પૂણે શહેરમાંથી અમેરિકાને ભેટ આપવામાં આવેલા શિવાજી મહારાજના સ્ટેચ્યુની ચોરી, NCP નેતા રોહિત પવારે ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યુ
અમેરિકાના કેલિફોર્નિયાના સૈન જોસ સિટીના ગાર્ડનમાં આ સ્ટેચ્યુ લાગેલુ હતું. આ સીટીને પૂણેની સિસ્ટર સિટી કહેવામાં આવે છે. અહીંથી શિવાજી મહારાજનું સ્ટેચ્યુ ગાયબ થઈ ગયુ છે. આ સ્ટેચ્યુ કાપીને ચોરી કરી લેવામાં આવ્યું છે.
છત્રપતિ શિવાજી મહારાજનું અમેરિકામાં એક જ સ્ટેચ્યુ હતું. જે ઉત્તર અમેરિકાના કેલિફોર્નિયાના સૈન જોસ સિટીના ગાર્ડનમાં આ સ્ટેચ્યુ લાગેલુ હતું. આ સીટીને પૂણેની સિસ્ટર સિટી કહેવામાં આવે છે. અહીંથી શિવાજી મહારાજનું સ્ટેચ્યુ ગાયબ થઈ ગયુ છે. આ સ્ટેચ્યુ કાપીને ચોરી કરી લેવામાં આવ્યું છે. સેન જોસ પાર્ક વિભાગે આ વિશે ટ્વીટ કરી જાણકારી આપી છે. ટ્વીટમાં આ વાતને લઈ અફસોસ વ્યક્ત કરવામાં આવ્યો છે.
ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે શિવાજી મહારાજનું આ સ્ટેચ્યુ ક્યારે ચોરી થયું, તેની જાણકારી મળી નથી. પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી ચૂકી છે. પોલીસ ચોરને શોધી રહી છે. આ મામલાને લઈ મહારાષ્ટ્રમાં પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. અમેરિકાની સૈન જોસ સિટીને મહારાજનું આ સ્ટેચ્યુ પૂણે તરફથી ભેટ આપવામાં આવ્યું હતું.
સૈન જોસ પાર્કના ગુઆડેલ્યૂપ રિવર પાર્કના ટ્વીટમાં આ લખ્યું
સૈન જોસ પાર્કના ગુઆડેલ્યૂપ રિવર પાર્ક તરફથી જાહેર કરેલી સાર્વજનિક સૂચનામાં કહેવામાં આવ્યું છે કે ‘અમને જણાવતા દુ:ખ થાય છે કે ગુઆડેલ્યૂપ રિવર પાર્કમાં શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા ગુમ થઈ ગઈ છે. જો તમારી પાસે આ સ્ચેચ્યુને લઈ કોઈ પણ જાણકારી છે તો કૃપા કરીને SJPD નંબર પર જણાવો- 4082778900’
We regret to inform our community that the Shri Chhatrapati Shivaji Maharaj statue at Guadalupe River Park is missing. If you have information regarding the missing statue, please report it to the non-emergency SJPD number at 408-277-8900. pic.twitter.com/DzVl8qTXmM
— San José Parks & Rec (@sjparksandrec) February 3, 2023
NCP નેતા રોહિત પવારે મહારાષ્ટ્ર સરકારને તત્પરતા બતાવવાની કરી માંગ
આ સમાચારને લઈ મહારાષ્ટ્રમાં પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. NCP કોંગ્રેસ નેતા રોહિત પવારે આ વિશે ટ્વીટ કરી કહ્યું કે ‘સિસ્ટર સિટી અભિયાન હેઠળ પૂણે શહેરે શિવાજી મહારાજની આ પ્રતિમા અમેરિકાના સેન જોસ શહેરને આપી હતી.
‘सिस्टर सिटी’ मोहिमेअंतर्गत पुणे शहराने अमेरिकेतील सॅन होजे शहराला दिलेला आणि तेथील उद्यानात बसवण्यात आलेला छत्रपती शिवाजी महाराजांच्या पुतळ्याची झालेली चोरी संतापजनक आहे. हा आपल्या आणि तेथील मराठी जनतेच्या भावनेचा विषय आहे.
— Rohit Pawar (@RRPSpeaks) February 8, 2023
આ પ્રતિમા સેન જોસ શહેરના પાર્કમાં સ્થાપિત કરવામાં આવી હતી પણ તેની ચોરી થવી ખુબ જ દુ:ખની વાત છે. આ અમારા અને ત્યાં રહેતી મરાઠી જનતાની ભાવનાનો મુદ્દો છે. તેના માટે જલ્દી જ તપાસ પુરી કરવા અને ગુનેગારો પર કાર્યવાહી કરવા માટે મહારાષ્ટ્રની રાજ્ય સરકાર તત્પરતા દેખાડે અને ભારતના વિદેશ વિભાગ તેના માટે યોગ્ય પ્રયત્ન કરે.’