શિવ સૈનિક બાળા સાહેબના નામ પર ખોટી શપથ ન લઈ શકે, આ રીતે સંજય રાઉતે અનિલ પરબનો કર્યો બચાવ
એન્ટિલિયા કેસ (Antilia Case)માં ધરપકડ કરાયેલા સચિન વાઝે અને મનસુખ હિરેન મૃત્યુ મામલે સનસનાટીભર્યા આરોપોએ મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહના આક્ષેપોને વેગ આપ્યો છે.
એન્ટિલિયા કેસ (Antilia Case)માં ધરપકડ કરાયેલા સચિન વાઝે અને મનસુખ હિરેન મૃત્યુ મામલે સનસનાટીભર્યા આરોપોએ મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહના આક્ષેપોને વેગ આપ્યો છે. સચિન વાઝેના આરોપોથી ઘેરાયેલા અનિલ પરબ (Anil Parab)નો બચાવ કરવા સંજય રાઉત (Sanjay Raut) આગળ આવ્યા છે. સચિન વાઝે પરિવહન પ્રધાન અનિલ પરબ પર લગાયેલા આક્ષેપો અંગે સંજય રાઉતે કહ્યું હતું કે તેઓ આવું ક્યારેય ન કરી શકે આ માત્ર એક રાજકીય ષડયંત્ર છે.
A new tactic has come to light wherein people who are in jail write letters. This is a political conspiracy I know Anil Parab, he can never indulge in such work. I can assure, no Shiv Sainik can take a false oath in Bala Saheb Thackeray’s name: Shiv Sena’s Sanjay Raut https://t.co/D4NKV6Kf6Y pic.twitter.com/t3J9OzVHzk
— ANI (@ANI) April 8, 2021
એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું, ‘જેલમાંથી પત્ર લખવાનો નવો રિવાજ શરૂ થયો છે. શિવસેનાના મંત્રી વિરુદ્ધ કાવતરું રચવામાં આવી રહ્યું છે. હું અનિલ પરબને જાણું છું, તે આવા કામમાં સામેલ થઈ શકે નહીં. હું ખાતરી આપી શકું છું કે કોઈ પણ શિવ સૈનિક બાળાસાહેબના નામે ખોટી શપથ લે નહીં. તમને જણાવી દઈએ કે એનઆઈએને લખેલા પત્રમાં સચિન વાઝેએ આરોપ લગાવ્યો છે કે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ અને રાજ્યના પરિવહન પ્રધાન અનિલ પરબને તેમની બદલી કરવા કહ્યું હતું. અગાઉ પરમબીરસિંહે એવો પણ આરોપ લગાવ્યો હતો કે દેશમુખે જ વાઝેને દર મહિને 100 કરોડ રૂપિયાની ઉઘરાણી કરવાનો ટાર્ગેટ આપ્યો હતો.
અનિલ પરબે આરોપોને નકારી કાઢ્યા તે જ સમયે, બુધવારે મહારાષ્ટ્રના પરિવહન પ્રધાન અનિલ પરબને મુંબઈના સસ્પેન્ડ કરેલા એપીઆઈ સચિન વાઝેના આરોપોને ફગાવી દીધા છે. અનિલ પરબે પત્રકાર પરિષદને સંબોધતી વખતે સચિન વાઝેના તમામ આક્ષેપોને ખોટા ગણાવ્યા હતા. તેમણે પોતાની દીકરીઓના સમ ખાઈને કહ્યું હતું કે પોતે બાળા સાહેબના શિવસૈનિક છે.