આધાર કાર્ડની જાણકારી આપતા પહેલા વિચાર કરજો ખોટી જાણકારી આપવા પર લાગી શકે છે આટલો મોટો દંડ!
બજેટ જાહેર થયા પછી લોકો હવે 18 જરૂરી સેવાઓ માટે પાન કાર્ડની જગ્યાએ આધારકાર્ડનો ઉપયોગ કરી શકે છે પણ કોઈ પ્રકારની લેવડ-દેવડ કરતા સમયે જો તમે ખોટો આધાર નંબર આપ્યો તો તમને 10 હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે. અધિકૃત સુચના જાહેર થયા પછી આ નિયમ 1 સપ્ટેમ્બરથી લાગૂ થઈ શકે છે. આ આદેશ પહેલા […]
બજેટ જાહેર થયા પછી લોકો હવે 18 જરૂરી સેવાઓ માટે પાન કાર્ડની જગ્યાએ આધારકાર્ડનો ઉપયોગ કરી શકે છે પણ કોઈ પ્રકારની લેવડ-દેવડ કરતા સમયે જો તમે ખોટો આધાર નંબર આપ્યો તો તમને 10 હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે.
અધિકૃત સુચના જાહેર થયા પછી આ નિયમ 1 સપ્ટેમ્બરથી લાગૂ થઈ શકે છે. આ આદેશ પહેલા સંબંધિત વ્યક્તિની વાત સાંભળવામાં આવશે. તેના સંદર્ભમાં એક અધિકારીએ જણાવ્યું કે આવકવેરા અધિનિયમની કલમ 272 Bમાં પાન કાર્ડના ઉપયોગથી સંબંધિત ઉલ્લંઘનો પર દંડાત્મક કાર્યવાહી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તેના પહેલા CBDTના અધ્યક્ષ પ્રમોદ ચંદ્ર મોદીએ કહ્યું હતું કે પાન કાર્ડનો ઉપયોગ નિશ્ચિત રીતે ખત્મ થયો નથી અને બજેટમાં પાન કાર્ડ અને આધારકાર્ડને એક બીજાની જગ્યાએ ઉપયોગ કરવા માટે જણાવવામાં આવ્યુ છે.
તેમને વધુમાં જણાવ્યું કે આ મામલે જ્યાં આધાર કાર્ડના સંદર્ભ આપવામાં આવી રહ્યો છે અને ત્યાં પાન કાર્ડનો ઉલ્લેખ નથી. ઈન્કમ ટેક્ષ રિટર્ન ફાઈલ કરનારા વ્યક્તિને પાન કાર્ડ આપવાની સંભાવના વિશે વિચારી શકે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં કહ્યું હતું કે ભારતમાં 1.2 અરબ લોકોની પાસે આધાર કાર્ડ છે, જ્યારે તેની તુલનામાં પાન કાર્ડ માત્ર 22 કરોડ લોકોની પાસે છે. તેથી કરદાતા પાન કાર્ડ નંબર ન હોવાને લીધે આધાર કાર્ડ નંબરથી ઈન્કમ ટેક્ષ રિટર્ન ભરી શકે છે.
[yop_poll id=”1″]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]