NCP સાંસદ સુપ્રિયા સુલેએ ભાજપ પર નિશાન સાધ્યું – અનિલ દેશમુખ સામે 109 વખત દરોડા, છતાં ખાલી હાથ, હવે રેકોર્ડ લિમ્કા બુકમાં નોંધવો જોઈએ

એનસીપી સાંસદે ( NCP MP ) એમ પણ કહ્યું કે તે ટૂંક સમયમાં આ મુદ્દો પીએમ મોદી (PM Narendra Modi) અને તેમની સાથે ઉઠાવશે. જે લોકો ભાજપ (BJP) વિરુદ્ધ બોલે છે, તપાસ એજન્સીઓ તેમની વિરુદ્ધ છે.

NCP સાંસદ સુપ્રિયા સુલેએ ભાજપ પર નિશાન સાધ્યું - અનિલ દેશમુખ સામે 109 વખત દરોડા, છતાં ખાલી હાથ, હવે રેકોર્ડ લિમ્કા બુકમાં નોંધવો જોઈએ
Supriya Sule, NCP MP
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 06, 2022 | 2:13 PM

NCP સાંસદ સુપ્રિયા સુલેએ (Supriya Sule NCP) આજે ​​6 જૂન, સોમવારે કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે પત્રકારોને જણાવ્યું કે કેન્દ્રીય તપાસ એજન્સીઓએ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખના (Anil Deshmukh) પરિવાર વિરુદ્ધ 109 વખત દરોડા પાડ્યા છે. આખરે એકસો આઠ વખત તપાસ એજન્સીઓ શું કરી રહી હતી ? આટલા દરોડા પછી પણ અનિલ દેશમુખ સામે કોઈ સબળ પુરાવા મળ્યા નથી કારણ કે તેમણે કોઈ ગુનો કર્યો નથી. સુપ્રિયા સુલેએ કહ્યું કે તેમના મુદ્દાની નોંધ લેવી જોઈએ કે અનિલ દેશમુખ અને મહારાષ્ટ્રના લઘુમતી મંત્રી નવાબ મલિકને (Nawab Malik) અંતે ક્લીનચીટ મળશે. એનસીપીના આ બંને નેતાઓ ટૂંક સમયમાં જેલમાંથી મુક્ત થશે.

સુપ્રિયા સુલેએ કહ્યું કે જેમની સામે ગંભીર ગુનાનો કેસ નોંધાયેલ છે, તેમને સાક્ષી બનાવીને માફ કરવામાં આવી રહ્યા છે અને જેમણે કોઈ ગુનો કર્યો નથી, તેઓ જેલની અંદર છે. એનસીપી સાંસદે એમ પણ કહ્યું કે તેઓ ટૂંક સમયમાં આ મુદ્દો પીએમ મોદી સમક્ષ ઉઠાવશે. જે લોકો ભાજપ વિરુદ્ધ બોલે છે, તપાસ એજન્સીઓ તેમની વિરુદ્ધ છે. સાંસદે કહ્યું કે તેઓ કેન્દ્રની ભાજપ સરકારથી નારાજ નથી, પરંતુ આશ્ચર્યચકિત છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

ભાજપ સરકારથી નારાજ નહી, આશ્ચર્ય છે…

‘કંઈક એવું સેટિંગ કરવુ છે, કે મલિક અને દેશમુખ જેલમાં હોય તો પણ વોટ આપી શકે’

આ દરમિયાન તમને જણાવી દઈએ કે 10 જૂને મહારાષ્ટ્રની રાજ્યસભાની 6 સીટો માટે મતદાન થઈ રહ્યું છે. પરંતુ નવાબ મલિક અને અનિલ દેશમુખ જેલમાં હોવાના કારણે તેમના માટે મતદાનમાં ભાગ લેવો મુશ્કેલ બની શકે છે. આવી સ્થિતિમાં સુપ્રિયા સુલેએ માંગ કરી છે કે તેમને મતદાનનો અધિકાર મળવો જોઈએ. રાજ્યસભાની 6 બેઠકો માટે મહારાષ્ટ્રમાંથી 7 ઉમેદવારો ઉભા છે. ભાજપે ત્રણ ઉમેદવારો ઉભા રાખ્યા છે. મહા વિકાસ અઘાડી સરકારમાં સામેલ ત્રણ પક્ષો (એનસીપી, કોંગ્રેસ, શિવસેના) એ ચાર ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. એનસીપી અને કોંગ્રેસ તરફથી એક-એક અને શિવસેનાના બે ઉમેદવારો મેદાનમાં છે. આવી સ્થિતિમાં રાજ્યસભાની છઠ્ઠી સીટ માટે કટોકટીભર્યો મુકાબલો થઈ શકે છે. તેથી જ સુપ્રિયા સુલેએ નવાબ મલિક અને અનિલ દેશમુખના વોટિંગ અધિકારની માંગણી કરી છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">