આ વર્ષે 100 દેશોમાં કોરોના વેક્સીનના 65 મિલિયન ડોઝ મોકલવામાં આવ્યા, ભારતીય ફાર્મા સેક્ટરનો વિશ્વમાં ડંકો વાગ્યો: PM મોદી
પીએમ મોદીએ કહ્યું કે 2014થી ભારતીય હેલ્થકેર સેક્ટરે FDIમાં USD 12 બિલિયનનો લક્ષ્યાંક હાંસલ કર્યો છે. તેમણે કહ્યું કે અમારું વિઝન એક ઇકોસિસ્ટમ બનાવવાનું છે જે ભારતને દવાની શોધ અને તબીબી ઉપકરણોમાં નવીનતામાં અગ્રેસર બનાવશે
Covid 19 Vaccine: વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ ગુરુવારે ફાર્મા સેક્ટર(Pharma Sector)માં પ્રથમ વૈશ્વિક ઈનોવેશન સમિટ(Global Innovation Summit)નું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે અમે આ વર્ષે લગભગ 100 દેશોમાં કોવિડ રસી(Covid Vaccine)ના 65 મિલિયનથી વધુ ડોઝની નિકાસ કરી છે.
આવનારા દિવસોમાં, જેમ જેમ અમે અમારી રસીની ઉત્પાદન ક્ષમતામાં વધારો કરીશું, અમે આ સંદર્ભમાં ઘણું બધું કરીશું. વડા પ્રધાને કહ્યું કે ભારતીય આરોગ્યસંભાળ ક્ષેત્રે મેળવેલા વૈશ્વિક વિશ્વાસને કારણે ભારત વિશ્વની ફાર્મસી તરીકે ઓળખાવા લાગ્યું છે.
પીએમ મોદીએ કહ્યું કે 2014થી ભારતીય હેલ્થકેર સેક્ટરે FDIમાં USD 12 બિલિયનનો લક્ષ્યાંક હાંસલ કર્યો છે. તેમણે કહ્યું કે અમારું વિઝન એક ઇકોસિસ્ટમ બનાવવાનું છે જે ભારતને દવાની શોધ અને તબીબી ઉપકરણોમાં નવીનતામાં અગ્રેસર બનાવશે.
PM મોદીનું વૈશ્વિક કંપનીઓને આમંત્રણ
વડાપ્રધાને કહ્યું કે અમે રેગ્યુલેટરી ફ્રેમવર્ક પર ઉદ્યોગની માંગણીઓ પ્રત્યે સંવેદનશીલ છીએ અને આ દિશામાં સક્રિયપણે કામ કરી રહ્યા છીએ. આરોગ્ય ક્ષેત્રને વધુ મજબૂત કરવા માટે, આપણે દવાઓ અને રસીઓ માટેના મુખ્ય ઘટકોના સ્થાનિક ઉત્પાદનને વેગ આપવો જોઈએ. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે હું તમને બધાને ભારત વિશે વિચારવા, અહીં નવીનતા કરવા, ભારતમાં કામ કરવા અને દુનિયાને નવી દિશા આપવા માટે આમંત્રિત કરું છું.
LIVE: PM Shri @narendramodi inaugurates 1st Global Innovation Summit of Pharmaceutical sector. https://t.co/Xteg6KtxZr
— BJP (@BJP4India) November 18, 2021
વડાપ્રધાને કહ્યું કે કલ્યાણની આપણી વ્યાખ્યા ભૌતિક મર્યાદાઓ સુધી મર્યાદિત નથી. અમે સમગ્ર માનવ જાતિના કલ્યાણમાં વિશ્વાસ રાખીએ છીએ. કોવિડ -19 વૈશ્વિક રોગચાળા દરમિયાન, અમે આ ભાવના સમગ્ર વિશ્વને બતાવી છે. અમારું વિઝન ઇનોવેશન માટે ઇકો-સિસ્ટમ બનાવવાનું છે જે ભારતને દવાની શોધ અને નવીન તબીબી ઉપકરણોમાં અગ્રેસર બનાવી શકે.
પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં વૈજ્ઞાનિકો અને ટેક્નોલોજીસ્ટનો વિશાળ પૂલ છે જેઓ ઉદ્યોગને નવી ઊંચાઈઓ પર લઈ જવાની ક્ષમતા ધરાવે છે. ‘ડિસ્કવર એન્ડ મેક ઇન ઇન્ડિયા’ માટે આ શક્તિનો ઉપયોગ કરવાની જરૂર છે. અત્યાર સુધીમાં ભારતના 1.3 અબજ લોકોએ તેમને આત્મનિર્ભર બનાવવાની જવાબદારી ઉપાડી છે.