કોરોના સામે જંગ, લોકડાઉનની વચ્ચે આ રાજ્યએ 15 જિલ્લા સીલ કરવાનો કર્યો નિર્ણય
કોરોના વાયરસના કારણે દેશમાં 21 દિવસનું લોકડાઉન લગાવવામાં આપવામાં આવ્યું છે, જે 14 એપ્રિલે પુરૂ થશે. હાલમાં એ સ્પષ્ટ નથી કે 14 એપ્રિલ પછી લોકડાઉન ચાલુ રહેશે કે નહીં. તેની વચ્ચે ઉત્તરપ્રદેશ સરકારે નિર્ણય કર્યો છે કે રાજ્યમાં કોઈ પણ વ્યક્તિ 30 એપ્રિલ સુધી માસ્ક વગર ઘરની બહાર ના નીકળે. તે સિવાય રાજ્યના 15 જિલ્લાઓને […]
કોરોના વાયરસના કારણે દેશમાં 21 દિવસનું લોકડાઉન લગાવવામાં આપવામાં આવ્યું છે, જે 14 એપ્રિલે પુરૂ થશે. હાલમાં એ સ્પષ્ટ નથી કે 14 એપ્રિલ પછી લોકડાઉન ચાલુ રહેશે કે નહીં. તેની વચ્ચે ઉત્તરપ્રદેશ સરકારે નિર્ણય કર્યો છે કે રાજ્યમાં કોઈ પણ વ્યક્તિ 30 એપ્રિલ સુધી માસ્ક વગર ઘરની બહાર ના નીકળે. તે સિવાય રાજ્યના 15 જિલ્લાઓને પણ સરકારે સીલ કરવાનો નિર્ણય લીધો છે.
The Yogi Adityanath government in Uttar Pradesh has decided to seal 15 coronavirus-hit districts in order to contain the outbreak of COVID-19 @myogiadityanath #IndiaFightsCorona #CoronaOutbreak #COVID2019 #TV9News pic.twitter.com/2ZcL4YlOiK
— tv9gujarati (@tv9gujarati) April 8, 2020
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
જેમાં લખનઉં, શામલી, મેરઠ, બરેલી, બુલંદશહર, આગ્રા, ગાજિયાબાદ, નોઈડા, મહારાજગંજ, સીતાપુર, સહારનપુર, બસ્તી, ફિરોઝાબાદ અને કાનપુર જિલ્લો સામેલ છે. આ 15 જિલ્લાઓમાં માત્ર હોમ ડિલિવરી થશે અને કોઈને પણ ઘરમાંથી બહાર નીકળવાની પરવાનગી મળશે નહીં.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: મહારાષ્ટ્ર: એક જ દિવસમાં કોરોનાના વધુ 60 કેસ નોંધાયા, કુલ 1078 પોઝિટીવ કેસ