સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસ, વાંચો સુપ્રીમ કોર્ટમાં CBIએ શું આપ્યો જવાબ
સુશાંતસિંહ રાજપૂત કેસને લઈ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. બિહાર સરકાર અને રિયા ચક્રવર્તીએ લેખિત દલીલ સુપ્રીમ કોર્ટમાં જમા કરાવી દીધી છે. રિયા ચક્રવર્તીની અરજી (પટનામાં દાખલ કેસ મુંબઈ ટ્રાન્સફર કરવા) પર સુપ્રીમ કોર્ટ નિર્ણય લેશે. સાથે જ સુપ્રીમ કોર્ટ આ વાતનો નિર્ણય કરશે કે સુશાંતસિંહ રાજપૂત કેસની તપાસ મુંબઈ પોલીસ કરશે કે પછી CBI. Web […]
સુશાંતસિંહ રાજપૂત કેસને લઈ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. બિહાર સરકાર અને રિયા ચક્રવર્તીએ લેખિત દલીલ સુપ્રીમ કોર્ટમાં જમા કરાવી દીધી છે. રિયા ચક્રવર્તીની અરજી (પટનામાં દાખલ કેસ મુંબઈ ટ્રાન્સફર કરવા) પર સુપ્રીમ કોર્ટ નિર્ણય લેશે. સાથે જ સુપ્રીમ કોર્ટ આ વાતનો નિર્ણય કરશે કે સુશાંતસિંહ રાજપૂત કેસની તપાસ મુંબઈ પોલીસ કરશે કે પછી CBI.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
કેન્દ્રએ CBI તરફથી સુપ્રીમ કોર્ટમાં લેખિત જવાબ દાખલ કર્યો છે. CBIએ તેમાં કહ્યું કે 56 સાક્ષીઓના નિવેદન દાખલ કરવાની મુંબઈ પોલીસની કાર્યવાહી કોઈ કાયદાના બેકઅપ હેઠળ નથી. તેમને આગળ કહ્યું કે મુંબઈમાં કોઈ કેસ પેન્ડિંગ નથી, તેથી ત્યાં ટ્રાન્સફર કરવાનો કોઈ સવાલ જ નથી. સાથે જ કહ્યું કે સુપ્રીમ કોર્ટે CBI અને EDને આ તપાસ ચાલુ રાખવા દેવી જોઈએ.
બિહાર સરકારે સુપ્રીમ કોર્ટમાં દાખલ લેખીત દલીલમાં કહ્યું કે તેમને આ કેસમાં FIR દાખલ કરી છે અને તપાસ CBIને સોંપી દીધી છે. તેથી રિયાની ટ્રાન્સફર અરજી બિનઅસરકારક છે અને તેને રદ કરવામાં આવે. મુંબઈ પોલીસ રાજકીય દબાણમાં FIR દાખલ કરી રહી નથી. મુંબઈ પોલીસે તપાસમાં બિહાર પોલીસનો સહયોગ કર્યો નથી. બિહાર પોલીસે કાયદામાં રહી પોતાના ક્ષેત્રાધિકારીમાં આ FIR દાખલ કરી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
ત્યારે રિયા ચક્રવર્તીના વકીલે સુપ્રીમ કોર્ટમાં લેખિત જવાબ દાખલ કરતાં કહ્યું કે બિહાર સરકાર દ્વારા દાખલ FIR ગેરકાયદેસર છે, અધિકાર ક્ષેત્ર વગર બિહાર સરકારે FIRને CBIને ટ્રાન્સફર કરી દીધી. આ મામલે તેમની વિરૂદ્ધ કોઈ પણ પુરાવા નથી. સુશાંતસિંહના પિતા કે.કે.સિંહે જે આરોપ લગાવ્યા છે, તે કોઈ આધાર વગરના છે. બિહાર પોલીસ આ મામલે વધારેમાં વધારે ઝિરો FIR દાખલ કરી શકતી હતી. તેની ટ્રાન્સફર અરજી સુનાવણી યોગ્ય છે. ત્યારે રિયાએ કહ્યું કે જો કેસને CBIને ટ્રાન્સફર કરવામાં આવે છે તો તેને કોઈ આપત્તિ નથી.