી ચર્ચા
ભારતીય રાજદૂત અને તાલિબાન નેતા વચ્ચેની મુલાકાત તાલિબાનની વિનંતી પર દોહા સ્થિત ભારતીય દૂતાવાસ ખાતે થઈ હતી.
Afghanistan Crisis : વિદેશ મંત્રી એસ જયશંકરે બુધવારે તેમના નવા નિયુક્ત ઈરાની હુસેન અમીર અબ્દુલ્લાહિયાન સાથે વાત કરી અને અફઘાનિસ્તાનની સ્થિતિ તેમજ દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી. ઈરાનની સંસદે ગયા સપ્તાહે રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીના નવા મંત્રીમંડળમાં દેશના વિદેશ મંત્રી તરીકે અમીર અબ્દુલ્લાહિયાંની નિમણૂકને મંજૂરી આપી હતી.
2011 થી 2016 વચ્ચે અરબ અને આફ્રિકન બાબતો માટે ઈરાનના નાયબ વિદેશ મંત્રી તરીકે સેવા આપનાર અમીર અબ્દુલ્લાહિયાને મોહમ્મદ જવાદ ઝરીફની જગ્યા લીધી છે.
જયશંકરે ટ્વિટ કર્યું, “ઈરાનના વિદેશ મંત્રી અમીર અબ્દુલ્લાહિયાને ફોન કરીને શુભેચ્છા પાઠવી. અમે અમારા દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવા સંમત થયા. પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કરી. અમે ઇરાન દ્વારા અફઘાનિસ્તાનથી અમારી ફ્લાઇટ્સના સંચાલન માટે આપવામાં આવેલી સહાયની પ્રશંસા કરીએ છીએ.
જયશંકરે બુધવારે તેમના બ્રિટિશ સમકક્ષ ડોમિનિક રાબ સાથે અફઘાનિસ્તાનની સ્થિતિ અંગે પણ વાત કરી હતી. એક સપ્તાહમાં તેમની આ પ્રકારની બીજી વાતચીત છે. અફઘાનિસ્તાનમાં ઝડપથી બદલાતી ઘટનાઓ સાથે, ખાસ કરીને તાલિબાનોએ 15 ઓગસ્ટના રોજ દેશ પર કબજો જમાવ્યા બાદ, ભારત તમામ મોટા દેશો સાથે સતત સંપર્કમાં છે.
જયશંકરે ટ્વિટ કર્યું, “યુકેના વિદેશ મંત્રી ડોમિનિક રાબ સાથે ફરી વાત કરીને આનંદ થયો. આ વાતચીત અફઘાનિસ્તાન સંબંધિત વિકાસ પર કેન્દ્રિત હતી. જયશંકર અને રાબ વચ્ચેની વાતચીત અફઘાનિસ્તાનમાંથી અમેરિકાના સૈનિકો પરત ફર્યાના એક દિવસ પછી આવી. અમેરિકાએ અફઘાનિસ્તાનમાં બે દાયકાથી ચાલી રહેલા યુદ્ધનો અંત લાવ્યો છે.
Nice speaking again to UK Foreign Secretary @DominicRaab.
Conversation focused on Afghanistan related developments.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) September 1, 2021
આ પહેલા 25 ઓગસ્ટે વિદેશ મંત્રીએ અફઘાનિસ્તાન સંકટ પર રાબ સાથે પણ વાત કરી હતી. એસ જયશંકરે કેનેડાના વિદેશ મંત્રી માર્ક ગાર્નો સાથે વાત કરી. તેમણે ટ્વિટર પર જણાવ્યું હતું કે, કેનેડાના વિદેશ મંત્રી માર્ક ગાર્નો સાથે અફઘાનિસ્તાનના પડકારો પર સારી વાતચીત થઈ હતી.
જયશંકરે બુધવારે ઓમાનના વિદેશ મંત્રી સૈયદ બદર અલ્બુસૈદી સાથે પણ વાત કરી હતી. તેમણે ટ્વિટ કર્યું, “ઓમાનના વિદેશ મંત્રી બદર અલ્બુસૈદી સાથે વાત કરીને આનંદ થયો. અફઘાનિસ્તાન અને કોવિડ પર ચર્ચા કરી.
ભારત અફઘાનિસ્તાનના વિકાસ પર નજીકથી નજર રાખી રહ્યું છે. કતારમાં ભારતીય રાજદૂત દીપક મિત્તલ મંગળવારે વરિષ્ઠ તાલિબાન નેતા શેર મોહમ્મદ અબ્બાસ સ્તાનિકઝાઈને મળ્યા હતા. ભારતીય રાજદૂત અને તાલિબાન નેતા વચ્ચેની મુલાકાત તાલિબાનની વિનંતી પર દોહા સ્થિત ભારતીય દૂતાવાસ ખાતે થઈ હતી.
આ પણ વાંચો: Maharashtra : અનિલ દેશમુખના જમાઈની સીબીઆઈ દ્વારા અટકાયત, 20 મિનિટની પૂછપરછ બાદ છુટકારો
આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, વૃષભ 02 સપ્ટેમ્બર: નજીકના સબંધો પર થઈ શકે છે ગંભીર અસર, વાણી પર રાખો નિયંત્રણ