LOCAL TRAIN: સોમવારથી ફરી પાટા પર દોડવા લાગશે મુંબઈની લાઈફલાઈન, લોકલ ટ્રેન થઇ જશે શરૂ

મુંબઈની લાઈફલાઈન તરીકે જાણીતી લોકલ ટ્રેન 10 મહિના બાદ ફરીથી શરૂ થવા જઈ રહી છે. મુંબઈમાં લાઈફલાઈન સમાન લોકલ ટ્રેન સોમવાર પહેલી ફેબ્રુઆરી 2021થી લોકો માટે શરૂ થઇ જશે.

LOCAL TRAIN: સોમવારથી ફરી પાટા પર દોડવા લાગશે મુંબઈની લાઈફલાઈન, લોકલ ટ્રેન થઇ જશે શરૂ
મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેન પહેલી ફેબ્રુઆરી 2021થી પાટા ઉપર દોડતી થશે
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Jan 31, 2021 | 10:58 AM

મુંબઈની લાઈફલાઈન તરીકે જાણીતી લોકલ ટ્રેન (LOCAL TRAIN) 10 મહિના બાદ ફરીથી શરૂ થવા જઈ રહી છે. મુંબઈમાં લાઈફલાઈન સમાન લોકલ ટ્રેન સોમવાર પહેલી ફેબ્રુઆરી 2021થી લોકો માટે શરૂ થઇ જશે. રેલવે મંત્રી પિયુષ ગોયલએ (PITYSH GOYAL) આ વાતની જાહેરાત કરતા કહ્યું હતું કે, માર પ્રિય મુંબઈવાસીઓ તમારા બધાની સુવિધા માટે મુંબઈની લોકલ ટ્રેન 1 ફેબ્રુઆરીથી ફરીથી શરૂ કરવામાં આવશે.

ગોયલે ટ્વિટર પર જણાવ્યું હતું કે લોકલ ટ્રેન સામાન્ય લોકો માટે દિવસની શરૂઆતથી સવારના સાત વાગ્યા સુધી અને ત્યારબાદ બપોરે 12 થી સાંજના ચાર વાગ્યા અને રાતના નવ વાગ્યાથી સર્વિસના અંત સુધી ઉપલબ્ધ રહેશે. મહારાષ્ટ્ર સરકારની સૂચના મુજબ સવારે 7 થી બપોરના 12 અને સાંજના 4 થી 9 વાગ્યા સુધી ફક્ત આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા કર્મચારીઓને જ લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાની છૂટ રહેશે. રેલ્વે મંત્રીએ કહ્યું કે હું તમને બધાને અપીલ કરું છું કે મુસાફરી દરમિયાન કોરોના વાયરસ નિવારણ સંબંધિત તમામ નિયમોનું પાલન કરો. કોઈપણ પ્રકારની બેદરકારી આપણા અને અન્ય લોકો માટે સમસ્યા બની શકે છે.

આ પહેલા મહારાષ્ટ્ર સરકારે 1 ફેબ્રુઆરીથી મુંબઈમાં સામાન્ય લોકો માટે ઉપનગરીય ટ્રેન સેવાઓ પુનઃસ્થાપિત કરવાની મંજૂરી આપી હતી. જણાવી દઈએ કે, લોકલ ટ્રેન ગયા વર્ષે માર્ચથી સામાન્ય લોકો માટે બંધ છે.આવશ્યક સેવાના કર્મચારીઓ માટે જૂનમાં લોકલ ટ્રેન શરૂ કરવામાં આવી હતી. લોકડાઉન પહેલા સામાન્ય દિવસોમાં સેન્ટ્રલ રેલવે દરરોજ 177 સેવાઓનું સંચાલન કરતી હતી. જયારે વેસ્ટર્ન રેલવે 1367 સેવાઓનું સંચાલન કરતી હતી. હાલમાં રેલ્વે 2,985 સેવાઓનું સંચાલન કરી રહી છેજે કુલ સેવાના 95 ટકા જેટલી છે.

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

સરકારે સ્થાનિક ટ્રેન સેવાને લગતા એક પરિપત્રમાં કહ્યું છે કે તે તમામ સંસ્થાઓને તેમના કામના સમયપત્રકમાં થોડો ફેરફાર કરવા અપીલ કરશે. જેથી કર્મચારીઓ નિર્ધારિત સમયપત્રક મુજબ ઉપનગરીય ટ્રેન સેવાઓનો લાભ મેળવી શકે. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવ્યા અનુસાર, મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ તાજેતરમાં રેલ્વે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને આ દરમિયાન લોકલ ટ્રેનોમાં કોઈ ભીડ એકત્ર ન થાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">