આસામમાં આવ્યો 6.4ની તીવ્રતાનો ભૂકંપ, જાનહાની કે મોટાપાયે નુકસાન નહી
અત્યાર સુધીની માહિતી અનુસાર આસામમાં અડધા કલાકમાં ભૂકંપના ( earthquake ) કુલ ત્રણ આંચકા અનુભવાયા હતા.
આસામના વિવિધ શહેર અને જિલ્લાઓમાં બુધવારે સવારે ધરતીકંપના ( earthquake ) આંચકા અનુભવાયા હતા. સવારે 7.51 વાગ્યે આ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.4 માપવામાં આવી છે. જો કે હાલમાં જાનહાનીના કે મોટાપાયે નુકસાન થયાનું જાણવા મળ્યું નથી. જો કે સરકારી તંત્ર નુકસાન અંગે તપાસ કરી રહ્યું છે.
દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આસામના મુખ્યપ્રધાન સર્વાનંદ સોનાવાલ સાથે ટેલિફોન ઉપર વાત કરીને ભૂંકપના આંચકા અંગે પ્રાથમિક જાણકારી મેળવી હતી. અને જરૂર પડ્યે બચાવ અને રાહત કામગીરી માટે કેન્દ્રની તમામ મદદ કરવાની ખાતરી આપી હતી.
અત્યાર સુધીની માહિતી અનુસાર આસામમાં અડધા કલાકમાં ભૂકંપના કુલ ત્રણ આંચકા અનુભવાયા હતા. આમાં ભૂકંપનો પ્રથમ આંચકાની તીવ્રતા 6.4 ની નોંધાઈ છે. આ પછી, 7.58 કલાકે વાગ્યે 4.3 ની તીવ્રતાનો ભુકંપ અનુભવાયો, ત્યારબાદ સવારે 8.01 વાગ્યે 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો.
આસામના મુખ્ય પ્રધાન સર્વાનંદ સોનોવાલે ટ્વિટ કર્યું છે કે તેઓ હવે ભૂકંપગ્રસ્ત જિલ્લાઓ વિશે માહિતી લઈ રહ્યા છે. તેમણે સૌ સલામત હશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી.
Big earthquake hits Assam. I pray for the well being of all and urge everyone to stay alert. Taking updates from all districts. #earthquake
— Sarbananda Sonowal (@sarbanandsonwal) April 28, 2021
આસામાં 6.4ની તીવ્રતાનો ભૂંકપ આવ્યાના સમાચાર જાણીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, આસામના મુખ્યપ્રધાન સર્વાનંદ સોનોવાલે સાથે ટેલિફોનીક વાતચીત કરીને, બચાવ અને રાહત કામગીરી માટે જરૂરી તમામ મદદ આપવાની તૈયારી દર્શાવી હતી.
Spoke to Assam CM Shri @sarbanandsonwal Ji regarding the earthquake in parts of the state. Assured all possible help from the Centre. I pray for the well-being of the people of Assam.
— Narendra Modi (@narendramodi) April 28, 2021