હિંમત છે બિમારી સામે લડવા માટે મહત્વપુર્ણ ઉપાય, તો સંગીત છે સૌથી સસ્તી દવા! જાણો મહારાષ્ટ્રમાં આ અનોખી સારવાર વિશે

સંગીત ( music) પ્રત્યેના પોતાના જુસ્સાને સેવામાં પરિવર્તિત કરનાર અય્યર કહે છે કે સંગીતમાં રોગો મટાડવાની શક્તિ છે અને તેમાંથી જે સુખ અને માનસિક શાંતિ (peace of mind ) મળે છે તેની તુલના આર્થિક લાભ સાથે કરી શકાય નહીં.

હિંમત છે બિમારી સામે લડવા માટે મહત્વપુર્ણ ઉપાય, તો સંગીત છે સૌથી સસ્તી દવા! જાણો મહારાષ્ટ્રમાં આ અનોખી સારવાર વિશે
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2022 | 7:17 AM

જૂના હિન્દી ફિલ્મી ગીતની મધુર ધૂન એક હોસ્પિટલના કોરિડોરમાં ગુંજી ઉઠે છે, જ્યાં દર્દીઓ એક વ્યક્તિની આસપાસ એકઠા થાય છે. જે દર્દીઓને મધુર સંગીતમાં ડૂબી જવાની પ્રેરણા આપે છે. 75 વર્ષીય કૃષ્ણન અય્યર, જેમને દર્દીઓના ઈલાજ માટે તબીબી ડિગ્રીની જરૂર નથી, તે તેની વાંસળી અને હાર્મોનિકા વગાડીને આમ કરે છે. સંગીત પ્રત્યેના પોતાના જુસ્સાને સેવામાં પરિવર્તિત કરનાર અય્યર કહે છે કે સંગીતમાં રોગો મટાડવાની શક્તિ છે અને તેમાંથી જે સુખ અને માનસિક શાંતિ (peace of mind) મળે છે તેની તુલના આર્થિક લાભ (economic benefits) સાથે કરી શકાય નહીં.

અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે સંગીત ચિંતા અને તાણનું સ્તર ઘટાડી શકે છે, પીડા ઘટાડી શકે છે અને તમને સારી ઊંઘમાં મદદ કરી શકે છે. જુદા જુદા અભ્યાસો અનુસાર, જ્યારે આશા અને સકારાત્મકતા એ કોઈપણ ગંભીર બીમારી સામે લડવા માટેના બે મહત્વપૂર્ણ ઉપાય છે, સંગીત એ ઉપલબ્ધ સૌથી સસ્તી દવા છે. અય્યરે પીટીઆઈને કહ્યું કે કેન્સરના દર્દીઓ, અનાથ, વૃદ્ધ અને જરૂરિયાતમંદ વ્યક્તિઓ સાથે સમય વિતાવ્યા પછી અને પોતાના સંગીત દ્વારા તેમનું મનોરંજન કર્યા પછી તે ઉર્જાથી ભરપુર અને ઉત્સાહિત અનુભવે છે.

મુંબઈના ઉપનગર વિલે પાર્લેના રહેવાસી, ઐયર બાળપણમાં જ ફિલ્મ સંગીત અને વાદ્યોના પ્રેમમાં પડી ગયા હતા. અય્યર કહે છે, મને વાદ્યો વગાડવાનું પસંદ હતું, તેથી હું હાર્મોનિકા, વાંસળી અને હાર્મોનિયમ વગાડતા શીખ્યો. મેં શાળા અને કોલેજના કાર્યક્રમોમાં ભાગ લીધો અને પછીથી જ્યારે મેં ટોચના કોર્પોરેટ ગૃહોમાં કામ કર્યું, ત્યારે મેં ખાનગી મેળાવડાઓમાં અને મિત્રો સાથે પિકનિકમાં સંગીત રજૂ કર્યું.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

માતાની માંદગી પછી સંગીત પ્રત્યેનો શોખ વધ્યો

જો કે, 15 વર્ષ પહેલા ઐયરના સંગીત પ્રત્યેના જુસ્સાએ અર્થપૂર્ણ વળાંક લીધો, જ્યારે તેમની માતા બીમાર પડ્યા બાદ પથારીવશ હતા અને તેમને સતત સંભાળની જરૂર હતી, જે ઘરમાં શક્ય ન હતું. લગભગ 10 વર્ષ સુધી હોસ્પિટલની મુલાકાત લેનાર ઐયરે કહ્યું, “મેં તેમને જોગેશ્વરીના નર્સિંગ હોમમાં દાખલ કર્યા, જ્યાં તેઓ ત્રણ વર્ષ રહ્યા અને હું દર અઠવાડિયે તેની મુલાકાત લેતો હતો. આ હોસ્પિટલમાં 40 થી 50 દર્દીઓ હતા, જેમાં મોટાભાગની મહિલાઓ હતી, જેઓ બેડ પર સુતેલા હતા. આ સમય દરમિયાન હું તે દર્દીઓ સાથે વાત કરતો અને તેમના માટે સંગીત વગાડતો. ત્યારથી, ઐય્યરે મિત્રો સાથે અંધેરીની એક ક્લબની મુલાકાત લઈને સંગીત સાથે ઉપચારની તેમની સફર શરૂ કરી. આ ક્લબ વરિષ્ઠ નાગરિકો માટે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">