74માં સ્વાતંત્ર્ય પર્વ પર વડાપ્રધાન મોદીનો લાલ કિલ્લા પરથી હુંકાર,LOC હોય કે LAC જેમણે આંખ ઉઠાવી તેને તેની ભાષામાં જવાબ વાળ્યો,આપણા જવાનો શું કરી શકે છે તે વિશ્વએ લદ્દાખમાં જોયું
દેશનાં 74માં સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે લાલ કિલ્લા પરથી હુંકાર કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ જણાવ્યું કે LOC હોય કે પછી LAC જેણે ભારત સામે આંખ ઉઠાવી તેને તેની ભાષામાં જવાબ મળી ગયો છે, આપણા દેશનાં જવાનો શું કરી શકે છે તે વિશ્વએ લદ્દાખમાં જોઈ લીધુ છે.તેમણે જણાવ્યું કે મુશ્કેલીઓની વચ્ચે પણ સીમા પર દેશનાં સાર્વભૌમત્વને […]
દેશનાં 74માં સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે લાલ કિલ્લા પરથી હુંકાર કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ જણાવ્યું કે LOC હોય કે પછી LAC જેણે ભારત સામે આંખ ઉઠાવી તેને તેની ભાષામાં જવાબ મળી ગયો છે, આપણા દેશનાં જવાનો શું કરી શકે છે તે વિશ્વએ લદ્દાખમાં જોઈ લીધુ છે.તેમણે જણાવ્યું કે મુશ્કેલીઓની વચ્ચે પણ સીમા પર દેશનાં સાર્વભૌમત્વને પડકાર આપવાની ગંદી હરકત થઈ પણ આપણે તેનો જવાબ વાળી દીધો, કેમકે દેશની રક્ષા કાજે તમામ દેશ એકજૂટ છે. આતંકવાદ હશે કે પછી વિસ્તારવાદ તમામ સ્તરે ભારત બરાબર રીતે લડી રહ્યો છે.
વડાપ્રધાને તેમના પ્રવચનમાં એ પણ કહ્યું કે આજે ભારતે અસાધારણ સમયમાં પણ સંભવ કરી બતાવ્યું છે એજ ઈચ્છા શક્તિનાં બળ પર દરેક ભારતીયે આગળ વધવાનું છે. વર્ષ 2022માં આઝાદીનાં 75 વર્ષ પુરા થશે ત્યારે પોલીસી-POLICY આપણી PROCESS, અને આપણા PRODUCTS બધું જ સર્વ શ્રેષ્ઠ હોવું જોઈએ ત્યારે જ આપણે એક ભારત શ્રેષ્ઠ ભારતની કલ્પનાને સાકાર કરી શકીશું.