Mumbai Siddhivinayak Temple: નહીં થાય હવે બાપ્પાના “દર્શન”, વધતા જતા કોરોનના લીધે લેવાયો નિર્ણય

Mumbai Siddhivinayak Temple: શહેરમાં કોરોના વાઈરસના કેસમાં વધારો થતાં મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરને આગામી સૂચના સુધી 'દર્શન' માટે બંધ રાખવામાં આવ્યું છે.

Mumbai Siddhivinayak Temple: નહીં થાય હવે બાપ્પાના દર્શન, વધતા જતા કોરોનના લીધે લેવાયો નિર્ણય
Siddhi Vinayak Temple
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Apr 05, 2021 | 11:23 PM

Mumbai Siddhivinayak Temple: શહેરમાં કોરોના વાઈરસના કેસમાં વધારો થતાં મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરને આગામી સૂચના સુધી ‘દર્શન’ માટે બંધ રાખવામાં આવ્યું છે. મંદિર વ્યવસ્થાના અધિકારીઓએ આજે (05 April 2021 ) ​​સાંજે 8 વાગ્યાથી મંદિર બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. જ્યાં સુધી આગામી કોઈ સૂચના ન આવે ત્યાં સુધી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવશે. આ દરમિયાન મંદિરમાં નિયમિત રીતે આરતી અને પૂજા કરવામાં આવશે, જે ઓનલાઈન વેબકાસ્ટ પર મૂકવામાં આવશે. બાપ્પાની આરતી દરમિયાન માત્ર પુજારી અને સ્ટાફ હાજર રહેશે.

Siddhivinayak_Temple_Closed

શહેરમાં કોરોના વાયરસના કેસમાં વધારો થતાં મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરને આગામી સૂચના સુધી ‘દર્શન’ માટે બંધ રાખવામાં આવ્યું

મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસ રોગચાળાની બીજી લહેરમાં સૌથી વધુ ફટકો પડ્યો છે. સોમવારે મુંબઈમાં 9,857 જેટલા નવા કેસ નોંધાયા છે, જે શહેરમાં એકંદર કેસનું ભારણ 4,62,302 પર પહોંચી ગયું છે. લગભગ 74,522 એક્ટિવ કેસ છે. 21 વધુ મૃત્યુ સાથે મૃત્યુઆંક 11,797  પર પહોંચી ગયો છે. આંકડા દર્શાવે છે કે બીએમસીએ રવિવારના 51,319ની સરખામણીએ 36,878 નવા COVID-19 ટેસ્ટ કર્યા, જે અત્યાર સુધીમાં તપાસવામાં આવેલા નમૂનાઓની સંખ્યા 43,06,053 પર પહોંચી ગયા છે. BMCના જણાવ્યા અનુસાર મુંબઈમાં કોરોનાનો રિકવરી રેટ ઘટીને 81 ટકા થઈ ગયો છે. શહેરમાં રવિવારે સૌથી વધુ 11,163 નવા કોરોનાના કેસ નોંધાયા છે.

ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત

5,263 દર્દીઓ સાજા થયા

મુંબઈમાં 4 એપ્રિલના દિવસે છેલ્લા 24 કલાકમાં કુલ 5,263 દર્દીઓ કોરોનાથી મુક્ત થઈ સ્વસ્થ થયા છે. આ સાથે જ મુંબઈમાં અત્યાર સુધીમાં 3,71,628 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. મુંબઈમાં હાલ કોરોનાના એક્ટીવ કેસોની સંખ્યા 68,052 છે.

મુંબઈમાં ચાર નવા કોરોના હોટસ્પોટ્સ કયા છે? મુંબઈમાં 4 નવા કોરોના હોટસ્પોટ્સ મળી આવ્યા છે. ગોરેગાંવ, બાંદ્રા પશ્ચિમ, અંધેરી પૂર્વ-પશ્ચિમ અને ચેમ્બુર જેવા નવા વિભાગો કોરોના હોટસ્પોટ્સ બની ગયા છે. આમાંના મોટાભાગના સક્રિય દર્દીઓ અંધેરીમાં છે. શરૂઆતમાં ચેમ્બુર, ગોવંડી અને બાંદ્રામાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો હતો. હવે અંધેરીથી બોરીવલીના પશ્ચિમ પરામાં સક્રિય દર્દીઓની સંખ્યા સૌથી વધુ છે.

દરરોજ 42થી 45 હજાર કોરોના ટેસ્ટ મુંબઈમાં દરરોજ આશરે 42,000થી 45,000 કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. આજે સૌથી વધુ 51,319 ટેસ્ટ કરવામાં આવ્યાં હતા. મુંબઈમાં દરરોજ સરેરાશ આઠથી નવ હજાર ચેપગ્રસ્ત દર્દીઓ નોંધાય છે. બીજી તરફ, મુંબઈમાં દર્દીઓની સંખ્યા બમણા થવાના દિવસો 42 થઈ ગયા છે.

મુંબઈમાં અત્યાર સુધીમાં 681 ઈમારતો સીલ કરી દેવામાં આવી છે મુંબઈમાં પાંચથી વધુ કોરોનાના કેસો મળી આવે તો આખી બિલ્ડિંગ સીલ કરી દેવામાં આવે છે. મુંબઈના વિવિધ વિસ્તારોમાં સૌથી વધુ 167 ઈમારતો અંધેરી પશ્ચિમમાં સીલ કરવામાં આવી છે. આ પછી પરેલમાં 83, ગ્રાન્ટ રોડ-મલબાર હિલમાં 79, ચેમ્બુર-ગોવંડી 59 અને બાયકુલા વિસ્તારમાં 57 બિલ્ડીંગો સીલ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં મુંબઈમાં કુલ 681 બિલ્ડીંગો સીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Corona virus : કોરોના સંક્રમણ વધતા PM MODI ફરી એક વાર મુખ્યપ્રધાનો સાથે કરશે વર્ચ્યુઅલ બેઠક

Latest News Updates

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
g clip-path="url(#clip0_868_265)">