કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની હત્યા પર સંજય રાઉતે ઉઠાવ્યા સવાલ, કહ્યું- હનુમાન ચાલીસાના પાઠથી સમસ્યા નહીં ઉકેલાય, મોદી સરકાર ગંભીરતાથી કામ કરે

શિવસેના (Shiv Sena) સાંસદે કહ્યું, આ વાત માત્ર પંડિતો સુધી સીમિત નથી. અન્ય લોકો પણ અસુરક્ષિત છે. ગૃહમંત્રીએ આ બાબતને ગંભીરતાથી સમજવાની જરૂર છે. સામાન્ય કાશ્મીરીઓની સુરક્ષાને પણ ગંભીરતાથી લેવાની જરૂર છે.

કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની હત્યા પર સંજય રાઉતે ઉઠાવ્યા સવાલ, કહ્યું- હનુમાન ચાલીસાના પાઠથી સમસ્યા નહીં ઉકેલાય, મોદી સરકાર ગંભીરતાથી કામ કરે
Sanjay Raut - Shiv Sena
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 13, 2022 | 4:27 PM

ભારત સરકારે જ્યારથી જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવી છે અને કાશ્મીરી પંડિતોની (Kashmiri Pandit) ઘર વાપસી માટેના પ્રયાસો ચાલુ છે ત્યારથી જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓએ (Terrorists) પહેલા કરતા વધુ ઝડપથી કાશ્મીરી પંડિતોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. ગુરુવારે બડગામના ચદૂરા તહસીલ વિસ્તારમાં આતંકવાદીઓએ કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની હત્યા કરી નાખી હતી. રાહુલ ભટ્ટ સરકારી કર્મચારી હતા. રાહુલ ભટ્ટના પરિવારના સભ્યો કહે છે કે તેઓ બે વર્ષથી આતંકવાદી હુમલાના જોખમને સમજીને તેમનું પોસ્ટિંગ અન્યત્ર કરાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ તેમની ટ્રાન્સફરની અરજીને અવગણવામાં આવી હતી.

મહારાષ્ટ્રના શિવસેના સાંસદ સંજય રાઉતે (Sanjay Raut) આ સમગ્ર મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં કેન્દ્રની ભાજપ સરકાર પર કાશ્મીરી પંડિતોની સુરક્ષાના પ્રશ્નોને ગંભીરતાથી ન લેવાનો આરોપ લગાવ્યો છે.

આજે મુંબઈમાં પત્રકારો સાથે વાત કરતા સંજય રાઉતે કહ્યું, કાશ્મીરી પંડિતોના ઘરે પાછા ફરવાની વાત થઈ હતી, આ મોદી સરકારનો મુખ્ય એજન્ડા હતો. આ માટે 370 દૂર કરવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીરનું વિભાજન થયું. 7 વર્ષથી કેટલા વતન પરત ફર્યા તે ખબર નથી, પરંતુ જે લોકો ત્યાં રહેતા હતા તેમને પણ રહેવા દેવામાં નથી આવી રહ્યા, તેમની પણ હત્યા કરવામાં આવી રહી છે. તેમને ભગાડવામાં આવી રહ્યા છે. પાકિસ્તાન પર વારંવાર આંગળી ન ઉઠાવશો. આ હુમલાઓને રોકવા માટે કહો કે તમે કાશ્મીરી પંડિતોની સુરક્ષા માટે શું કરી રહ્યા છીએ. મને લાગે છે કે ગૃહમંત્રીએ આ અંગે ગંભીરતાથી વિચારવું પડશે.

માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !

હનુમાન ચાલીસાના પાઠ કરવાથી હુમલા અટકશે નહીં, કડક પગલાં લેવા પડશે

શિવસેના સાંસદે કહ્યું, આ વાત માત્ર પંડિતો સુધી સીમિત નથી. અન્ય લોકો પણ અસુરક્ષિત છે. ગૃહમંત્રીએ આ બાબતને ગંભીરતાથી સમજવાની જરૂર છે. સામાન્ય કાશ્મીરીઓની સુરક્ષાને પણ ગંભીરતાથી લેવાની જરૂર છે. હનુમાન ચાલીસાના પાઠ કરવાથી આ મામલો ઉકેલાશે નહીં. રાજકારણથી આગળ વધીને ઉકેલ શોધવો પડશે. કડક પગલાં લેવા પડશે. શિવસેના કાશ્મીરી પંડિતોના મુદ્દાને ખૂબ જ સંવેદનશીલતાથી સમજે છે. એક તરફ ચીનનો ખતરો યથાવત છે તો બીજી તરફ કાશ્મીર પરેશાન છે. આ સમસ્યાનો ઉકેલ લાવવો પડશે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">