Parambir Singh: ક્યાં છે પરમબીર સિંહ? પોલીસને ખબર નથી, સરકારને ખબર નથી, કોંગ્રેસ નેતાએ આપ્યો જવાબ

પરમબીર સિંહે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પર પોલીસ અધિકારીઓનો ઉપયોગ કરીને 100 કરોડની ઉચાપત કરવાનો આરોપ લગાવ્યો હતો. પરંતુ અનિલ દેશમુખ પર આરોપ લગાવ્યા બાદ તે પોતે પણ રિકવરી અને અન્ય ઘણા કેસમાં ફસાઈ ગયા હતા.

Parambir Singh: ક્યાં છે પરમબીર સિંહ? પોલીસને ખબર નથી, સરકારને ખબર નથી, કોંગ્રેસ નેતાએ આપ્યો જવાબ
મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2021 | 8:37 PM

મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહ (Parambir Singh) ક્યાં ગુમ થયા છે? તેનો જવાબ ન તો પોલીસ પાસે છે કે ન રાજ્ય સરકાર પાસે છે. થાણે કોર્ટ અને મુંબઈના એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ તેમની સામે બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ જારી કર્યું છે. વારંવારના સમન્સ પાઠવવા છતાં તે પૂછપરછ અને તપાસ માટે હાજર થયા ન હતા. જેના કારણે પરમબીર સિંહ ફરાર હોવાનું કહેવામાં આવી રહ્યું હતું. આવા સમયે કોંગ્રેસના નેતા સંજય નિરુપમે ટ્વીટ કરીને હલચલ મચાવી દીધી છે. સંજય નિરુપમે દાવો કર્યો છે કે પરમબીર સિંહ બેલ્જિયમમાં છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

પરમબીર સિંહે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પર પોલીસ અધિકારીઓનો ઉપયોગ કરીને 100 કરોડની ઉચાપત કરવાનો આરોપ લગાવ્યો હતો. પરંતુ અનિલ દેશમુખ પર આરોપ લગાવ્યા બાદ તે પોતે પણ રિકવરી અને અન્ય ઘણા કેસમાં ફસાઈ ગયા હતા. આ પછી તેમણે તપાસ અને પૂછપરછમાં આવવાનું બંધ કરી દીધું. સંજય નિરુપમે ટ્વીટ કરીને તેમના ઠેકાણાનો પત્તો લગાવવાનો દાવો કર્યો છે.

કોંગ્રેસના નેતા સંજય નિરુપમે દાવો કર્યો છે કે પરમબીર સિંહ બેલ્જિયમમાં છે

સંજય નિરુપમે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, આ છે મુંબઈ પોલીસના પૂર્વ પોલીસ કમિશ્નર. મંત્રી પર હપ્તા વસુલીનો આરોપ લગાવ્યો હતો. તે પોતે પાંચ કેસમાં વોન્ટેડ છે. પોલીસે જણાવ્યુ છે કે તે ફરાર છે. બહાર આવ્યું છે, તે બેલ્જિયમમાં છે.  બેલ્જિયમ કેવી રીતે ગયા? તેને કોણે સેફ પેસેજ આપ્યો? શું આપણે  અંડર કવર મોકલીને આને લાવી શકીએ નહીં?

પરમબીર સિંહ વિરુદ્ધ છે થાણે અને મુંબઈમાં અરેસ્ટ વોરંટ 

મુંબઈ સહિત થાણેમાં પણ પરમબીર સિંહ વિરુદ્ધ વસૂલાતના ઘણા કેસ નોંધાયેલા છે. આ કારણે તેમની સામે લુક આઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી છે. પરંતુ તેમનો ક્યાંય પત્તો લાગ્યો નથી. તેથી થાણે કોર્ટ બાદ હવે મુંબઈની કિલ્લા કોર્ટે પણ તેમની સામે બિનજામીનપાત્ર અરેસ્ટ વોરંટ જાહેર કર્યું છે.

પરમબીર સિંહને ધરપકડમાંથી મુક્તિ આપવાનો રાજ્ય સરકારે ઈન્કાર કરી દીધો છે

પરમબીર સિંહ પર ગંભીર આરોપો છે. તે આરોપોની તપાસ દરમિયાન તેમને વારંવાર સમન્સ પાઠવવામાં આવ્યા હતા. પરંતુ તે પૂછપરછ માટે હાજર થયા ન હતા. તેઓ ક્યાં છે તે રાજ્ય સરકારને ખબર નથી. તેથી, રાજ્ય સરકારે 20 ઓક્ટોબરે હાઈકોર્ટને સ્પષ્ટ કર્યું છે કે તે વચન આપી શકે નહીં કે પરમબીર સામે કડક પગલાં લેવામાં આવશે નહીં.

એટ્રોસિટી કેસમાં બે વખત સમન્સ મોકલવામાં આવ્યા ત્યારે પરમબીર સિંહે તેના જવાબો આપ્યા હતા. પરમબીર સિંહના વકીલ મહેશ જેઠમલાણીએ કોર્ટને આ વાત કહી. પરંતુ અગાઉ રાજ્ય સરકારે કોર્ટને વચન આપ્યું હતું કે પરમબીર સિંહની ધરપકડ કરવામાં આવશે નહીં. પરંતુ ત્યારપછીની સુનાવણીમાં રાજ્ય સરકારે કોર્ટમાંથી સ્પષ્ટતા કરી હતી કે પરમબીર ક્યાં છે તે જાણી શકાયું નથી. તેઓ કોઈપણ સમન્સનો જવાબ આપી રહ્યા નથી, તેથી હવે રાજ્ય સરકાર પણ તેમને ધરપકડથી બચાવવા અને તેમની સામે કડક પગલાં નહીં લેવાનું વચન આપી શકે નહીં.

આ પણ વાંચો :  ડ્રગ્સ કેસમાં આર્યન બાદ અરબાઝ મર્ચન્ટ અને મુનમુનને જેલમાંથી મળી મુક્તિ, અરબાઝના પિતાએ કહ્યુ….

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">