Mumbai Rain: ભારે વરસાદને કારણે માયાનગરીના બેહાલ, અનેક વિસ્તારોમાં જાહેર કરાયું રેડ એલર્ટ

મુંબઇમાં અવિરત વરસાદને પગલે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ઉપરાંત રસ્તાઓ પણ વરસાદી પાણીમાં ગરકાવ થઈ જતા લોકોએ ભારે હાલકીનો સામનો કરવો પડ્યો હતો.

Mumbai Rain: ભારે વરસાદને કારણે માયાનગરીના બેહાલ, અનેક વિસ્તારોમાં જાહેર કરાયું રેડ એલર્ટ
Mumbai Rain
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2021 | 10:53 AM

મુંબઇ સહિત મહારાષ્ટ્રના (Maharashtra) ઘણા વિસ્તારોમાં બુધવારે પણ ભારે વરસાદ પડ્યો હતો. ત્યારે આજે પણ ભારે વરસાદની આશંકાને પગલે ભારતીય હવામાન વિભાગ દ્વારા મુંબઇ શહેરમાં ઓરેન્જ એલર્ટ (Orange Alert) જાહેર કર્યું છે. જ્યારે મહારાષ્ટ્રના જલના, બીડ, નાંદેડ, લાતુર, પરભણી, હિંગોલી, સતારા, પુના, રત્નાગીરી, સિંધુદુર્ગ સહિતના વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

મુંબઇમાં અવિરત વરસાદને પગલે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ઉપરાંત રસ્તાઓ પણ વરસાદી પાણીમાં ગરકાવ થઈ જતા લોકોએ ભારે હાલકીનો સામનો કરવો પડ્યો હતો.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

ઉપરાંત, ભારે વરસાદને પગલે ટ્રેન (Train) સેવા પણ પ્રભાવિત થઈ હતી. શહેરમાં ઉંબરમાળી રેલ્વે સ્ટેશન અને કસારા વચ્ચેની લોકલ ટ્રેન સેવા થોડા સમય માટે સ્થગિત કરવાની ફરજ પડી હતી. ભારતીય હવામાન વિભાગ (Indian Metrological Department) દ્વારા મુંબઇ સહિત મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે અને અનેક શહેરોમાં એલર્ટ આપવામાં આવ્યું છે.

અનેક વિસ્તારોમાં જાહેર કરાયું રેડ એલર્ટ

ભારતીય હવમાન વિભાગના જણાવ્યા મુજબ, ગુરુવારે મુંબઇમાં ભારે વરસાદની આગાહીને પગલે ‘ઓરેંજ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. જે દર્શાવે છે કે શહેરના કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરે છે. ઉલ્લેખનીય છે કે, બુધવારે ભારે વરસાદને કારણે ઉંબરમાળી રેલ્વે સ્ટેશન અને કસારા વચ્ચેની લોકલ ટ્રેન (Local Train) સેવા સ્થગિત કરી દેવામાં આવી હતી.

રેલવે ટ્રેક પર પાણી ભરાવાને કારણે રેલવે સેવા સ્થગિત કરવાની ફરજ પડી હતી. રેલવે પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “રેલવે ટ્રેક પર વચ્ચે પાણી ભરાવાના કારણે મધ્ય રેલ્વેના ખારડી અને ઇગતપુરી સ્ટેશનો વચ્ચેની રેલવે સેવા પણ સ્થગિત કરવામાં આવી હતી.”

દસ કલાકમાં 68.72 મીમી વરસાદથી જળબંબાકારની સ્થિતિ

બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશન (Bombay Municipal Corporation)) ના અધિકારીઓએ જણાવ્યું હતું કે, બુધવારે દસ કલાકમાં મુંબઇમાં 68.7272 મીમી જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં 58.75 મીમી અને 58.24 મીમી વરસાદ નોંધાયો હતો.

ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકરાની સ્થિતિ જોવા મળી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા મુંબઈ શહેર માટે આજે પણ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

આ પણ વાંચો : Maharashtra: BMCએ બકરીઈદ માટે કુરબાનીની નક્કી કરી મર્યાદા, આ મુદ્દે હસ્તક્ષેપનો ઈનકાર કરતા મુંબઈ હાઈકોર્ટે કહ્યું, તહેવારો કરતાં જીવન મહત્ત્વનું

આ પણ વાંચો : Maharashtra : ભૂતપૂર્વ પ્રધાન ગિરીશ મહાજને પાંચ ફૂટ લાંબો, જીવતો સાપ પકડ્યો, જાણો પછી શું થયું ?

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">