દુર્ગા માતાની પ્રતિમાના વિસર્જન દરમિયાન વિવિધ સ્થળે 13 લોકોના ડુબી જતા મોત, રેસ્ક્યુ ઓપરેશન યથાવત

પૂજા સમિતિના કાર્યકરો નદીમાં મૂર્તિઓના વિસર્જન(Murti Visarjan)ની પ્રક્રિયામાં વ્યસ્ત હતા. ત્યારે નદીમાં પાણી અચાનક વધી ગયું હતું જો કે કેટલાક લોકો કાંઠે ચઢવામાં સફળ રહ્યા હતા. પરંતુ ઘણા લોકો પાણીમાં વહી ગયા હતા. પોલીસ અને સિવિલ ડિફેન્સના જવાનોએ તાત્કાલિક નદીમાં ઉતરીને બચાવ કાર્ય શરૂ કર્યું હતું

દુર્ગા માતાની પ્રતિમાના વિસર્જન દરમિયાન વિવિધ સ્થળે 13 લોકોના ડુબી જતા મોત, રેસ્ક્યુ ઓપરેશન યથાવત
13 people drowned at various places during Durga Mata Visharan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2022 | 6:49 AM

દેવી દુર્ગા(Durga mataji)ના મૂર્તિ વિસર્જન દરમિયાન ડૂબી જવાથી બુધવારે બે અલગ-અલગ રાજ્યોમાં કુલ 13 લોકોના મોત થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે મૂર્તિ વિસર્જન દરમિયાન પશ્ચિમ બંગાળ(West Bengal)માં 7 અને રાજસ્થાન(rajasthan)માં 6 લોકોએ જીવ ગુમાવ્યા હતા. પશ્ચિમ બંગાળના જલપાઈગુડી(jalpaigudi) જિલ્લાની માલ નદીમાં લોકો મૂર્તિ વિસર્જન માટે ઉતર્યા હતા, જ્યારે અચાનક પાણીનું સ્તર વધવા લાગ્યું. જોરદાર મોજામાં ફસાઈને સાત લોકોના મોત થયા હતા. જલપાઈગુડીના એસપી દેવર્ષિ દત્તાએ જણાવ્યું હતું કે જોરદાર પ્રવાહમાં ઘણા લોકો ધોવાઈ ગયા છે, જે હજુ પણ લાપતા છે.

પૂજા સમિતિના કાર્યકરો નદીમાં મૂર્તિઓના વિસર્જનની પ્રક્રિયામાં વ્યસ્ત હતા. ત્યારે નદીમાં પાણી અચાનક વધી ગયું હતું જો કે કેટલાક લોકો કાંઠે ચઢવામાં સફળ રહ્યા હતા. પરંતુ ઘણા લોકો પાણીમાં વહી ગયા હતા. પોલીસ અને સિવિલ ડિફેન્સના જવાનોએ તાત્કાલિક નદીમાં ઉતરીને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. અહેવાલ છે કે લગભગ 15 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જોકે, બાકીના લોકો માટે બચાવ કાર્ય ચાલુ છે. વિજયા દશમી ની રાત્રે હૃદયદ્રાવક ઘટના સામે આવી છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

તે જ સમયે, બુધવારે રાજસ્થાનના અજમેર જિલ્લાના નસીરાબાદ સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેવી દુર્ગાની મૂર્તિના વિસર્જન દરમિયાન વરસાદી પાણીથી ભરેલી ખાડામાં ડૂબી જવાથી છ લોકોના મોત થયા હતા. આ માહિતી પોલીસે આપી હતી. અજમેરના પોલીસ અધિક્ષક ચુનારામ જાટે જણાવ્યું કે સ્થાનિક લોકો અલગ-અલગ પ્રસંગોએ મૂર્તિઓનું વિસર્જન કરતા રહે છે, પરંતુ આ વખતે યુવકો ઊંડા પાણીમાં ગયા કારણ કે તેમને ઊંડાઈનો ખ્યાલ ન હતો. તેમણે કહ્યું કે શરૂઆતમાં પાંચ મૃતદેહ મળી આવ્યા હતા, બાદમાં જાણવા મળ્યું કે વધુ એક વ્યક્તિ ગુમ છે જે બાદ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યુ હતું.

વડાપ્રધાને કર્યુ ટ્વિટ

તે જ સમયે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પશ્ચિમ બંગાળમાં થયેલા અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વિટ કર્યું કે પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં દુર્ગા પૂજા ઉત્સવ દરમિયાન થયેલા અકસ્માતથી દુઃખી છું. તેમના પ્રિયજનોને ગુમાવનારા લોકો માટે સંવેદના.

મુખ્યપ્રધાન અશોક ગેહલોતે પણ શોક વ્યક્ત કર્યો

આ ઘટના પર દુ:ખ વ્યક્ત કરતા મુખ્યમંત્રી અશોક ગેહલોતે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે ટ્વીટમાં કહ્યું કે અજમેરમાં નસીરાબાદ વિસ્તારના નાંદલા ગામમાં મૂર્તિ વિસર્જન દરમિયાન પાણીમાં ડૂબી જવાથી છ લોકોના મોત ખૂબ જ દુઃખદ છે. હું શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું, ભગવાન તેમને આ નુકસાન સહન કરવાની શક્તિ આપે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">