અદાણી ગ્રુપની સ્પષ્ટતા, ગૌતમ અદાણીને રાજકારણમાં પ્રવેશને લઇને કોઈ જ રસ નથી

15 રાજ્યોમાં રાજ્યસભાની (Rajya Sabha) 57 બેઠકો માટે 10 જૂને ચૂંટણી યોજાનાર છે. આ તમામ બેઠકોના સાંસદોનો કાર્યકાળ જૂનથી ઓગસ્ટ વચ્ચે પૂર્ણ થઈ રહ્યો છે.

અદાણી ગ્રુપની સ્પષ્ટતા, ગૌતમ અદાણીને રાજકારણમાં પ્રવેશને લઇને કોઈ જ રસ નથી
અદાણી ગ્રુપની રાજકારણમાં પ્રવેશ બાબતે સ્પષ્ટતા (ફાઇલ)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 15, 2022 | 1:38 PM

તાજેતરમાં ગૌતમ અદાણીના (Gautam Adani)રાજકારણમાં પ્રવેશને લઇને અફવાઓ વહેતી થઇ હતી. ત્યારે આ બાબતે અદાણી ગ્રુપ (Adani Group)દ્વારા એક સ્પષ્ટતા કરવામાં આવી છે. અદાણી ગ્રુપે શનિવારે એક સત્તાવાર નિવેદન જાહેર કર્યું છેકે ગૌતમ અદાણીના રાજકારણમાં (politics) કોઇ રસ નથી.નોંધનીય છેકે રાજ્યસભાની ખાલી પડેલી બેઠકો માટે ચૂંટણીની (ELECTION) જાહેરાત થઇ. ત્યારે અહેવાલોમાં એવો દાવો કરાયો કે અદાણી ગ્રુપના માલિક ગૌતમ અદાણી અથવા તેમની પત્ની પ્રીતિ અદાણીને કોઈપણ રાજકીય પક્ષ તરફથી રાજ્યસભામાં(Rajya Sabha) જઇ શકે છે. આ સમાચાર બાદ અદાણી ગ્રુપે આ અંગે ખુલાસો કરવાની ફરજ પડી હતી.

અદાણી ગ્રુપે પોતાના નિવેદનમાં લખ્યું – કેટલાક લોકો પોતાના ફાયદા માટે નામ ખરાબ કરી રહ્યા છે. અદાણી ગ્રૂપે સોશિયલ મીડિયા પર લખ્યું- અમે સમાચારથી વાકેફ છીએ, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે ગૌતમ અદાણી અથવા ડૉ. પ્રીતિ અદાણીને રાજ્યસભાની સીટ આપવામાં આવી શકે છે. આ સમાચાર ખોટા છે. જ્યારે પણ રાજ્યસભામાં કોઈ જગ્યા ખાલી હોય છે ત્યારે આવા સમાચાર આવવા લાગે છે. તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે કેટલાક લોકો પોતાના ફાયદા માટે અમારું નામ તેમના રિપોર્ટમાં ઢસડી રહ્યા છે. ગૌતમ અદાણી, પ્રીતિ અદાણી અને અદાણી પરિવારના કોઈપણ સભ્યની રાજકીય કારકિર્દી કે અન્ય કોઈ રાજકીય પક્ષમાં જોડાવામાં કોઈ રસ નથી.

અદાણી ગ્રુપ દ્વારા રાજકારણમાં પ્રવેશ અંગે સ્પષ્ટતા કરાઇ

એક રિપોર્ટ્સમાં દાવો કરાયો હતો કે અદાણી પરિવારના સભ્યને આંધ્રમાંથી રાજ્યસભામાં મોકલી શકાય છે. તાજેતરના અહેવાલોમાં એવો દાવો થયો હતો કે જૂનમાં આંધ્ર પ્રદેશમાં રાજ્યસભાની 4 બેઠકો ખાલી થવા માટે લોબિંગ તેજ થયું છે. 21મી જૂને વી.વિજયસાઈ રેડ્ડી, ટી.ડી. વેંકટેશ, વાય.એસ. ચૌધરી અને સુરેશ પ્રભુ નિવૃત્ત થઈ રહ્યા છે. તેમની બેઠકો માટે 6 નામો આગળ ચાલી રહ્યા છે. તેમાં અદાણી પરિવારના સભ્યોનું નામ પણ સામેલ કરવામાં આવ્યું હતું.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે જો ગ્રુથ દ્વારા આવી કોઈ વિનંતી કરવામાં આવે તો આંધ્રના સીએમ જગન મોહન રેડ્ડી ગૌતમ અદાણી કે તેમના પરિવારના સભ્યને રાજ્યસભામાં મોકલવાનું વિચારી શકે છે.

રાજ્યસભાની 57 બેઠકો માટે 10 જૂને મતદાન થવાનું છે​​​​​​​

15 રાજ્યોમાં રાજ્યસભાની 57 બેઠકો માટે 10 જૂને ચૂંટણી યોજાનાર છે. આ તમામ બેઠકોના સાંસદોનો કાર્યકાળ જૂનથી ઓગસ્ટ વચ્ચે પૂર્ણ થઈ રહ્યો છે. ભાજપની નજર રાજ્યસભામાં પણ બહુમતી મેળવવા પર છે. 245 બેઠકોમાંથી ભાજપ પાસે 101 બેઠકો છે. ચૂંટણી પછી તેમની સંખ્યામાં વધારો જશે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">