Supreme Court: કેટલી પેઢીઓ સુધી ચાલુ રહેશે અનામત? 50%ની મર્યાદા નહીં રહે તો સમાનતાનો શું અર્થ?

Supreme Court: મરાઠા ક્વોટા કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે કેટલી પેઢીઓ સુધી આરક્ષણ ચાલુ રહેશે. તેમજ 50 ટકા મર્યાદા હટાવવાની સ્થિતિમાં સર્જાયેલી અસમાનતા અંગે સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી.

Supreme Court: કેટલી પેઢીઓ સુધી ચાલુ રહેશે અનામત? 50%ની મર્યાદા નહીં રહે તો સમાનતાનો શું અર્થ?
સુપ્રીમનો અનામત પર સવાલ
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Mar 20, 2021 | 10:52 AM

Supreme Court: મરાઠા ક્વોટા કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે શુક્રવારે એ જાણવાની ઇચ્છા જાહેર કરી કે કેટલી પેઢીઓ સુધી આરક્ષણ ચાલુ રહેશે. 50 ટકા મર્યાદા હટાવવાની સ્થિતિમાં સર્જાયેલી અસમાનતા અંગે સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી. મહારાષ્ટ્ર સરકાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેંચને જણાવ્યું હતું કે, ક્વોટાની મર્યાદા નક્કી કરવા અંગેના મંડળ કેસમાં (સર્વોચ્ચ અદાલતના) નિર્ણય પર બદલતી પરિસ્થિતિઓમાં ફરી વિચારણા કરવાની જરૂર છે.

તેમણે કહ્યું કે બદલાયેલા સંજોગોને ધ્યાનમાં રાખીને અનામત ક્વોટા નક્કી કરવાની જવાબદારી અદાલતોએ રાજ્યો પર છોડી દેવી જોઈએ અને મંડળ કેસ સંબંધિત નિર્ણય 1931 ની વસ્તી ગણતરીના આધારે હતો. મરાઠા સમુદાયને અનામત આપવાના મહારાષ્ટ્રના કાયદાની તરફેણમાં દલીલ કરતાં રોહતગીએ મંડળ કેસમાં ચુકાદાના વિવિધ પાસાં ટાંક્યા. આ ચૂકાદાને ઇન્દિરા સાહની કેસ તરીકે પણ ઓળખવામાં આવે છે.

તેમણે કહ્યું કે આર્થિક રીતે નબળા વર્ગને 10 ટકા અનામત આપવાના કેન્દ્ર સરકારના નિર્ણય પણ 50 ટકાની મર્યાદાનું ઉલ્લંઘન થાય છે. આ તરફ ખંડપીઠે ટિપ્પણી કરી ‘જો 50 ટકાની મર્યાદા કે કોઈ મર્યાદા નથી રહેતી, જેવું તમે જણાવ્યું છે. તો પછી સમાનતાનો ખ્યાલ શું રહી જશે. આમાંથી ઉદ્ભવટી અસમાનતા વિશે તમે શું કહેવા માંગશો? તમે કેટલી પેઢીઓ સુધી આ ચાલુ રાખશો? ‘

ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર
અનંત-રાધિકાની પ્રાઇવેટ પાર્ટીમાં આખા બોલીવુડ માંથી માત્ર આ એક એક્ટ્રેસને મળ્યું આમંત્રણ,જાણો કારણ

ખંડપીઠમાં જસ્ટિસ એલ નાગેશ્વર રાવ, જસ્ટિસ એસ અબ્દુલ નઝીર, જસ્ટિસ હેમંત ગુપ્તા અને જસ્ટિસ રવિન્દ્ર ભટ શામેલ છે. રોહતગીએ કહ્યું કે મંડળના ચુકાદા પર ફરીથી વિચારણા કરવાના ઘણા કારણો હતા, જે 1931 ની વસ્તી ગણતરી પર આધારિત હતા. વસ્તી પણ અનેકગણી વધીને 135 કરોડ થઈ ગઈ છે.

ખંડપીઠે કહ્યું કે દેશની આઝાદીના 70 વર્ષ વીતી ગયા છે અને રાજ્ય સરકારો અનેક કલ્યાણકારી યોજનાઓ ચલાવી રહી છે. શું આપણે સ્વીકારી શકીએ કે કોઈ વિકાસ થયો નથી. કોઈ પછાત જાતિ પ્રગતિ કરી શકી નથી. કોર્ટે એમ પણ કહ્યું હતું કે મંડલને લગતા નિર્ણયની સમીક્ષા કરવાનો પણ હેતુ છે કે જે પછાતપણાથી જે બહાર નીકળી ગયા છે તેમને અનામતના કોટામાંથી બાકાત રાખવા જોઇએ.

આ અંગે રોહતગીએ દલીલ કરી, ‘હા, અમે આગળ વધ્યા છીએ, પરંતુ એવું નથી કે પછાત વર્ગની સંખ્યા 50 ટકાથી નીચે આવીને 20 ટકા થઈ ગઈ છે. આપણે હજી પણ દેશમાં ભૂખે મરી રહ્યા છીએ… હું એમ કહેવાનો પ્રયત્ન કરી રહ્યો નથી કે ઇન્દિરા સાહની કેસનો ચૂકાદો સંપૂર્ણપણે ખોટો હતો અને તેને કચરાપેટીમાં નાખી દેવા જોઈએ. હું આ મુદ્દાને ઉઠાવું છું કે 30 વર્ષ થયા છે, કાયદો બદલાયો છે, વસ્તી વધી છે, પછાત લોકોની સંખ્યા પણ વધી છે. ‘

તેમણે કહ્યું કે આવી સ્થિતિમાં જ્યારે ઘણા રાજ્યોમાં અનામતની મર્યાદા 50 ટકાથી વધુ છે, તો પછી એમ કહી શકાય નહીં કે આ “સળગાવતો મુદ્દો” નથી અને 30 વર્ષ પછી તેનો પુનર્વિચાર કરવાની જરૂર નથી. આ કેસમાં ચર્ચા અનિર્ણિત રહી હતી અને સોમવારે પણ દલીલો રજૂ કરવામાં આવશે.

મહત્વનું છે કે સર્વોચ્ચ અદાલત બોમ્બે હાઈકોર્ટના નિર્ણયને પડકારતી અરજીઓ પર સુનાવણી કરી રહી છે, જેણે રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ અને સરકારી નોકરીઓમાં મરાઠા સમુદાયને અનામતને સમર્થન આપ્યું છે.

Latest News Updates

દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">