નુપુર શર્માનો પક્ષ લેવા બદલ બબાલ, પથ્થરમારો અને તોડફોડ પછી 24 લોકોની ધરપકડ, ઉપદ્રવીઓએ શિવસેના નેતાની ઓફિસમાં કરી તોડફોડ

ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માના (Nupur Sharma) સમર્થનમાં WhatsApp સ્ટેટસ રાખવાને લઈને મધ્યરાત્રિએ શરૂ થયેલા હોબાળામાં ઝેંડાચોક મરી માતા મંદિર વિસ્તારમાં ઉગ્ર પથ્થરમારો થયો હતો.

નુપુર શર્માનો પક્ષ લેવા બદલ બબાલ, પથ્થરમારો અને તોડફોડ પછી 24 લોકોની ધરપકડ, ઉપદ્રવીઓએ શિવસેના નેતાની ઓફિસમાં કરી તોડફોડ
Maharashtra Police (Symbolic picture)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 12, 2022 | 7:02 PM

મહારાષ્ટ્રના (Maharashtra) નંદુરબાર જિલ્લાના અક્કલ કુઆમાં શનિવારે રાત્રે બબાલ થઈ હતી. જ્યાં રાત્રે 1 વાગ્યા બાદ લોકોએ પથ્થરમારો કરી વાહનોમાં તોડફોડ કરી હતી. અક્કલકુવાના ઝેંડા ચોક બજારપેઠ તલોડા નાકા મરી માતા મંદિર પરિસર વિસ્તારમાં ભારે નુકસાન થયું છે. આ વિસ્તારોમાં પથ્થરમારો અને તોડફોડની ઘણી ઘટનાઓ બની છે. એક વ્યક્તિએ નુપુર શર્માની તરફેણમાં વોટ્સએપ સ્ટેટસ રાખ્યું હતું. જે બાદ મામલો પોલીસ સ્ટેશનમાં ગયો હતો. જ્યાં પોલીસે તે વ્યક્તિને તેમજ સામા પક્ષને સમજાવીને પરત મોકલી દીધો હતો. પરંતુ રસ્તામાં પરત ફરતી વખતે લોકો રોષે ભરાયા હતા અને પથ્થરમારો કર્યો હતો. આવી સ્થિતિમાં લગભગ એક કલાક સુધી આ બધું ચાલ્યું. જે બાદ પોલીસે બળપ્રયોગ કરીને લોકોને હટાવ્યા હતા.

પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં 24 લોકોની ધરપકડ કરી છે. તેમજ કેસ પણ નોંધવામાં આવ્યો છે. જો કે આ મામલે તપાસ ચાલી રહી છે. આ દરમિયાન તોફાનીઓએ પથ્થરમારો પણ કર્યો હતો અને હિંદુ વસાહતમાં તોડફોડ કરી હતી. આ સાથે નંદુરબાર જિલ્લામાં શનિવારે રાત્રે થયેલા હંગામામાં લોકોએ શિવસેનાના વિધાન પરિષદના ઉમેદવાર અમાશય પાડવીના કાર્યાલયમાં પણ તોડફોડ કરી હતી. મોડી રાત્રે થયેલા હંગામામાં અમાશયની ઓફિસ પર પણ ભારે પથ્થરમારો અને તોડફોડ કરવામાં આવી હતી. આ મામલામાં નંદુરબાર પોલીસે અલગ એફઆઈઆર નોંધી છે.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માના સમર્થનમાં WhatsApp સ્ટેટસ રાખવાને લઈને મધ્યરાત્રિમાં શરૂ થયેલા હોબાળામાં વસાહતોને નિશાન બનાવી હતી. જેમાં ઝેંડાચોક મરી માતા મંદિર વિસ્તારમાં ઉગ્ર પથ્થરમારો થયો હતો. તે દરમિયાન લોકો ઘરની બહાર નીકળી શક્યા ન હતા. આવી સ્થિતિમાં, જ્યાં સુધી સામા પક્ષના લોકોએ આ પથ્થરમારો અને તોડફોડ અંગે કોઈ પ્રતિક્રિયા આપે ત્યાં સુધી એસઆરપીએફ, રાયોટ કંટ્રોલ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ સ્થાનિક પોલીસ સાથે એસપી પોતે ઘટનાસ્થળે પહોંચી ગયા. જે બાદ પથ્થરમારો કરનારા ટોળાને કોઈક રીતે દૂર કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, નુપુર શર્માની ટીપ્પણી બાદ વિવિધ સ્થળોએ ઉગ્ર દેખાવોની ઘટના સામે આવી છે. જેને લઈને કેન્દ્રીય ગૃહ વિભાગ પણ સતર્ક બન્યુ છે.

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">