Maharashtra Political Crisis: મેં યહાં તૂં વહાં..! આ છે મહારાષ્ટ્રના 21 ધારાસભ્યો અને 5 મંત્રીઓ, જેઓ એક સમયે સાથે હતા, હવે આસપાસ પણ નથી

સમગ્ર વિકાસે મહારાષ્ટ્રમાં ઠાકરે સરકાર માટે મુશ્કેલી (Maharashtra political Crisis) ઊભી કરી છે. મળતી માહિતી મુજબ, સુરતની હોટલમાં મહારાષ્ટ્રના 5 કેબિનેટ મંત્રીઓ સહિત કુલ 25 ધારાસભ્યો હાજર છે.

Maharashtra Political Crisis: મેં યહાં તૂં વહાં..! આ છે મહારાષ્ટ્રના 21 ધારાસભ્યો અને 5 મંત્રીઓ, જેઓ એક સમયે સાથે હતા, હવે આસપાસ પણ નથી
એકનાથ શિંદેના એક પગલાએ મહારાષ્ટ્રના રાજકારણમાં મચાવી હલચલ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 21, 2022 | 2:47 PM

મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીમાં સત્તાધારી મહા વિકાસ આઘાડી (MVA)ને પરાજયનો સામનો કરવો પડ્યો, ત્યારબાદ મહારાષ્ટ્રના મંત્રી એકનાથ શિંદે અને શિવસેનાના અન્ય કેટલાક ધારાસભ્યો ગુજરાતના સુરત શહેરની એક હોટલમાં પડાવ નાખ્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે પાર્ટીના નેતૃત્વથી નારાજ કેટલાક ધારાસભ્યો સોમવારે રાત્રે સુરત પહોંચ્યા હતા અને અહીંની લે મેરીડિયન હોટલમાં રોકાયા છે.

શિવસેનાના કેટલાક ધારાસભ્યો સુરતમાં હાજર

એક સૂત્રના જણાવ્યા મુજબ મહારાષ્ટ્રના મંત્રી એકનાથ શિંદે સહિત શિવસેનાના કેટલાક ધારાસભ્યો સુરતમાં હાજર છે. હોટલની બહાર સુરક્ષા દળ તૈનાત કરવામાં આવ્યું છે. આ સમગ્ર ઘટનાક્રમે મહારાષ્ટ્રમાં ઠાકરે સરકાર માટે મુશ્કેલી (Maharashtra political Crisis) ઊભી કરી છે. મળતી માહિતી મુજબ, સુરતની હોટલમાં મહારાષ્ટ્રના 5 કેબિનેટ મંત્રીઓ સહિત કુલ 25 ધારાસભ્યો હાજર છે. સોમવારે યોજાયેલી મહારાષ્ટ્ર વિધાન પરિષદની 10 બેઠકો માટેની ચૂંટણીમાં, ભારતીય જનતા પાર્ટી (BJP)એ તમામ 5 બેઠકો જીતી લીધી હતી. જેના પર તેણે ઉમેદવારો ઉભા રાખ્યા હતા. શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ને બે-બે બેઠકો મળી હતી. જ્યારે કોંગ્રેસને માત્ર એક બેઠકથી સંતોષ માનવો પડ્યો હતો.

MVAમાં શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અને કોંગ્રેસનો થાય છે સમાવેશ

રાજ્યસભાની ચૂંટણી પછી મહારાષ્ટ્રમાં ભાજપ તરફથી મહારાષ્ટ્રમાં સત્તાધારી ગઠબંધન મહા વિકાસ આઘાડી (MVA) માટે આ બીજો મોટો આંચકો છે. MVAમાં શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અને કોંગ્રેસનો સમાવેશ થાય છે. અગાઉ મુંબઈમાં શિવસેનાના એક નેતાએ મંગળવારે કહ્યું હતું કે રાજ્યના મંત્રી અને શિવસેનાના વરિષ્ઠ નેતા એકનાથ શિંદેનો સંપર્ક થઈ શક્યો નથી. તેમણે કહ્યું કે, શિંદે કેટલાક ધારાસભ્યો સાથે ગુજરાતમાં હોઈ શકે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

નેતાએ શિંદે સાથે રહેલા ધારાસભ્યોની સંખ્યા અને વિગતો જાહેર કરી ન હતી. મુંબઈના કેટલાક ઉપનગરોમાં શિંદેનો પ્રભાવ છે. નેતાએ કહ્યું કે, તેઓ (શિંદે) સોમવારે વિધાનસભા સંકુલમાં શિવસેના કાર્યાલયમાં હતા ત્યારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ત્યાં હાજર હતા. પરંતુ તે પછી તેના વિશે કોઈ જાણતું નથી. તેઓ (વિધાન પરિષદની ચૂંટણી માટે) મત ગણતરી દરમિયાન હાજર ન હતા. જો કે મળતી માહિતી મુજબ સુરતની હોટલમાં કુલ 25 ધારાસભ્યો હાજર છે, જેઓ શિવસેનાના નેતૃત્વનો સંપર્ક કરી શક્યા નથી. તેમાં રાજ્યના 5 મંત્રીઓ પણ સામેલ છે.

5 મંત્રીઓ સહિત 25 ધારાસભ્યો થયા ‘નોટ રિચેબલ’

  1. એકનાથ શિંદે, થાણે.
  2. અબ્દુલ સત્તાર રાજ્ય મંત્રી, સિલ્લોડ, ઔરંગાબાદ
  3. શંભુરાજે દેસાઈ, રાજ્યમંત્રી, સાતારા પાટણ.
  4. પ્રકાશ આબિટકર, રાધાનગરી કોલ્હાપુર
  5. સંજય રાઠોડ, દિગ્રસ, યવતમાલ
  6. સંજય રાયમુલકર, મહેકર
  7. સંજય ગાયકવાડ, બુલઢાણા
  8. મહેન્દ્ર દલવી
  9. વિશ્વનાથ ભોઈર, કલ્યાણ, થાણે
  10. ભરત ગોગવાલે, મહાડ રાયગઢ
  11. સંદીપાન ભુમરે, રાજ્યમંત્રી
  12. પ્રતાપ સરનાઈક, માજીવાડા, થાણે
  13. શાહજી પાટીલ.
  14. તાનાજી સાવંત.
  15. શાંતારામ મોરે
  16. શ્રીનિવાસ વનગા
  17. સંજય શિરસાટ
  18. અનિલ બાબર
  19. બાલાજી કિનિકર
  20. યામિની જાધવ
  21. કિશોર પાટીલ
  22. ગુલાબરાવ પાટીલ
  23. રમેશ બોરાનારે
  24. ઉદયસિંગ રાજપૂત
  25. એનસીપીના ધારાસભ્ય માણિકરાવ કોકાટે પણ ‘નોટ રિચેબલ’

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">