નવનીત રાણાનો જીવ જોખમમાં ! રાજસ્થાનની સરહદેથી આવેલા કેટલાક લોકોએ અમરાવતીના ઘરની કરી રેકી, શુભેચ્છકોએ આપી ચેતવણી

રાજસ્થાનની (Rajasthan) સરહદના કેટલાક લોકોએ અમરાવતીમાં સાંસદ નવનીત રાણા (MP Navneet Rana) અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાના ઘરની રેકી કરી છે. સાંસદ નવનીત રાણાને પત્ર લખીને તેમના એક શુભેચ્છકે ચેતવણી આપી છે કે તેમનો જીવ જોખમમાં છે.

નવનીત રાણાનો જીવ જોખમમાં ! રાજસ્થાનની સરહદેથી આવેલા કેટલાક લોકોએ અમરાવતીના ઘરની કરી રેકી, શુભેચ્છકોએ આપી ચેતવણી
Navneet Rana Life In Threat Informs A Well Wisher By Sending A Letter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2022 | 3:39 PM

અમરાવતીના સાંસદ નવનીત રાણા (MP Navneet Rana) અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાનો જીવ જોખમમાં છે. કેટલાક લોકોએ અમરાવતીમાં (Amravati) રાણા દંપતીના ઘરની રેકી કરી છે. રાજસ્થાનની સરહદેથી આવેલા કેટલાક લોકોએ રાણા દંપતીના ઘરની રેકી કરી હતી. સાંસદ નવનીત રાણાને પત્ર લખીને તેમના એક શુભેચ્છકે આ ચેતવણી આપી છે. નવનીત રાણાએ અમરાવતીમાં મેડિકલ સ્ટોર ચલાવતા અમોલ કોલ્હેના મર્ડર કેસનો મુદ્દો ઉઠાવ્યો હતો. ભાજપના સસ્પેન્ડ કરાયેલા પ્રવક્તા નુપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા બદલ અમોલ કોલ્હેની હત્યા કરવામાં આવી હતી.

નવનીત રાણાએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને પત્ર લખીને અમરાવતી પોલીસ કમિશનર આરતી સિંહ અને કોંગ્રેસ નેતા યશોમતી ઠાકુર પર લૂંટ માટે હત્યાનો કેસ બનાવીને કેસને દબાવવાનો આરોપ લગાવ્યો હતો. આ પછી કેન્દ્ર સરકાર વતી આ કેસની તપાસ NIAને સોંપવામાં આવી હતી. આ મામલાની તપાસ માટે રાજ્ય સરકાર દ્વારા SITની પણ રચના કરવામાં આવી હતી.

રાણા દંપતીનો જીવ જોખમમાં હોવાનું જણાવી શુભેચ્છકોના પત્રમાં શું લખ્યું છે?

રાણા દંપતીને મોકલવામાં આવેલા પત્રમાં, શુભેચ્છકે પોતાનું નામ ન જાહેર કરતા સાવચેત રહેવાની સલાહ આપી છે. શુભચિંતકોએ દાવો કર્યો છે કે રાજસ્થાનની સરહદેથી કેટલાક લોકો તેમના અમરાવતી નિવાસસ્થાનની રેકી કરીને ગયા છે. શુભેચ્છકે નવનીત રાણાને સંબોધીને પોતાના પત્રમાં લખ્યું છે કે, ‘નમસ્તે મેડમ, હું તમને મારું નામ ન કહી શકું. હું તમારા જ શહેરનો સામાન્ય નાગરિક છું. હું તમને ચેતવણી આપવા માંગુ છું કે તમારે થોડી સાવચેતી રાખવી જોઈએ. કારણ કે કેટલાક લોકો તમને ફોલો કરી રહ્યા છે. તમે મને ઘણી બધી બાબતોમાં મદદ કરી છે.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

આ પછી પત્ર મોકલનાર શુભેચ્છકે લખ્યું છે કે, ‘હું સરકારી નોકર છું. તમે મારુ ટ્રાન્સફર કરાવ્યું હતું અને મારા પિતાને પણ કોરોનાના સમયમાં ઘણી મદદ કરી હતી. હું તમને એટલું જ કહેવા માંગુ છું કે રાજસ્થાન બોર્ડરથી કેટલાક શંકાસ્પદ લોકો અમરાવતી આવ્યા છે. મને માહિતી મળી છે કે તેઓ તમારા ઘરે પણ આવીને ગયા છે. હું અલ્લાહને પ્રાર્થના કરીશ કે તમારી સાથે કંઈ અનહોની ન થાય અને તમે આ રીતે જ ઉચ્ચ પદ પર જાઓ. ખુદા હાફિઝ’

Latest News Updates

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">