Sidhu Moosewala Case: સિદ્ઘુ મૂસેવાલાની હત્યા બાદ આરોપી ગાડી માનસા જિલ્લામાં છોડી થઈ ગયા ફરાર, ફોરેન્સિક ટીમે કરી તપાસ
આ કેસમાં અત્યાર સુધીમાં 14 લોકોની અટકાયત કરવામાં આવી છે. જેમાંથી 6 માનસા અને 6 દહેરાદૂનમાંથી ઝડપાયા છે. આ બધા જ લોરેન્સ ગેંગની નજીક હોવાનું કહેવાય છે. તે જ સમયે પટિયાલામાંથી બે લોકોની અટકાયત કરવામાં આવી છે.
Sidhu Moosewala Murder Case: પંજાબી ગાયક અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મૂસેવાલાની (Sidhu Moosewala) હત્યા કર્યા પછી આરોપીઓ તેમની કાર માનસા જિલ્લામાં છોડી ગયા. આ પછી તેઓ ત્યાંથી બીજી કારમાં ફરાર થઈ ગયા હતા. ધરમકોટ (મોગા)ના એસએચઓ જસવરિન્દર સિદ્ધુ (SHO Jasvarinder Sidhu, Dharamkot) એ સોમવારે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ફોરેન્સિક ટીમે આવીને કારની સંપૂર્ણ તપાસ કરી છે. કારમાંથી ફિંગર પ્રિન્ટ લેવામાં આવી છે. કારમાંથી પાણીની બે બોટલ અને એક ગ્લાસ મળી આવ્યો છે. એસએચઓ જસવરિંદરે કહ્યું કે અમે વીડિયો ફૂટેજની તપાસ કરી રહ્યા છીએ. અમે કાર માનસા પોલીસને સોંપીશું.
Sidhu Moose Wala murder case | The accused left their cars in Mansa dist after the murder & got away in this car from there. We’re confirming the route from where they came. Forensic teams came & checked the car thoroughly: SHO Jasvarinder Sidhu, Dharamkot, Moga, Punjab pic.twitter.com/wdcmJbZZjs
— ANI (@ANI) May 30, 2022
મુસેવાલા પર 30થી વધુ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું
સિદ્ધુ મુસેવાલાની રવિવારે અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી હતી. સિદ્ધુ મુસેવાલા જ્યારે તેમના ઘરની બહાર નીકળ્યા ત્યારે રસ્તામાં આગળ અને પાછળથી 2-2 વાહનો આવ્યા અને તેમની કાર પર ફાયરિંગ કર્યું. કહેવામાં આવી રહ્યું છે કે 9 હુમલાખોરોએ મૂસેવાલા પર 3 હથિયારોથી 30થી વધુ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. સિદ્ધુ મુસેવાલાને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
અત્યાર સુધીમાં 14 લોકોની અટકાયત કરવામાં આવી
આ કેસમાં અત્યાર સુધીમાં 14 લોકોની અટકાયત કરવામાં આવી છે. જેમાંથી 6 માનસા અને 6 દહેરાદૂનમાંથી ઝડપાયા છે. આ બધા જ લોરેન્સ ગેંગની નજીક હોવાનું કહેવાય છે. તે જ સમયે પટિયાલામાંથી બે લોકોની અટકાયત કરવામાં આવી છે. આ લોકો બંબીહા જૂથ સાથે સંકળાયેલા હોવાનું કહેવાય છે.
આવતીકાલે સવારે 9 વાગ્યે મૃતદેહ સ્વજનોને સોંપવામાં આવશે
પંજાબી ગાયક અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મુસેવાલાના મૃતદેહનું આજે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પાંચ ડોક્ટરોની પેનલે તેના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર મંગળવારે સવારે 9 વાગ્યે મૃતદેહ તેના સંબંધીઓને સોંપવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર રિપોર્ટમાં આંતરિક અંગોમાં ઈજાના નિશાન જોવા મળ્યા છે.
ગોલ્ડી બરાર અને લોરેન્સ બિશ્નોઈ ગેંગે હત્યાની જવાબદારી લીધી હતી
ગોલ્ડી બરાર અને લોરેન્સ બિશ્નોઈ ગેંગે સિદ્ધુ મુસેવાલાની હત્યાની જવાબદારી સ્વીકારી છે. લોરેન્સ બિશ્નોઈ હાલમાં તિહાર 8 નંબરની જેલમાં મોટી સુરક્ષા વચ્ચે બંધ છે. સિદ્ધુ મુસેવાલાની હત્યા કેસમાં નોંધાયેલી એફઆઈઆરમાં લોરેન્સનું નામ નોંધાયેલું છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે તિહાર જેલમાં લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ શરૂ કરી છે. દિલ્હી પોલીસના સૂત્રોએ ન્યૂઝ એજન્સી ANIને આ માહિતી આપી છે.