શિવસેનાના નેતાની હત્યા કરનાર આખરે ઝડપાયો, થાણે પોલીસને છ વર્ષ બાદ મળી સફળતા
થાણે ક્રાઇમ બ્રાંચના અધિકારીએ જણાવ્યું કે, શિવસેનાના બદલાપુરના શિવસેનાના નેતા કેશવ નારાયણની 4 એપ્રિલ, 2015 ના રોજ અંગત અદાવતમાં આરોપીએ હત્યા કરી હતી.
Maharashtra : મહારાષ્ટ્રની થાણે સિટી પોલીસે બદલાપુરમાં શિવસેના નેતા કેશવ નારાયણની(Keshav Narayan) હત્યાના સંબંધમાં 2015 થી ફરાર એક આરોપીની ધરપકડ કરી છે. શિવસેનાના એક નેતાની છ વર્ષ પહેલા મહારાષ્ટ્રના થાણેમાં જુની અદાવતમાં હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં થાણે પોલીસને(Thane police) સફળતા મળી છે.પોલીસે 37 વર્ષીય આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે,પોલીસે આ કેસમાં ચાર લોકોની ધરપકડ કરી હતી, પરંતુ એક આરોપી છેલ્લા છ વર્ષથી ફરાર હતો.
જુની અદાવતમાં શિવસેનાના નેતાની હત્યા
થાણે ક્રાઇમ બ્રાંચના અધિકારીએ (Crime Branch Officer) જણાવ્યું હતુ કે, શિવસેનાના બદલાપુર નગરના નાયબ શાખાના વડા કેશવ નારાયણની 4 એપ્રિલ, 2015 ના રોજ જૂની અદાવતમાં આરોપીઓએ હત્યા કરી હતી. જ્યારે ક્રાઈમ બ્રાન્ચના મદદનીશ પોલીસ ઈન્સ્પેક્ટર પ્રફુલ્લ જાધવે આ કેસ અંગે જણાવ્યું કે, આરોપી કોલ્હાપુરમાં હોવાની બાતમી મળ્યા બાદ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓની ટીમ ઉંચગાંવ ગામ ગઈ હતી અને સાગર કાંબલેની ધરપકડ કરી હતી. હાલ વધુ તપાસ માટે આરોપીને બદલાપુર પોલીસને સોંપવામાં આવ્યો છે.
છ વર્ષ બાદ આરોપી ઝડપાયો
Maharashtra: Thane City Police says it has arrested an accused who was on the run since 2015 in the murder case of Shiv Sena leader Keshav Narayan in Badlapur. pic.twitter.com/72sVHdINTk
— ANI (@ANI) October 13, 2021
થાણે પોલીસને મળી સફળતા
ઉલ્લેખનીય છે કે, શિવસેનાના નેતા કેશવ નારાયણની (Shiv Sena leader) હત્યા કરનાર કુલ પાંચ આરોપીઓમાંથી પોલીસે ચાર આરોપીને વર્ષ 2015માં જ પકડી પાડ્યા હતા.પરંતુ એક આરોપી છેલ્લા છ વર્ષથી પોલીસની આંખમાં ધુળ ઝોકીને ફરાર હતો. ત્યારે હાલ છ વર્ષ બાદ થાણે પોલીસને આ કેસમાં સફળતા મળી છે. આરોપીની ધરપકડ કરીને પોલીસે હાલ વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : Video : આ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષની ખુલ્લેઆમ પોલ ખુલી ગઈ, ભ્રષ્ટાચારની વાતો કરતા નેતાજીનો વીડિયો થયો વાયરલ
આ પણ વાંચો :Maharashtra: નવાબ મલિકે NCB પર પ્રહાર કર્યો, કહ્યું, આ લોકો તમાકુ અને ગાંજા વચ્ચે ભેદ કરી શકતા નથી