મહારાષ્ટ્ર : CM ઠાકરેની મંદિરના પ્રતિનિધિઓ સાથે મીટિંગ, સાંઈ જન્મસ્થળ વિવાદ શાંત
સાંઈ જન્મસ્થાન વિવાદનો અંત આવી ગયો છે. મહારાષ્ટ્રના સીએમએ આ અંગે શિરડી મંદિરના ટ્ર્સ્ટના સીઈઓ, પાથરી ગ્રામસભાની સાથે એક મીટીંગ બોલાવી હતી. જેમાં આશ્વાસન આપવામાં આવ્યું છે કે જન્મસ્થળને લઈને કોઈ જ વિવાદ નહીં થાય. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more IPL 2024 […]
સાંઈ જન્મસ્થાન વિવાદનો અંત આવી ગયો છે. મહારાષ્ટ્રના સીએમએ આ અંગે શિરડી મંદિરના ટ્ર્સ્ટના સીઈઓ, પાથરી ગ્રામસભાની સાથે એક મીટીંગ બોલાવી હતી. જેમાં આશ્વાસન આપવામાં આવ્યું છે કે જન્મસ્થળને લઈને કોઈ જ વિવાદ નહીં થાય.
આ પણ વાંચો : જેલમાંથી ખંડણીનું નેટવર્ક ચલાવવાના કેસમાં વિશાલ ગોસ્વામી સહિત 3 આરોપીઓના રિમાન્ડ મંજૂર
બેઠકમાં શિરડીથી શિવસેનાના નેતા કમલાકર કોટેએ જાણકારી આપી કે સીએમ દ્વારા બેઠકમાં હાજર રહેલાં પ્રતિનિધિઓને પૂછવામાં આવ્યું હતું કે શું તેઓ પાથરીમાં જે ફંડ આપવામાં આવી રહ્યું છે તેના વિરોધમાં છે? આ પ્રશ્નના જવાબમાં શિરડીના પ્રતિનિધિેએ કહ્યું કે કોઈપણ ગામના વિકાસ માટે ફંડ આપવામાં આવે તો તેમને કોઈ જ વાંધો નથી. શિરડી ધર્મસ્થાન હવે સંતુષ્ટ છે કારણ કે મુખ્યમંત્રીએ તેમની તમામ માગણીઓેને સ્વીકારી લીધી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
મુખ્યમંત્રીએ પ્રતિનિધિ મંડળને આશ્વાસન પણ આપ્યું છે કે સાંઈ જન્મસ્થળને લઈને કોઈ જ વિવાદ નહીં થાય. આ સિવાય 100 કરોડ રુપિયાની મોટી રકમ પાથરી ગામના વિકાસ માટે ફાળવવામાં આવશે. આ વિવાદને લઈને શિરડી બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી જો કે બાદમાં બધું થાળે પડ્યું હતું.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]