Aadhaar Card: ચાર મહિનામાં 79 લાખથી વધુ બાળકોએ બાળ આધાર કાર્ડ માટે નોંધણી કરાવી

UIDAIએ કહ્યું કે હિમાચલ પ્રદેશ અને હરિયાણા જેવા રાજ્યોમાં પાંચ વર્ષ સુધીના 70 ટકાથી વધુ બાળકોની નોંધણી થઈ ચૂકી છે. જમ્મુ અને કાશ્મીર, મિઝોરમ, દિલ્હી, આંધ્રપ્રદેશ અને લક્ષદ્વીપ જેવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ દિશામાં ઘણું સારું કામ કરવામાં આવ્યું છે.

Aadhaar Card: ચાર મહિનામાં 79 લાખથી વધુ બાળકોએ બાળ આધાર કાર્ડ માટે નોંધણી કરાવી
Aadhaar Card
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2022 | 1:58 PM

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)એ આ વર્ષે એપ્રિલથી જુલાઈ વચ્ચે પાંચ વર્ષથી ઓછી ઉંમરના 79 લાખ બાળકોની નોંધણી કરી છે. સોમવારે એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપવામાં આવી હતી. નિવેદન અનુસાર, આ નોંધણી પાંચ વર્ષ સુધીના બાળકો માટે બાળ આધાર કાર્ડ (Aadhaar Card) બનાવવાની નવી પહેલના ભાગ રૂપે કરવામાં આવી છે અને માતા-પિતા અને બાળકોને ઘણા લાભો મેળવવામાં મદદ કરવામાં આવી છે. અહીં જાહેર કરાયેલા નિવેદન અનુસાર, ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણે આ નાણાકીય વર્ષના પ્રથમ ચાર મહિનામાં (એપ્રિલ અને જુલાઈ વચ્ચે) પાંચ વર્ષ સુધીના 79 લાખથી વધુ બાળકોની નોંધણી કરી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 31 માર્ચ, 2022 સુધીમાં, પાંચ વર્ષ સુધીના 2.64 કરોડ બાળકો પાસે બાળ આધાર કાર્ડ હતા, જે જુલાઈના અંતમાં વધીને 3.43 કરોડ થયા હતા.

UIDAIએ કહ્યું કે હિમાચલ પ્રદેશ અને હરિયાણા જેવા રાજ્યોમાં પાંચ વર્ષ સુધીના 70 ટકાથી વધુ બાળકોની નોંધણી થઈ ચૂકી છે. જમ્મુ અને કાશ્મીર, મિઝોરમ, દિલ્હી, આંધ્રપ્રદેશ અને લક્ષદ્વીપ જેવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ દિશામાં ઘણું સારું કામ કરવામાં આવ્યું છે. નિવેદન અનુસાર, દેશમાં લગભગ 94 ટકા લોકોનો આધાર બની ગયો છે, જ્યારે પુખ્ત વયના લોકોમાં આ દર 100 ટકા છે.

વોટર આઈડી સાથે આધાર લિન્કિંગ

આ પહેલા 10 ઓગસ્ટે માહિતી આપવામાં આવી હતી કે મતદાર આઈડીને આધાર નંબર સાથે લિંક કરવાના અભિયાનમાં રાજસ્થાન રાજ્ય આખા દેશમાં પ્રથમ સ્થાને છે, જ્યાં અત્યાર સુધીમાં 55 લાખથી વધુ મતદારોએ મતદાર આઈડીને આધાર નંબર સાથે લિંક કરી છે. આધાર કાર્ડ. મુખ્ય ચૂંટણી અધિકારી પ્રવીણ ગુપ્તાએ આ માહિતી આપી હતી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

અધિકારીએ જણાવ્યું હતું કે 1 ઓગસ્ટથી શરૂ થયેલા આ અભિયાનમાં અત્યાર સુધીમાં દેશભરમાં બે કરોડ 52 લાખ મતદાર ઓળખ કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવ્યા છે. જેમાંથી રાજ્યમાં 55 લાખ 86 હજાર 710 મતદારોએ તેમના આધાર કાર્ડને મતદાર ઓળખ કાર્ડ સાથે લિંક કર્યા છે.

આ પહેલા જુલાઈમાં આધાર કાર્ડને વોટર આઈડી સાથે લિંક કરવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. મતદાર યાદીને આધાર સાથે લિંક કરવાની જોગવાઈને લઈને ચૂંટણી અધિનિયમ (સુધારા) કાયદાને પડકારનાર કોંગ્રેસના નેતા રણદીપ સિંહ સુરજેવાલાને હાઈકોર્ટમાં જવાનું કહેવામાં આવ્યું હતું. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને એએસ બોપન્નાની બેન્ચે સુરજેવાલાના વકીલને પૂછ્યું કે શા માટે તેઓ અગાઉ હાઈકોર્ટમાં ગયા ન હતા. જોકે, બેન્ચે સુરજેવાલાને હાઈકોર્ટમાં જવાની સ્વતંત્રતા આપી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">