રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મજબૂત ઉમેદવાર ઊભા નથી કરી શક્તા તો 2024માં સક્ષમ PM કેવી રીતે આપશો? શિવસેનાએ વિપક્ષ પર ઉઠાવ્યા સવાલ

શિવસેનાએ (Shiv Sena) કહ્યું કે જો 2024ની સામાન્ય ચૂંટણીમાં વિપક્ષને સંખ્યા મળી જાય તો વડાપ્રધાન પદ માટે કતારમાં ઘણા વરરાજાઓ હશે, જ્યારે તેઓ હાલ રાષ્ટ્રપતિની ચૂંટણીમાંથી બહાર નીકળી રહ્યા છે.

રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મજબૂત ઉમેદવાર ઊભા નથી કરી શક્તા તો 2024માં સક્ષમ PM કેવી રીતે આપશો? શિવસેનાએ વિપક્ષ પર ઉઠાવ્યા સવાલ
Mamata Banerjee & Uddhav Thackeray (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 18, 2022 | 7:39 PM

આગામી રાષ્ટ્રપતિની ચૂંટણીને (President Election) ગંભીરતાથી લેવાની જરૂરિયાત વ્યક્ત કરતા શિવસેનાએ શુક્રવારે કહ્યું કે લોકો પૂછી શકે છે કે જો વિપક્ષ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મજબૂત ઉમેદવાર ઉભા ન કરી શકે તો તે સક્ષમ વડાપ્રધાન કેવી રીતે પ્રદાન કરી શકશે. શિવસેનાએ તેના મુખપત્ર સામનાના સંપાદકીયમાં કહ્યું છે કે રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન મહાત્મા ગાંધીના પૌત્ર ગોપાલ કૃષ્ણ ગાંધી અને નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લાના નામ અવારનવાર સામે આવે છે. પરંતુ તેમની પાસે આ ચૂંટણીને જોરદાર મુકાબલામાં ફેરવવાનું વ્યક્તિત્વ કે વજન નથી. સામનાએ કહ્યું કે બીજી તરફ, એવી કોઈ શક્યતા નથી કે સરકાર કોઈ અદભૂત ઉમેદવાર લાવશે, પાંચ વર્ષ પહેલા બે-ત્રણ લોકોએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને (Ramnath Kovind) ચૂંટ્યા હતા અને આ વર્ષે પણ તેઓ આવું જ કરી શકે છે.

વાસ્તવમાં રાષ્ટ્રપતિ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ પૂરો થાય છે અને તેમના અનુગામી માટે 18 જુલાઈએ ચૂંટણી થવાની છે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે નામાંકન પત્ર ભરવાની પ્રક્રિયા બુધવારે શરૂ થઈ હતી. અત્યાર સુધીમાં 15 લોકોએ ઉમેદવારી નોંધાવી છે. કોંગ્રેસ, દ્રવિડ મુનેત્ર કષગમ (DMK), રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અને સમાજવાદી પાર્ટી (SP) સહિત 17 પક્ષોએ 15 જૂને દિલ્હીમાં એક મહત્વપૂર્ણ બેઠકમાં ભાગ લીધો હતો.

બેઠકનું આયોજન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (એનડીએ) સામે સંયુક્ત ઉમેદવાર ઉભા કરવા સહમત થવા માટે કર્યું હતું. આ પક્ષોએ NCP સુપ્રીમો શરદ પવારને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમના સંયુક્ત ઉમેદવાર બનવા માટે પણ અપીલ કરી હતી, પરંતુ તેમણે આ ઓફર ઠુકરાવી દીધી હતી.

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

પવારે 20-21 જૂને વિરોધ પક્ષોની બેઠક બોલાવી હતી

સૂત્રોના જણાવ્યા અનુસાર પવારે 20-21 જૂને મુંબઈમાં વિપક્ષી પાર્ટીઓની બીજી બેઠક બોલાવી છે. શિવસેનાએ કહ્યું પવાર નહીં તો કોણ? જો આ પ્રશ્નનો જવાબ શોધવાનું કામ છ મહિના અગાઉ થઈ ગયું હોત તો આ ચૂંટણી પ્રત્યે વિપક્ષની ગંભીરતા સામે આવી હોત. તેમણે કહ્યું કે જો વિપક્ષ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મજબૂત ઉમેદવાર ઉભા નહીં કરી શકે તો 2024માં સક્ષમ વડાપ્રધાન કેવી રીતે આપી શકશે. આ પ્રશ્ન લોકોના મનમાં ચોક્કસ આવશે. શિવસેનાએ કહ્યું કે જો 2024ની સામાન્ય ચૂંટણીમાં વિપક્ષને સંખ્યા મળી જાય તો વડાપ્રધાન પદ માટે કતારમાં ઘણા વરરાજાઓ હશે, જ્યારે તેઓ હાલ રાષ્ટ્રપતિની ચૂંટણીમાંથી બહાર નીકળી રહ્યા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">