ભાજપ સાંસદે ફરી ઉચ્ચારી ચેતવણી, કહ્યું – રાજ ઠાકરે હવે માફી માંગે તો પણ અયોધ્યા નહીં આવી શકે, સમય જતો રહ્યો

જે સમય આપવામાં આવ્યો હતો તે હવે પુરો થઈ ગયો છે. હવે માફી માંગ્યા બાદ પણ રાજ ઠાકરેએ (Raj Thackeray) તારીખ બદલવી પડશે. તેઓ 5મીએ અયોધ્યા આવી શકશે નહીં. બ્રિજ ભૂષણ શરણ સિંહે અમારી પાર્ટનર ન્યૂઝ ચેનલ TV9 મરાઠી સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં આ ચેતવણી આપી હતી.

ભાજપ સાંસદે ફરી ઉચ્ચારી ચેતવણી, કહ્યું - રાજ ઠાકરે હવે માફી માંગે તો પણ અયોધ્યા નહીં આવી શકે, સમય જતો રહ્યો
Brij Bhushan Saran Singh, Raj Thackeray & Abu Azmi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 09, 2022 | 7:48 PM

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેના 5 જૂને થનારા અયોધ્યા પ્રવાસને (Raj Thackeray Ayodhya Visit) લઈને મુશ્કેલીઓ વધી રહી છે. ઉત્તર પ્રદેશના કૈસરગંજના ભાજપ સાંસદ બ્રિજ ભૂષણ સરન (Brij Bhushan Saran Singh BJP) સિંહે હવે નવું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે રાજ ઠાકરેને ઉત્તર ભારતીયોની માફી માંગવા માટે આપવામાં આવેલો સમય હવે પૂરો થઈ ગયો છે. રાજ ઠાકરેએ હવે તારીખ બદલવી પડશે. ઉત્તર ભારતીયોએ હવે અયોધ્યાની આસપાસ છાવણી બનાવી લીધી છે. તેઓ 5મીએ રાજ ઠાકરેને કોઈપણ શરતમાં અયોધ્યામાં ઉતરવા નહીં દે. બ્રિજભૂષણ શરણ સિંહને હવે મહારાષ્ટ્રમાંથી સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબુ આઝમીનું (Abu Azmi SP MLA) સમર્થન પણ મળી ગયું છે.

અબુ આઝમીએ બ્રિજભૂષણ શરણ સિંહને ફોન કરીને સમર્થન આપ્યું અને કહ્યું કે તેઓ સારું કામ કરી રહ્યા છે. તેઓ તેમના આ કાર્ય માટે તેમનો સંપૂર્ણ સહયોગ આપે છે. બ્રિજભૂષણ શરણ સિંહે ગુરુવારે કહ્યું હતું કે જો રાજ ઠાકરે અયોધ્યા આવવા ઈચ્છે છે તો તેમની પાસે બે જ રસ્તા છે. કાં તો તેઓ કહે છે કે થોડા વર્ષો પહેલા ઉત્તર ભારતીયો પર થયેલા હુમલામાં તેમનો કોઈ હાથ નથી અથવા તેઓએ આ કૃત્ય માટે માફી માંગવી જોઈએ અને કહેવું જોઈએ કે આવું ફરીથી નહીં થાય. આમ કર્યા પછી જ તેઓ અયોધ્યામાં પગ મુકી શકશે. નહિંતર, તેઓ જહાજમાં ચડી તો જશે પરંતુ અયોધ્યા ઉતરી શકશે નહીં.

આ પછી તેમણે રવિવારે અને આજે (9 મે, સોમવાર) અમારી સહયોગી ન્યૂઝ ચેનલ TV9 મરાઠી સાથેની એક એક્સક્લુઝીવ વાતચીતમાં એ જ વાતનું પુનરાવર્તન કર્યું, તેમણે ત્યાં સુધી કહ્યું કે માફી માંગવાનો સમય જતો રહ્યો છે. હવે જો રાજ માફી માંગે તો પણ તેમને 5મીએ અયોધ્યામાં ઉતરવા દેવામાં આવશે નહીં.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

TV9 સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં, બ્રિજભૂષણ શરણ સિંહ-રાજ ઠાકરેએ હવે તારીખ બદલવી પડશે

‘કાલે સંતોની સભા થશે, 50 હજાર લોકો હશે એક સાથે, રાજ ઠાકરેનો વિરોધ ચાલુ રહેશે’

સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહે TV9 સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં કહ્યું ‘કાલે અયોધ્યામાં સંતો-મહંતોની બેઠક છે. સાથે જ અહીં પચાસ હજાર લોકો એકઠા થશે. સંતોનું પણ માનવું છે કે જ્યાં સુધી રાજ ઠાકરે ઉત્તર ભારતીયોની માફી નહીં માંગે ત્યાં સુધી તેમને અયોધ્યા આવવા દેવામાં આવશે નહીં. હવે તેઓ ઓછામાં ઓછી 5 તારીખે તો અયોધ્યા નહીં જ આવી શકે. અમને મહારાષ્ટ્રમાંથી મુસ્લિમ અને મરાઠા સમુદાયના ઘણા લોકોના ફોન આવી રહ્યા છે અને તેઓ અમને સંપૂર્ણ સમર્થન આપી રહ્યા છે.

Latest News Updates

હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">