Mumbai: દુકાનો પર નથી લગાવ્યા મરાઠી સાઈન બોર્ડ? તો ચેતી જજો, BMC કરશે કડક કાર્યવાહી

આ ઉપરાંત નાગરિક સંસ્થા દારૂની દુકાનો અને દેવી-દેવતાઓ, સંતો, રાષ્ટ્રીય નાયકો અને કિલ્લાઓના નામવાળા બાર અને દારૂની દુકાનો સામે કાર્યવાહી કરશે. બીએમસીએ (BMC) એપ્રિલના પ્રથમ સપ્તાહમાં સુધારેલા કાયદા પર એક પરિપત્ર બહાર પાડ્યો હતો.

Mumbai: દુકાનો પર નથી લગાવ્યા મરાઠી સાઈન બોર્ડ? તો ચેતી જજો, BMC  કરશે કડક કાર્યવાહી
BMC
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 07, 2022 | 9:34 PM

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) આ મહિનાથી એટલે કે મે મહિનાથી જે દુકાનો અને સંસ્થાઓના નામ મરાઠી ભાષામાં લખેલા નથી તેમની સામે કાર્યવાહી શરૂ કરશે. મહારાષ્ટ્ર સરકારે (Maharashtra Government) મહારાષ્ટ્ર શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં સુધારો કર્યાના લગભગ બે મહિના બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. બીએમસી અધિકારીઓએ કહ્યું કે તેઓએ તેમને મરાઠી ભાષાનો ઉપયોગ કરવાની અપીલ કરી છે અને નિયમો અનુસાર નવી નેમપ્લેટ તૈયાર કરવા માટે તેમને થોડા દિવસોનો સમય આપ્યો છે. તેમ છતાં જો તેઓ નિયત મુદત પછી પણ નિયમોનું પાલન નહીં કરે તો તેમની સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. એક અધિકારીએ જણાવ્યું હતું કે BMC આ નિર્દેશનો અમલ કરવામાં નિષ્ફળ જનાર લોકોને નોટીસ પાઠવશે. આ દરમિયાન એપ્રિલમાં BMCએ પ્રાથમિક શાળાઓ માટે એક પરિપત્ર પણ પ્રકાશિત કર્યો, જેમાં નોંધણી નંબર સાથે શાળાનું નામ મરાઠીમાં દર્શાવવાનું ફરજિયાત બનાવ્યું. આ નિયમ તમામ ખાનગી અને અન્ય શાળાઓ માટે લાગુ કરવામાં આવ્યો.

દેવી-દેવતાઓના નામ પરથી દારૂની દુકાન કે બારનું નામ રાખવા પર કાર્યવાહી

આ ઉપરાંત નાગરિક સંસ્થા દારૂની દુકાનો અને દેવી-દેવતાઓ, સંતો, રાષ્ટ્રીય નાયકો અને કિલ્લાઓના નામવાળા બાર અને દારૂની દુકાનો સામે કાર્યવાહી કરશે. બીએમસીએ એપ્રિલના પ્રથમ સપ્તાહમાં સુધારેલા કાયદા પર એક પરિપત્ર બહાર પાડ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું છે કે દુકાનના સાઈનબોર્ડમાં મરાઠી-દેવનાગરી લિપિના અક્ષરો અન્ય લિપિના અક્ષરો કરતા નાના ન રાખી શકાય.

આ સંદર્ભમાં BMC લાયસન્સ વિભાગના જણાવ્યા અનુસાર “મુંબઈના તમામ 24 વોર્ડમાં દુકાનો પર મરાઠી ભાષાના બોર્ડ ન લગાવનારાઓ સામે પગલાં લેવા માટે 2 અધિકારીઓની એક ટીમની નિમણૂક કરવામાં આવી હતી. પરંતુ હવે આ કાર્યવાહી ઝડપી કરવા માટે 5-5 અધિકારીઓની ટીમો બનાવવામાં આવશે. 120 અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ દ્વારા મરાઠીમાં બોર્ડ નહીં લગાવનાર દુકાનદારો સામે કાર્યવાહી કરવામાં આવશે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

BMCના રેકોર્ડ મુજબ મુંબઈમાં કુલ 5,08,897 દુકાનો અને સંસ્થાઓ છે. ઓલ્ડ શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ મરાઠી નામની પ્લેટ લગાવવી ફરજિયાત હતી. પરંતુ 2017માં રાજ્ય સરકારે કાયદામાં સુધારો કર્યો, જેમાં મરાઠી નેમપ્લેટ પ્રકાશિત કરવા માટે નવ કરતાં ઓછા કર્મચારીઓ ધરાવતી દુકાનો અને સંસ્થાઓની જરૂર નહોતી. હવે, નવા સુધારા મુજબ કર્મચારીઓની સંખ્યાને ધ્યાનમાં લીધા વિના, તમામ દુકાનો અને સંસ્થાઓએ ફરજિયાતપણે મરાઠીમાં દુકાનનું નામ દર્શાવવું પડશે.

Latest News Updates

માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">