હિમાચલને મોટી ભેટ, PM મોદીએ કર્યું AIIMS નું ઉદ્ઘાટન, 750 બેડ અને 64 ICU ની સુવિધા

વડાપ્રધાને ટ્વીટ કર્યું કે, 'વિજયના પ્રતીક વિજયાદશમી પર તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન. હું ઈચ્છું છું કે આ શુભ અવસર દરેકના જીવનમાં હિંમત, સંયમ અને સકારાત્મક ઉર્જા લાવે.'

હિમાચલને મોટી ભેટ, PM મોદીએ કર્યું AIIMS નું ઉદ્ઘાટન, 750 બેડ અને 64 ICU ની સુવિધા
PM Narendra Modi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2022 | 1:43 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra modi) હિમાચલમાં AIIMSનું ઉદ્ઘાટન કર્યું છે. હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ની સ્થાપના કરવામાં આવી છે. આ પહેલીવાર છે જ્યારે પીએમ મોદી દશેરાના અવસર પર હિમાચલમાં છે. બુધવારે દેશવાસીઓને દશેરાની શુભેચ્છા પાઠવતા તેમણે કહ્યું કે આ તહેવાર વિજયનું પ્રતિક છે. વડાપ્રધાને ટ્વીટ કર્યું કે, ‘વિજયના પ્રતીક વિજયાદશમી પર તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન. હું ઈચ્છું છું કે આ શુભ અવસર દરેકના જીવનમાં હિંમત, સંયમ અને સકારાત્મક ઉર્જા લાવે.’

આ AIIMSનો શિલાન્યાસ વડાપ્રધાન મોદીએ 2017માં કર્યો હતો. આ પછી, તેઓ સ્થાનિક લુહનુ મેદાનમાં ઘણી યોજનાઓના ઉદ્ઘાટન અને શિલાન્યાસ પછી એક જાહેર સભાને પણ સંબોધિત કરશે. બિલાસપુર AIIMSનું નિર્માણ 1470 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું છે. તેમાં 18 વિશેષ અને 17 સુપર સ્પેશિયાલિટી વિભાગો, 18 અત્યાધુનિક સર્જરી રૂમ, 64 ICU બેડ સાથે 750 બેડ હશે. આ હોસ્પિટલ 247 એકરમાં ફેલાયેલી છે અને તેમાં 24 કલાક સારવારની સુવિધા હશે.

3,650 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ

વડાપ્રધાન દશેરાના અવસરે હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)નું ઉદ્ઘાટન કર્યા બાદ કુલ્લુના પ્રખ્યાત દશેરાની ઉજવણીમાં ભાગ લેશે. આ દરમિયાન મોદી 3,650 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

આ હોસ્પિટલે હિમાચલ પ્રદેશના આદિવાસી અને દુર્ગમ જનજાતીય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે ડિજિટલ હેલ્થ સેન્ટરની પણ સ્થાપના કરી છે. આ ઉપરાંત, હોસ્પિટલ દ્વારા કાઝા, સલુની અને કેલોંગ જેવા દુર્ગમ જનજાતીય અને ઊંચાઈવાળા હિમાલયના પ્રદેશોમાં આરોગ્ય શિબિરો દ્વારા આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવશે. પીએમઓએ કહ્યું કે આ હોસ્પિટલમાં દર વર્ષે 100 વિદ્યાર્થીઓને એમબીબીએસ કોર્સ માટે અને 60 વિદ્યાર્થીઓને નર્સિંગ કોર્સ માટે દાખલ કરવામાં આવશે.

નેશનલ હાઈવેની રાખશે આધારશિલા

વડાપ્રધાન જે પ્રોજેક્ટ માટે શિલાન્યાસ કરશે તેમાં પિંજોર અને નાલાગઢ વચ્ચેના 31 કિલોમીટર લાંબા નેશનલ હાઈવેને પણ ચાર માર્ગીય બનાવવામાં આવશે. આ રોડ પ્રોજેક્ટ અંબાલા, ચંદીગઢ, પંચકુલા અને સોલન અને શિમલાથી બિલાસપુર, મંડી અને મનાલી જતા ટ્રાફિક માટે મુખ્ય કનેક્ટિવિટી લિંક છે. આ ચાર-માર્ગીય રાષ્ટ્રીય ધોરીમાર્ગનો લગભગ 18 કિમી હિમાચલ પ્રદેશ હેઠળ આવે છે અને બાકીનો ભાગ હરિયાણામાં આવે છે.

પીએમઓએ કહ્યું કે આ હાઇવે હિમાચલ પ્રદેશના ઔદ્યોગિક હબ નાલાગઢ-બદ્દીમાં વધુ સારી પરિવહન સુવિધા સુનિશ્ચિત કરશે અને આ ક્ષેત્રમાં ઔદ્યોગિક વિકાસને પણ વેગ આપશે. તેનાથી રાજ્યમાં પ્રવાસનને પણ વેગ મળશે. વડાપ્રધાન નાલાગઢમાં મેડિકલ પાર્કનો શિલાન્યાસ પણ કરશે. 350 કરોડના ખર્ચે તેનું નિર્માણ કરવામાં આવશે. પીએમઓએ કહ્યું કે આ યોજનાઓ આ વિસ્તારમાં રોજગારની વિશાળ તકો ઊભી કરશે.

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">