Maharashtra Political Crisis: શિવસેના કે શિંદેસેના, કોનુ હશે તીર કમાન ? જાણો પ્રતીક મેળવવા માટે એકનાથ શિંદે સામેનો મોટો અવરોધ

એકનાથ શિંદેએ (Eknath Shinde) ડેપ્યુટી સ્પીકર અને રાજ્યપાલને પત્ર મોકલ્યો છે. જેમાં શિવસેનાના 37 ધારાસભ્યોના સમર્થન સાથે તેમણે પોતાને વિધાયક દળના નેતા ગણાવ્યા છે.

Maharashtra Political Crisis: શિવસેના કે શિંદેસેના, કોનુ હશે તીર કમાન ? જાણો પ્રતીક મેળવવા માટે એકનાથ શિંદે સામેનો મોટો અવરોધ
Eknath Shinde Image Credit source: Twitter (@Mieknathshinde)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 25, 2022 | 10:38 AM

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટનો આજે પાંચમો દિવસ છે. સતત ચાર દિવસથી રાજકારણમાં ગરમાવો ચાલી રહ્યો છે. જ્યાં એક તરફ શિવસેનાના બળવાખોર મંત્રી એકનાથ શિંદેનું (Minister Eknath Shinde) વલણ વધી રહ્યું છે તો બીજી તરફ મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે (Cm Udhav Thackeray) પોતાની સરકાર બચાવવા માટે સતત લડતા જોવા મળી રહ્યા છે. શુક્રવારે એકનાથ શિંદેએ ડેપ્યુટી સ્પીકર અને રાજ્યપાલને પત્ર મોકલ્યો હતો. જેમાં શિવસેનાના 37 ધારાસભ્યોના સમર્થન સાથે તેમણે પોતાને વિધાયક દળના નેતા ગણાવ્યા છે. આ સાથે જ એવા સમાચાર છે કે શિવસેનાના અન્ય ત્રણ ધારાસભ્ય શિંદે તરફે સામેલ થવા માટે ગુવાહાટી પહોંચી રહ્યા છે.

અત્યારે જે રીતે મહારાષ્ટ્રમાં રાજકીય સ્થિતિ છે, તેનાથી એક વાત સ્પષ્ટ છે કે એકનાથ શિંદેની નજર હવે શિવસેનાના પાર્ટીના ચિન્હ ‘તીર અને કમાન’ પર છે, પરંતુ ‘તીર અને કમાન’ હાંસલ કરવું એટલું સરળ નથી. એક પરિપ્રેક્ષ્યમાં, શિંદેનું માત્ર 25 ટકા કામ પૂર્ણ થયું છે.

ચૂંટણી પંચ નક્કી કરશે કે પાર્ટીનું ચૂંટણી ચિન્હ કોને મળશે

રાજકીય પક્ષોમાં વિભાજનની બે જ સ્થિતિ છે. એક જ્યારે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું હોય,  ત્યારે પક્ષમાં થતા વિભાજનની સ્થિતિમાં નિર્ણય લેવાની સત્તા વિધાનસભાના અધ્યક્ષ પાસે રહે છે. આ કિસ્સામાં પક્ષપલટા વિરોધી કાયદો પણ લાગુ પડે છે. બીજું- જ્યારે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું ના હોય ત્યારે જો માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રીય અથવા રાજ્ય સ્તરની પાર્ટીમાં વિભાજન થાય છે, તો ચૂંટણી પંચ નક્કી કરે છે કે તે કોનો પક્ષ છે. ચૂંટણી પંચને આ સત્તા ચૂંટણી સિમ્બોલ્સ ઓર્ડર, 1968ના ફકરા નંબર 15માંથી મળે છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

એકનાથ શિંદે માટે પાર્ટીનું સિમ્બોલ મેળવવું એટલું સરળ નથી

હાલમાં એકનાથ શિંદેને 40 ધારાસભ્યોનું સમર્થન છે. આ સિવાય કેટલાક સાંસદોએ પણ શિંદેને સમર્થન આપ્યું હોવાના અહેવાલ છે. થાણે જિલ્લાના લગભગ 40 કોર્પોરેટરો પણ શિંદેની સાથે હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, પરંતુ આટલું બધું હોવા છતાં શિંદેનું માત્ર ચોથા ભાગનું જ કામ પૂર્ણ થયું છે.

પાર્ટીનું ચૂંટણી ચિન્હ મેળવવા માટે શિંદેએ આમ કરવું પડશે

પાર્ટીનું ચૂંટણી ચિન્હ મેળવવું પણ એટલું સરળ નથી. પાર્ટી ચિન્હ મેળવવા માટે, શિંદેએ હવે પાર્ટીના ધારાસભ્યો સિવાય પાર્ટીના નેતાઓ, ડેપ્યુટી લીડર, સેક્રેટરી, પ્રવક્તા, લોકસભા સાંસદ, રાજ્યસભા સાંસદ, MLC, મેયર અને ડેપ્યુટી મેયરનો ટેકો લેવો પડશે. આ ઉપરાંત સંગઠનને યુવા સેના, મહિલા અઘાડી, ભારતીય કામદાર સેના જેવા પક્ષના અન્ય મોરચાના સમર્થનની પણ જરૂર રહેશે. પાર્ટી સિમ્બોલ મેળવવા માટે શિંદેને શિવસેનાના અડધાથી વધુ લોકોનું આ સમર્થન હોવું જોઈએ.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">