Assam : પૂરને કારણે તબાહી, અત્યાર સુધીમાં 36ના મોત, મુખ્યપ્રધાને રાહત પેકેજની કરી જાહેરાત

આસામમાં (Assam) અત્યાર સુધીમાં 8 જિલ્લાના 653 ગામડાઓમાં રહેતા કુલ 4.49 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં પૂરના કારણે 29,160 હેક્ટરના પાકને નુકસાન થયું છે.

Assam : પૂરને કારણે તબાહી, અત્યાર સુધીમાં 36ના મોત, મુખ્યપ્રધાને રાહત પેકેજની કરી જાહેરાત
Assam Floods
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 31, 2022 | 7:30 AM

Assam Floods: આસામમાં (Assam) ભારે વરસાદ બાદ હવે પૂરના પાણીએ ઠેર-ઠેર તબાહી મચાવી છે. આસામની મોટી નદીઓમાં પૂર  (Assam River) અને તેના કારણે સર્જાયેલી ઘટનાઓમાં સોમવારે અન્ય 4 લોકોના મોત થયા હતા.જે બાદ રાજ્યમાં પૂરના કારણે મૃત્યુઆંક વધીને 36 થઈ ગયો છે. તમને જણાવી દઈએ કે, રાજ્યના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ (Himanta Biswa Sarma)પૂરથી પ્રભાવિત દિમા હસાઓ જિલ્લા માટે 50 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું છે.

રાહત પેકેજ જાહેર કરવાનો નિર્ણય સોમવારે ગુવાહાટીમાં જનતા ભવનમાં મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લેવામાં આવ્યો હતો. દિમા હાસાઓ જિલ્લા માટે જાહેર કરાયેલા 50 કરોડ રૂપિયાના રાહત પેકેજમાંથી 30 કરોડ રૂપિયા તૂટેલા રસ્તાઓના નિર્માણ માટે ફાળવવામાં આવ્યા છે. આ સાથે જ એવા 590 પરિવારોને બે લાખ રૂપિયા આપવામાં આવશે જેમના ઘર પૂરમાં બરબાદ થયા છે. આ પૈસા તેમને ઘર બનાવવા માટે આપવામાં આવશે.

8 જિલ્લા પૂરથી પ્રભાવિત

આસામમાં અત્યાર સુધીમાં 8 જિલ્લાના 653 ગામડાઓમાં રહેતા કુલ 4.49 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં પૂરના કારણે 29,160 હેક્ટરના પાકને નુકસાન થયું છે. આ સાથે રાજ્યમાં લોકોને પૂરથી બચાવવા માટે 143 રાહત શિબિરો બનાવવામાં આવી છે. આ સાથે પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રીનું વિતરણ કરવા માટે 5 કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે,જેમાં 44 હજારથી વધુ લોકો રહે છે.

700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024

સોમવારે 4 લોકોના મોત થયા હતા

આસામની સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અહેવાલ મુજબ, સોમવારે નાગાંવ અને કચરમાં બે-બે લોકોના મોત થયા હતા. આ સાથે હવે આસામમાં પૂર અને ભૂસ્ખલનના કારણે કુલ મૃત્યુઆંક વધીને 36 થઈ ગયો છે. મળતી માહિતી મુજબ કચર, દિમા હસાઓ, ગોલપારા, કામરૂપ (મેટ્રો), મોરીગાંવ અને નાગાંવમાં 2,90,749 લોકો પૂરથી પ્રભાવિત થયા છે. જો કે રાહતની વાત એ છે કે આ જિલ્લાઓની તમામ નદીઓમાં પુરનો પ્રવાહ ઘટી રહ્યો છે.

નાગાંવ સૌથી વધુ અસરગ્રસ્ત

નાગાંવ આસામમાં પૂરથી સૌથી વધુ પ્રભાવિત વિસ્તાર છે. જ્યાં 3.07 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. બીજા સ્થાને કચર છે, જ્યાં 99,060 લોકો પૂરથી પ્રભાવિત છે. મોરીગાંવમાં 40,843 લોકો પૂરથી પ્રભાવિત થયા છે. સમગ્ર આસામમાં પૂરના કારણે 1.55 લાખથી વધુ પશુઓ પૂરથી પ્રભાવિત થયા છે. આ સાથે અન્ય ઘણા વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે.

Latest News Updates

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
g clip-path="url(#clip0_868_265)">