My India My Duty: ખાડાને કારણે પુત્રનો ગયો જીવ તો પુરા શહેરમાં ખાડા પુરવા નીકળ્યા પિતા, નામ મળ્યું ‘Pothole Dada’

રસ્તાઓ પર જ્યારે આપણે આપણા બાઈક-કાર ચલાવીએ અને જેવો ખાડો આવે કે આપણે વાહનની ગતિ ધીમી કરીએ છીએ અને ખાડાના કિનારેથી વાહનને પસાર કરીએ છીએ.

My India My Duty: ખાડાને કારણે પુત્રનો ગયો જીવ તો પુરા શહેરમાં ખાડા પુરવા નીકળ્યા પિતા, નામ મળ્યું 'Pothole Dada'
દાદારાવ બીલ્હોરે 'Pothole Dada'
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Jan 28, 2021 | 10:37 PM

રસ્તાઓ પર જ્યારે આપણે આપણા બાઈક-કાર ચલાવીએ અને જેવો ખાડો આવે કે આપણે વાહનની ગતિ ધીમી કરીએ છીએ અને ખાડાના કિનારેથી વાહનને પસાર કરીએ છીએ. આપણા બધાના ગામ, શહેરના વિસ્તારમાં રસ્તા પણ ઘણા ખાડાઓ દેખાય છે. આપણે જ્યારે આવા ખાડાવાળા રસ્તેથી પસાર થઈએ ત્યારે વાહનનું એક્સલરેટર છોડીને બ્રેક લગાવીએ છીએ અને સરકાર તેમજ પ્રશાસનને જવાબદાર ગણાવતા નીકળી જઈએ છીએ પણ શું આટલું પુરતુ છે? શું આપને ખરેખર દેશ અને સમાજ પ્રત્યે આપણી જવાબદારીઓને સમજીએ છીએ ? કદાચ નહીં..

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

દેશ પ્રત્યે સૌથી મોટો ધર્મ હોય છે નાગરિકતાનો ધર્મ. સરકારી વ્યવસ્થાને કારણે પોતાના દીકરાને ગુમાવનાર એક પિતા કેટલાય વર્ષોથી સારી રીતે આ ધર્મને પાળે છે. એક ખાડાને કારણે પોતાના દીકરાને હંમેશા માટે ખોઈ દેનારા મુંબઈના દાદારવ બીલ્હોરેએ એક અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન છે મુંબઈના રસ્તાઓ પર દેખાતા તમામ ખાડાઓ ભરવાનું. આ અભિયાનને કારણે દેશ આજે દાદારવ બીલ્હોરેને ‘Pothole Dada’ના નામથી ઓળખે છે, જે અન્ય માતાપિતાને તેમના દીકરાને ગુમાવવાથી બચાવી રહ્યા છે.

આંસુ લુછ્યાં અને મુંબઈના રસ્તાઓ પર નીકળી પડ્યા

28 જુલાઈ 2015ના રોજ મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો હતો. દાદારવ બીલ્હોરેનો 16 વર્ષનો દીકરો પ્રકાશ કોલેજમાં એડમિશન પ્રક્રિયા પૂરી કરીને બાઈક લઈને ઘરે પરત ફરી રહ્યો હતો. પ્રકાશની સાથે તેનો પિતરાઈ ભાઈ રામ હતો, જે બાઈક ચલાવી રહ્યો હતો. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. આ બન્ને જે બાઈક પર સવાર હતા તેનું ટાયર એક ખાડામાં ભરાયું અને બંને બાઈક સાથે રસ્તા પર પડ્યા.

રામને હેલમેટે બચાવી લીધો પણ પ્રકાશ બચી ન શક્યો. દાદારવ બીલ્હોરે પોતાનો આશાસ્પદ દીકરો ખોઈ બેઠા. પ્રકાશના મૃત્યુ બાદ પિતા દાદારવ બીલ્હોરેએ આંસુ લુછ્યાં અને મુંબઈના રસ્તાઓ પર ખાડાઓ પુરવા એકલા જ નીકળી પડ્યા. બાદમાં એમને ઘણા લોકોએ સહાકાર આપ્યો અને મુંબઈએ તેમને નામ આપ્યું ‘Pothole Dada’.

બીજાના દીકરા સાથે આવું નહીં થવા દઉં

લગભગ 6 વર્ષ પહેલા એકલા જ જીવલેણ ખાડાઓને પુરવા નીકળેલા દાદારવના અભિયાનથી ઘણું પરિવર્તન આવ્યું. Tv9 સાથે ખાસ વાતચીતમાં તેમણે કહ્યું કે, 2015માં તેમણે આ કામ શરૂ કર્યું હતું અને અત્યાર સુધીમાં 1,400થી વધારે ખાડા પુરી ચુક્યા છે. દાદારાવ અઠવાડિયામાં પાંચ દિવસ શાકભાજી વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે અને બે દિવસ ખાડાઓ પુરવાનું કામ કરે છે. ખાડાઓ પુરવાનું કામ તેઓ સવારના સમયે કરે છે, કારણે કે ત્યારે રસ્તાઓ પર ટ્રાફિક હોતો નથી. દાદારવના કામથી પ્રેરાઈને મુંબઈના લોકો પણ તેમની સાથે જોડાયા છે અને ખાડાઓ પુરવામાં તેમની મદદ કરે છે.

દાદારવ કહે છે કે BMC તરફથી અત્યાર સુધીમાં તેમને કોઈપણ પ્રકારની મદદ મળી નથી. તેઓ કહે છે કે અમે સરકાર અને BMC સાથે મળીને કામ કરવા માંગીએ છીએ પણ હજી સુધી આ શક્ય નથી બન્યું. અમે એમની મદદથી આ કામને દેશભરમાં શરૂ કરવા ઈચ્છીએ છીએ.

ક્યાંથી આવે છે આ કામ માટેના પૈસા?

દાદારવ બીલ્હોરે કહે છે કે તેમને પુરસ્કાર રૂપે જે કંઈ પૈસા મળે છે તે બધા તેઓ આ કામમાં લગાવી દે છે. ઘણા લોકો પાસેથી મદદ પણ મળી છે. ગયા વર્ષે તેમણે પોતાના દીકરાના નામે પ્રકાશ ફાઉન્ડેશનનું નિર્માણ કર્યું હતું, જેના દ્વારા તેઓ મુંબઈ અને મુંબઈની બહાર થાણે અને પુણેના રસ્તાઓ પર ખાડાઓ પુરવાનું કામ કરે છે. દાદારવ કહે છે કે તેઓ દરરોજ 100 રૂપિયા પોતાના દીકરાના નામે જમા કરે છે અને કહે છે કે તેઓ એમ સમજે છે કે આ પૈસા તેઓ તેમના દીકરાને પોકેટ મની તરીકે આપી રહ્યાં છે.

તેઓ કહે છે કે ખાડાઓ પુરવા અમારા પર ફોન આવે છે અને અમે કહીએ છીએ કે રવિવારે આવીને તમારા રસ્તા પરના તમામ ખાડાઓ પુરી દઈશું. અમે ખાડાઓ પુરવામાં સૌથી સારું મટીરીયલ વાપરીએ છીએ. BMC જે મટીરીયલનો ઉપયોગ કરે છે એ જ મટીરીયલ અમારું ફાઉન્ડેશન વાપરે છે.

ખાડાઓને કારણે માર્ગ અકસ્માતના આંકડા

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના વાર્ષિક અકસ્માત રીપોર્ટ અનુસાર વર્ષ 2019માં ખાડાઓને કારણે માર્ગ અકસ્માતમાં 2,140 લોકોના મૃત્યુ થયા હતા. આ સાથે જ મૃત્યુમાં 6.2%નો વધારો થયો હતો. સુપ્રીમ કોર્ટે થોડાક વર્ષો પહેલા કહ્યું હતું કે દેશની સરહદે ગોળીબાર કે આતંકવાદી ઘટનાઓમાં જેટલા લોકો મૃત્યુ નથી પામતા તેનાથી ઘણા વધારે લોકો ખાડાના કારણે થતા અકસ્માતમાં મૃત્યુનો શિકાર બને છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">