રાજ ઠાકરેની મહાઆરતીને VHP અને બજરંગ દળનું સમર્થન, પુણેમાં એક બેઠક દરમિયાન થઈ વાત

માત્ર પુણેમાં જ નહીં પરંતુ રાજ ઠાકરેની (Raj Thackeray) આગામી અયોધ્યા મુલાકાતમાં પણ મહા આરતીનું (Maha Aarti) આયોજન કરવામાં આવશે. ત્યાં વીએચપી અને બજરંગ દળના સભ્યો પણ એમએનએસ કાર્યકરો સાથે જોડાશે.

રાજ ઠાકરેની મહાઆરતીને VHP અને બજરંગ દળનું સમર્થન, પુણેમાં એક બેઠક દરમિયાન થઈ વાત
MNS President Raj Thackeray
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 29, 2022 | 11:51 PM

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેના (Raj Thackeray MNS) આહ્વાન બાદ પુણેના તમામ મંદિરોમાં 3જી મેના રોજ મહા આરતીનું આયોજન કરવામાં આવશે. મનસેના કાર્યકરો ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળ સહિત સાતથી આઠ સંગઠનોના મોટી સંખ્યામાં કાર્યકરો તેમાં સામેલ થશે. માત્ર પુણેમાં જ નહીં પરંતુ રાજ ઠાકરેની (Raj Thackeray) આગામી અયોધ્યા મુલાકાતમાં પણ મહા આરતીનું (Maha Aarti) આયોજન કરવામાં આવશે. ત્યાં વીએચપી અને બજરંગ દળના સભ્યો પણ એમએનએસ કાર્યકરો સાથે જોડાશે. આ માહિતી મનસેના નેતા અજય શિંદેએ આપી હતી. વીએચપી અને બજરંગ દળના નેતાઓએ શુક્રવારે પુણેમાં મનસેના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક યોજી હતી. હનુમાન ચાલીસા, લાઉડસ્પીકર, અયોધ્યા પ્રવાસ, મહા આરતી જેવા મુદ્દાઓ પર આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

માત્ર વીએચપી અને બજરંગ દળ જ નહીં પરંતુ અનેક હિન્દુત્વવાદી સંગઠનો રાજ ઠાકરેના હિન્દુત્વના એજન્ડાને સમર્થન આપવા આગળ આવી રહ્યા છે. આ તમામ સંસ્થાઓએ રાજ્યભરમાં 3 મેના રોજ યોજાનારી મહા આરતીમાં ટેકો આપવા અને તેમાં ભાગ લેવા માટે મંજૂરી આપી દીધી છે. આ માહિતી મનસે નેતા અજય શિંદેએ આપી છે. મહારાષ્ટ્રની મુખ્ય વિપક્ષી પાર્ટી બીજેપીએ પહેલાથી જ રાજ ઠાકરેના હિંદુત્વના એજન્ડાને સમર્થન જાહેર કર્યું છે.

સૌની નજર 1 મેના રોજ ઔરંગાબાદની ‘રાજ’ સભા પર છે

આ પહેલા સૌની નજર 1 મેના રોજ ઔરંગાબાદમાં યોજાનારી રાજ ઠાકરેની સભા પર છે. રાજ ઠાકરેએ તેમની થાણેની બેઠકમાં 3 મે સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે. જો રમઝાન અને ઈદ પછી પણ મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવામાં નહીં આવે તો મનસેના કાર્યકર્તાઓ મસ્જિદોની સામે જગ્યાએ જગ્યાએ હનુમાન ચાલીસાના પાઠ કરશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

ત્રીજી તારીખે પુણેના તમામ મંદિરોમાં મહા આરતીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેના માટે મનસે દ્વારા જોરદાર તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે. શહેરના તમામ મંદિરોમાં સવારે 11.30 થી 12.30 દરમિયાન મહા આરતીનું આયોજન કરવામાં આવશે. તેના સમર્થનમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સહિત સાતથી આઠ સંગઠનો ઉત્સાહપૂર્વક ભાગ લેશે.

રાજ ઠાકરે 3 મેના રોજ અયોધ્યા જવા રવાના થશે

રાજ ઠાકરે 1 મેના રોજ ઔરંગાબાદ બેઠક અને 3 મેના રોજ પુણેની મહા આરતી બાદ અયોધ્યા જવા રવાના થશે. આવતીકાલે (30 એપ્રિલ, શનિવાર) રાજ ઠાકરે સવારે 8 વાગ્યે પુણેથી ઔરંગાબાદ જવા રવાના થશે. રાજ ઠાકરે સાથે પુણેથી 150 વાહનોનો કાફલો દોડશે. ઔરંગાબાદની બેઠક માટે પુણેથી 12 થી 15 હજાર એમએનએસના કાર્યકર્તાઓ જવાના છે. પ્રાપ્ત માહિતી અનુસાર તેમના હજારો કાર્યકર્તાઓ પણ અયોધ્યા જઈ રહ્યા છે.

આ પણ વાંચો : Hanuman Chalisa Row: માસુમની ઈશ્વરને આજીજી! સાંસદ નવનીત રાણાની 8 વર્ષની પુત્રીએ કર્યો હનુમાન ચાલીસાનો પાઠ, માતા-પિતાની મુક્તિ માટે કરી પ્રાર્થના

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">