Bhagwant Mann Marriage : પંજાબના સીએમ ભગવંત માન હરિયાણાના જમાઈ બન્યા, લગ્નમાં કેજરીવાલ સહિત પાર્ટીના અનેક મોટા નેતાઓ જોવા મળ્યા
Bhagwant Mann Marriage Pics: પંજાબના સીએમ ભગવંતત માન (Bhagwant Mann ) આજે બીજા લગ્ન કરવા જઈ રહ્યા છે, તે ડોક્ટર ગુરપ્રીત કૌરની સાથે લગ્નના બંધનમાં બંધાશે, આ લગ્નમાં કેજરીવાલ સહિત પાર્ટીના અનેક મોટા નેતાઓ હાજર રહ્યા છે,
Bhagwant Mann Marriage: આમ આદમી (AAP) પાર્ટીના નેતા અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન(Bhagwant Mann Marriage)આજે એટલે કે ગુરુવારના રોજ બીજા લગ્ન કરવા જઈ રહ્યાછે, તેના લગ્ન દરમિયાન કેટલાક ફોટો સામે આવ્યા છે જેમાં તે વરરાજાના ગેટઅપમાં જોવા મળી રહ્યા છે, એક ફોટોમાં તેના હાથમાં તલવાર પકડેલી જોવા મળી રહી છે, લગ્નના રિવાજો (Bhagwant Mann Marriage Pics)માં આપ સાંસદ રાઘવ ચઢ્ઢા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની હાજરી જોવા મળી હતી. બંન્ને માન સાથે દેખાયા હતા. સૌથી પહેલો ફોટો રાધવ ચઢ્ઢાએ તેના ટ્વિટર અકાઉન્ટ પર પોસ્ટ કરી લખ્યું કે, માન સાહેબને ખુબ ખુબ શુભકામના, ત્યારબાદ માનના અનેક ફોટો વાયરલ થઈ રહ્યા છે,
Chandigarh | Wedding rituals underway of Punjab CM Bhagwant Mann with Dr. Gurpreet Kaur pic.twitter.com/4QjnNsRXtg
— ANI (@ANI) July 7, 2022
Mann Sahab’s special day! #BhagwantMannWedding pic.twitter.com/WPWansRTH2
— Raghav Chadha (@raghav_chadha) July 7, 2022
Waheguru Ji Apne Bacche Utte Aashirwad Banaye Rakheo 🙏🏻 pic.twitter.com/snnmdTi1sw
— Raghav Chadha (@raghav_chadha) July 7, 2022
કોણ છે ડૉ. ગુરપ્રીત કૌર જેની સાથે ભગવંત માને લગ્ન કર્યા
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે ડૉ.ગુરપ્રીત કૌર સાથે લગ્ન કર્યા છે. ડો.ગુરપ્રીત કૌર હરિયાણાના પેહોવાના રહેવાસી છે. કૌરે તેનો મેડિકલ અભ્યાસ વર્ષ 2017માં પૂર્ણ કર્યો છે. ડૉ. ગુરપ્રીત કૌરની ભગવંત માનની બહેન સાથે સારી મિત્રતા છે, ત્યારબાદ જ તે ભગવંત માનને વર્ષ 2019માં મળી હતી. જ્યારે સીએમ ભગવંત માન અને ડૉ. ગુરપ્રીત કૌર પહેલીવાર મળ્યા ત્યારે માન સંગરુરથી લોકસભા સાંસદ હતા. ત્યારથી, ડૉ. કૌર સીએમ માનના તમામ મોટા કાર્યક્રમોમાં ભાગ લેવાનું ચાલુ રાખ્યું. જ્યારે ભગવંત માને પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારે ગુરપ્રીત કૌર પણ હાજર હતી.
Saade veer da vyah Saanu gode gode chah pic.twitter.com/0c09v6YG4N
— Raghav Chadha (@raghav_chadha) July 7, 2022
મનોરંજન ઉદ્યોગથી રાજકારણ સુધીની સફર
ભગવંત માન રાજકારણમાં આવતા પહેલા ઘણા વર્ષો સુધી પંજાબના મનોરંજન ઉદ્યોગમાં કામ કરતા હતા. જો કે હવે તે પોતાની કોમેડિયન ઈમેજ બદલવાનો પ્રયાસ કરી રહ્યો છે. ચૂંટણી પંચને આપેલા સોગંદનામામાં ભગવંત માને પોતાને વ્યવસાયે રાજકારણી ગણાવ્યા છે. દિલ્હીમાં વિરોધ કરી રહેલા ખેડૂતોનું સમર્થન કરતી વખતે તેમણે ગૃહમાં કૃષિ કાયદાઓ પર ભાષણ પણ આપ્યું હતું.એન્ટરટેનર તરીકે તેમની પ્રથમ ફિલ્મ ‘કચારી’ હતી. આ ફિલ્મ 1994માં રિલીઝ થઈ હતી. ભગવંત માન 2000 દરમિયાન સ્ટેન્ડ-અપ કોમેડી શો ‘ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’માં દેખાયા બાદ દેશમાં કોમેડી ક્ષેત્રે એક મોટો ચહેરો બની ગયા હતા.