મુંબઈ પોલીસનો નવતર પ્રયોગ, સિનેમાના ડાયલોગનો ઉપયોગ કરીને સમાજને આપ્યો સંદેશો
મુંબઈ પોલીસનો હળવા અંદાજમાં મોટો સંદેશો જોઈને લોકો ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. તેમજ આ ટ્વીટ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા લોકડાઉન દરમિયાન મુંબઈ પોલીસે એક ટ્વીટ દ્વારા કોઈ ટ્વીટર યુઝરનો જવાબ આપ્યો હતો. જે ખૂબ વાયરલ થયો હતો
મુંબઈ પોલીસ અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર માત્ર સુરક્ષાના મુદ્દાઓ જ નહીં, પરંતુ સામાજિક મુદ્દાઓ વિશે પણ વાત કરે છે. થોડા મહિના પહેલા એક ટ્વીટર યુઝરને તેમનો જવાબ જેમાં સંમતિની બાબતો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
જે ઓનલાઈન વાયરલ થયો હતો અને લોકો તરફથી પ્રશંસા પણ મેળવી હતી. તેમની તાજેતરની ‘લેટ્સ નોટ નોર્મલાઈઝ મિસોજીની’ પોસ્ટ માટે તેઓને નેટિઝન્સ તરફથી પ્રશંસા મળી રહી છે. આ પોસ્ટમાં તેમણે તેમનો સંદેશ આપવા માટે કેટલીક લોકપ્રિય ફિલ્મોના સંવાદોનો ઉપયોગ કર્યો.
મુંબઈ પોલીસે ઈન્સ્ટાગ્રામ પર કરી આ પોસ્ટ
“સિનેમા આપણા સમાજનું પ્રતિબિંબ છે. અહીં (ફક્ત) કેટલાક (ઘણામાંથી) સંવાદો આપણા સમાજ અને સિનેમા બંનેને પ્રતિબિંબિત કરવાની જરૂર છે. તમારા શબ્દો અને ક્રિયાઓ કાળજીપૂર્વક પસંદ કરો – જ્યાં સુધી તમે નહીં ઈચ્છો કે કાનુન દખલગીરી કરે! “તેમણે આ પોસ્ટ શેર કરતી વખતે લખ્યું.
View this post on Instagram
મુંબઈ પોલીસે ટ્વવીટ કરીને પણ આપ્યો સંદેશો
आपण वापरलेला प्रत्येक शब्द हा आधी एक विचार असतो. दैनंदिन जीवनात, तसेच चित्रपटात वापरली जाणारी भाषा आपल्या विचारांचे प्रतिबिंब आहे.
प्रत्येक शब्द विचारपूर्वक वापरा!#LetsNotNormaliseMisogyny#MindYourLanguage#WomenSafety pic.twitter.com/NO41BxJzJM
— Mumbai Police (@MumbaiPolice) September 30, 2021
દરેક શબ્દ જે આપણે ઉપયોગ કરીએ છીએ તે એક વિચાર છે. રોજિંદા જીવનમાં તેમજ ફિલ્મમાં વપરાતી ભાષા આપણા વિચારોનું પ્રતિબિંબ છે. દરેક શબ્દ સમજી વિચારીને વાપરો! સમાજ માટે ખૂબ મોટો સંદેશો મુંબઈ પોલીસે આપ્યો છે. તેમજ તે પોસ્ટના હેશટેગ પણ ઉપર્યુક્ત છે.
મુંબઈ પોલીસનો હળવા અંદાજમાં મોટો સંદેશો જોઈને લોકો ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. તેમજ આ ટ્વીટ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા લોકડાઉન દરમિયાન મુંબઈ પોલીસે એક ટ્વીટ દ્વારા કોઈ ટ્વીટર યુઝરનો જવાબ આપ્યો હતો. જે ખૂબ વાયરલ થયો હતો.
લોકડાઉન દરમિયાન એક વ્યક્તિએ ટ્વીટ કરીને પુછ્યું હતું કે, – ‘સર, મારું નામ સની છે. શું હું બહાર જઈ શકું છું. ‘ટ્વીટ પર મુંબઈ પોલીસનો જવાબ રમૂજી છે. તે કહે છે કે સાહેબ જો તમે ખરેખર સૂર્યમંડળના કેન્દ્રમાં રહેલા તે તારા છો જેની આસપાસ પૃથ્વી અને સૌરમંડળના અન્ય ઘટકો ફરે છે. અમે આશા રાખીએ છીએ કે તમે જે જવાબદારી નિભાવી રહ્યા છો તેનો અનુભવ કરશો. કૃપા કરીને તમારી જાતને કોવિડ -19 વાયરસના સંપર્કમાં લાવીને આમાં સમાધાન ન કરો. ટ્વીટમાં સનીને વધારે સુરક્ષાનો સૂર્યપ્રકાશ બનવાનું કહેવામાં આવ્યું.
આ પણ વાંચો : દેશમાં 18 વર્ષથી ઉપરના 25 ટકા લોકોને અપાઈ ગયા કોરોના વેક્સિનના બંને ડોઝ, આ 6 રાજ્યોમાં દરેકને મળી ગયો પહેલો ડોઝ