ઉદ્ધવ ઠાકરેએ પીએમ મોદીને વિનંતી કરી – કોવિડને આપત્તિ ઘોષિત કરી SDRF દ્વારા લોકોની મદદ કરો

મહારાષ્ટ્રમાં કોરોનાના કારણે કોહરામ વધી ગયો છે. જેને લઈને ઉદ્ધવ ઠાકરેએ આ મહામારીને કુદરતી આફત જાહેર કરીને ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (SDRF) હેઠળ આર્થિક સહાય આપવાની વિનંતી કરી છે.

ઉદ્ધવ ઠાકરેએ પીએમ મોદીને વિનંતી કરી - કોવિડને આપત્તિ ઘોષિત કરી SDRF દ્વારા લોકોની મદદ કરો
Maharashtra CM Uddhav Thackeray ( File Photo )
Follow Us:
| Updated on: Apr 15, 2021 | 1:12 PM

કોરોના સંકટને કારણે મહારાષ્ટ્રમાં 15 દિવસના ‘લોકડાઉન’ જેવા કડક પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ 5476 કરોડના ફિક્સ પેકેજની જાહેરાત કરી છે. બીજા દિવસે મુખ્યમંત્રીએ બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને માંગ કરી છે કે આ મહામારીને કુદરતી આપત્તિ માનીને રાજ્યના ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (SDRF) હેઠળ અસરગ્રસ્ત લોકો માટે આર્થિક મદદનું આયોજન કરવામાં આવે. મહારાષ્ટ્રમાં કોરોના વધી જતા ઉદ્ધવે આ માંગ કરી છે.

મુખ્યમંત્રીએ મંગળવારે રાજ્યને સંબોધન કરતા કહ્યું હતું કે ભૂકંપ દરમિયાન, ભારે વરસાદ અને પૂર, કુદરતી આફતોની ઘોષણા કરવામાં આવે છે અને અસરગ્રસ્ત લોકોને આર્થિક સહાય આપવામાં આવે છે. તેમણે કહ્યું, “આપણે બધાએ આ મહામારીને કુદરતી આફત તરીકે સ્વીકારી છે. તેથી અમે વડા પ્રધાનને વિનંતી કરી રહ્યા છીએ કે જે લોકોની આજીવિકાને અસર થઈ છે તેમને લોકોને આર્થિક સહાય આપવામાં આવે.”

ખાનગી સંસ્થાના સમાચાર મુજબ, મુખ્ય સચિવ સીતારામ કુંટેએ ઠાકરે વતી વડા પ્રધાનને પત્ર લખવાની પુષ્ટિ કરી છે. કુંતેએ કહ્યું, “જોકે આ રોગચાળો એક આપત્તિ છે, પરંતુ તેને કુદરતી આપત્તિ તરીકે વ્યાખ્યાયિત કરવાનું બાકી છે. તેથી, વર્તમાન સિસ્ટમ મુજબ વ્યક્તિગત લાભો આપી શકાતા નથી. આ મહામારીને કુદરતી આપદા માનવી રાષ્ટ્રીય સ્તરે લેવામાં આવતો નીતિગત નિર્ણય અને કેન્દ્રએ તેના પર પગલું ભરવું પડશે. ”

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

કોરોના દર્દીઓ માટે પૂરતો ઓક્સિજન નથી

મુખ્ય પ્રધાન ઠાકરેએ મંગળવારે કોરોનાની સ્થિતિ અંગે રાજ્યને સંબોધન કરતાં દર્દીઓ માટે પૂરતા પ્રમાણમાં ઓક્સિજનના અભાવનો પણ ઉલ્લેખ કર્યો હતો. આવી સ્થિતિમાં તેમણે પીએમ મોદીને મહારાષ્ટ્રમાં વાયુસેનાને ઓક્સિજન વહન કરવામાં મદદ કરવા અપીલ પણ કરી હતી. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, “વડા પ્રધાન આજની પરિસ્થિતિમાં અમને ઓક્સિજનની જરૂર પડશે. ઓક્સિજનને અન્ય રાજ્યોમાંથી આ રાજ્યમાં પ્રવેશવાની મંજૂરી હોવી જોઈએ. દૂરના રાજ્યોના ઓક્સિજન લાવવા માટે સમય લાગશે. હું પીએમને વિનંતી કરું છું કે ઓક્સિજનને રોડ દ્વારા લાવવામાં સમય લાગશે. જો વાયુસેનાની મદદથી ઓક્સિજન આવી શકે, તો પછી તેને મંજૂરી આપો. ”

આ પણ વાંચો: હવે Instagram અને Facebook પર જોવા નહીં મળે લાઈક્સની સંખ્યા, નવી સુવિધા જલ્દીથી રોલઆઉટ થશે

આ પણ વાંચો: કોરોનાની બીજી લહેરમાં ઈકોનોમી ટકાવી રાખવા સરકારની તૈયરીઓ, નવા પેકેજ પર થઇ રહ્યું છે કામ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">