RSS હેડક્વાર્ટરમાં રાષ્ટ્રધ્વજ લહેરાયો, મોહન ભાગવત ‘હર ઘર ત્રિરંગા’ અભિયાનમાં જોડાયા
શનિવારે નાગપુરમાં આરએસએસના મુખ્યાલયમાં (RSS headquarters) પણ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. સંઘ કાર્યકર્તાઓની સાથે મોહન ભાગવત (Mohan Bhagwat) પણ 'હર ઘર ત્રિરંગા' અભિયાનમાં જોડાયા હતા.
શનિવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્યમથક (RSS) નાગપુર ખાતે પણ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ રીતે RSSના સરસંઘચાલક મોહન ભાગવત (Mohan Bhagwat) સહિત ઘણા સંઘ કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ ‘હર ઘર તિરંગા‘ અભિયાનમાં જોડાયા. આ વખતે ભારત 75મો સ્વતંત્રતા પર્વ ઉજવી રહ્યું છે. પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપની કેન્દ્ર સરકારે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત અનેક કાર્યક્રમોનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમોમાં સૌથી મહત્વપૂર્ણ ‘હર ઘર ત્રિરંગા’ અભિયાન છે. પીએમ નરેન્દ્ર મોદીએ દરેક ભારતીયોને આ અભિયાનમાં જોડાવા માટે આહ્વાન કર્યું છે.
ભારતના 75મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે આ ઉત્સવ 13 થી 15 ઓગસ્ટ સુધી ઉજવવામાં આવશે. આ દરમિયાન 2 ઓગસ્ટથી ‘હર ઘર તિરંગા’ અભિયાન શરૂ થઈ ગયું છે. પીએમ મોદીએ આ દિવસે પોતાનો ડીપી બદલ્યુ હતું. આ સાથે તેમણે દેશવાસીઓને પોતાનો ડીપી તિરંગો રાખવાનું પણ આહ્વાન કર્યું હતું. આ આહ્વાન બાદ બીજેપીની માતૃ સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પણ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ડીપીને બદલીને ત્રિરંગો રાખી દીધું છે.
Maharashtra | National Flag was hoisted at Rashtriya Swayamsevak Sangh (RSS) Headquarters in Nagpur as part of the #HarGharTiranga campaign, earlier today
RSS chief Mohan Bhagwat was also present there. pic.twitter.com/fbLZzo4GeG
— ANI (@ANI) August 13, 2022
આરએસએસ અને મોહન ભાગવતના ડીપીમાં પણ તિરંગો
પીએમ મોદીના તિરંગાને ડીપી તરીકે રાખવાના આહ્વાન પછી ઘણા કેન્દ્રીય મંત્રીઓએ તેમના ટ્વિટર અને ફેસબુક પર ડીપી બદલ્યા હતા. રાજ્યોમાં બીજેપીના ઘણા નેતાઓએ પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ડીપી બદલીને તિરંગો રાખ્યો હતો. ઘણા દેશવાસીઓએ પણ પીએમ મોદીના આહ્વાનને આવકારતા અને સમર્થન કરતા તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ડીપી તિરંગો લગાવ્યો હતો. આવી સ્થિતિમાં વિપક્ષ દ્વારા આ સવાલ ઉઠાવવામાં આવી રહ્યો હતો કે, RSSની સત્તાવાર ડીપી ક્યારે બદલાશે?
રાહુલ ગાંધી સહિત કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ RSS પર સવાલો ઉઠાવ્યા હતા
કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી, પવન ખેડા અને જયરામ રમેશે આડે હાથ લીધા હતા. જેમણે 52 વર્ષથી તિરંગો ફરકાવ્યો નથી તેઓ ડીપી કેવી રીતે બદલશે? રાહુલ ગાંધીએ ‘હર ઘર તિરંગા’ અભિયાનનો આધાર લઈને સંઘ પર નિશાન સાધતા ટ્વિટ કર્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હવે દરેક ઘરમાં તિરંગા અભિયાન ચલાવી રહેલા આવા સંગઠન સાથે જોડાયેલા લોકો છે, જેમણે 52 વર્ષ સુધી ત્રિરંગો ફરકાવ્યો નથી. જ્યારે કોંગ્રેસ સ્વાતંત્ર્ય સંગ્રામમાં કૂદી પડી ત્યારે પણ તેઓ કોંગ્રેસને રોકી શક્યા ન હતા, હવે પણ તેઓ રોકી શકશે નહીં.
RSSએ ભગવો હટાવી તિરંગો લહેરાવ્યો
આ બધી ટીકાઓને જોતાં લોકોમાં ઉત્સુકતા હતી કે શું આરએસએસ પોતાનું ડીપી બદલશે કે નહીં? પરંતુ ત્યારબાદ આજે સંઘના અધિકૃત હેન્ડલ્સની સાથે સરસંઘચાલક મોહન ભાગવતે પણ પોતાના એકાઉન્ટના ડીપીમાં ત્રિરંગો ઝંડો લગાવી દીધો હતો.
स्वाधीनता का अमृत महोत्सव मनाएँ. हर घर तिरंगा फहराएँ. राष्ट्रीय स्वाभिमान जगाएँ. pic.twitter.com/li2by2b0dK
— RSS (@RSSorg) August 13, 2022